SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૭૫ કે તમને મારી નાખી જીવતા કરવા છે. આ બધું “મારું તારું કરે છે તે કઢાવી નાખવું છે. એવું સાચું શરણ પ્રાપ્ત થાય ત્યારથી ન જ અવતાર પ્રાપ્ત થયે. ગૃહસ્થ અવસ્થામાં સમભાવ રહે મુશ્કેલ છે. પ્રભુશ્રીજી કહેતા, તમને નવી હોડીમાં બેસાડ્યા છે હવે લાંબા ટૂંકા હાથ કરશે નહીં. [વ. ૩૨૨] ૮૫ શ્રી રાવ મં આહેર, ફાગણ સુદ ૧૧, ૨૦૦૮ આખું જગત લૌકિક દષ્ટિમાં પડયું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના આશ્રિત એ બને લૌકિકભાવમાં વર્તશે તો પછી અલૌકિક ભાવમાં કે વર્તશે? અલૌકિક દષ્ટિ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિતમાં રહે છે. એમાં જે એ અલૌકિક દષ્ટિ ન રહે તે પછી એને રહેવાની જગ્યા કયાં રહે? સત્સંગમાં બધું સહજે સમજાય. જ્ઞાની પુરુષ દ્વારા પિતાના સ્વરૂપનું ભાન થાય છે. જ્યાં આત્મસ્વરૂપ પ્રગટ છે તે પુરુષ પર વિશ્વાસ રાખે તે સ્વરૂપ પ્રાપ્ત થાય. અષ્ટાવક્ર ગુરુમાં જનકે બધું અર્પણ કરી, સમ્યક્ પ્રકારે શ્રદ્ધા રાખી. એવી જે શ્રદ્ધા રાખે તે મોક્ષ થાય. પ્રશ્ન-સમ્યફ પ્રકાર એટલે શું? પૂજ્યશ્રી–જ્ઞાની સ્વીકારે તેવી શ્રદ્ધા એટલે વિશ્વાસ. મુમુક્ષુ-જ્ઞાની જ્યારે સ્વીકારે? પૂજ્યશ્રી–જગતના પદાર્થોનું સ્વરૂપ જેવું જ્ઞાનીએ માન્યું છે, તેવું એને મનાય તે ક્ષાની સ્વીકારે. આપણા દેશે જાય તે જ્ઞાની આપણને સ્વીકારે. પિતાની સમજણે જ્યાં સુધી કરે છે, ત્યાં સુધી જ્ઞાની સ્વીકારતા નથી. જ્ઞાનીની દષ્ટિએ જ્ઞાની ઓળખાય. પિતાની કલ્પનાને આશ્રય છોડવાને છે. પ્રભુશ્રીજી કહેતા કે કોને નમસ્કાર કરે છે? વૈરાગ્ય વધે તે પુરુષ ઓળખાય. જે ઉદય આવે તે સમભાવે સહન કરવાનું છે. ફિકર ન કરવી. જેમ જેમ આત્મા નિર્મળ થાય, તેમ તેમ રિદ્ધિસિદ્ધિ પ્રગટે, પણ તે બીજા કામમાં વાપરે નહીં. કોઈનાં કમ કઈ ભોગવી શકે નહીં. દરેક જીવે પૂર્વે જેવાં જેવાં કમ બાંધ્યાં છે તેવાં તેવાં ઉદયમાં આવે છે. આજીવિકા સંબંધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેકને પિતાના બાંધ્યા પ્રમાણે મળી આવે છે. પશુપક્ષીને પણ આહારપાણી મળી આવે છે, તે પછી મનુષ્યને માટે તે કહેવું જ શું? પણ લેકેને દેખાડવા માટે ખર્ચ વગેરે કરે એ બનવું તે મુશ્કેલ છે. મુમુક્ષુ જીવેને પણ ચારિત્રમોહ કેવો પજવે છે તે ભાગભાઈના જીવન પરથી જણાય છે. આત્માને માટે બધું જતું કરવું. પિતાના આત્માનું બગાડવું નથી, એવું માહાસ્ય કૃપાળુદેવને આત્માનું લાગ્યું છે તેથી પ્રતિજ્ઞા કરી છે કે આત્માને ભૂલીને કંઈ ન કરવું. સહજે સહજે થાય તે કરવું. બેજે હોય તે એના માથા પરથી બીજાના માથા પર લેવાય પણ ચિન્તાને ભારત લેવાય નહીં. કૃપાળુદેવ લખે છે કે અમે દુખથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy