________________
બધામૃત
પણ કંઈ સાથે આવે નહીં. “આત્માનુશાસન'માં આવે છે કે ઝાડ ઉપરથી ફળ નીચે પડે તેની વચ્ચેનો જેટલો સમય તેટલું આયુષ્ય છે, માટે ચેતી . ક્યારે મરણ આવશે તેની ખબર નથી. સ્વરૂપ સાંભરતું નથી. પોતાનું સ્વરૂપે પ્રગટ કરવું એવી ગરજ નથી. વિભાવ મારે છેડે છે એવી એને ગરજ નથી. બેથી છવ જાગે છે.
સંતોષ રાખવાનું કહે છે. રાતદિવસ માથાકૂટ કરે તેય મળવાનું હોય તેટલું મળે, પણ આ પરમાર્થનું કામ તે કર્યો વિરો થાય તેવું નથી. એને માટે પુરુષાર્થ કરે તો મેક્ષ થાય. આ જગતમાંથી કંઈ જોઈતું નથી. આયુષ્ય હેય, પુરુષાર્થ કરતો હોય તે એને પછી સિદ્ધિ પણ થાય. સ્વરૂપે પ્રાપ્ત કરવું છે. એવી મૃતિ પણ એને નથી. પ્રમાદમાં જિંદગી ન જવા દેવી. અપ્રમત્તપણે રહેવું. અપ્રમત્ત અવસ્થા બે ઘડી પૂરી રહે તે કેવળજ્ઞાન થાય તેવું છે. છઠે ગુણસ્થાનકે રહેલા સમ્યગ્દષ્ટિ સાતમે જાય અને પાછા છઠે જાય; જે વધારે વાર અપ્રમત્તમાં ટકે તો કેવળજ્ઞાન થાય.
[વ. ૩૨૦]
આત્મા શરીરને લીધે, શ્વાસેપ્શવાસને લીધે જીવતું નથી. જડ તે જડભાવે અને ચેતન તે ચેતનભાવે પરિણમે છે. બંનેનું પરિણમન જુદું જુદું છે. બીજું શરીર બનાવવું હોય તે તેજસ કામણ શરીરની જરૂર પડે, ન બનાવવું હોય તે કંઈ જરૂર નથી. અને દ્રવ્ય જુદાં છે. બન્નેના પ્રદેશ જુદા છે. એક ક્ષેત્રમાં રહે છતાં જુદા છે.
[વ. ૩૨૧].
ઉપર જે જડચેતનને સ્વભાવ ભિન્ન કહ્યો હતે તેનો ખ્યાલ આવે તે અત્યંત ઉદાસીન એવું જે ચિતન્ય તેને એમનું એમ રાખે, વસ્તુનો સ્વભાવ જેવો છે તે જ રાખે. સમજણમાં ભૂલ હોય તે બીજું માને, પણ જ્ઞાનીને સમજણ છે. ઉદાસ રહેવાનો, સમભાવમાં રહેવાને જ્ઞાની કેટલે પુરુષાર્થ કરે છે !
મુમુક્ષુ–ઉદાસીનપણું એટલે શું? પૂજ્યશ્રી જેમાં મારું તારું રાગદ્વેષ નથી, અસંગ રહે તે ઉદાસીનપણું છે.
માયા જીવને તાણી જાય તેવી છે. માયાનું સ્વરૂપ જ એવું છે. એમાં જે પ્રીતિ થઈ તો એને ખેંચી જાય. અગ્યારમાંથી પાડી નાખે એવી માયા છે. સમુદ્રમાં બે ભાઈયક્ષની પીઠ પર બેસીને જતા હતા. ત્યાં માયાદેવી પાછળ આવી કહેવા લાગી કે જરા મારા સામું જુઓ, મેં તમારું શું બગાડયું છે ? પછી બહુ રડવા લાગી. તેમાંથી એક ભાઈએ સામું જોયું તેથી યક્ષે તેને સમુદ્રમાં પટકી નાંખ્યો. માયાદેવીએ તેના કટકા કરી સમુદ્રમાં જ પાછા નાખી દીધા. માયાનું સ્વરૂપ જ એવું છે.
ગૃહસ્થ અવસ્થામાં જે સમભાવ રહે તે ઘણા કર્મની નિર્જરા થાય. પ્રભુશ્રીજી કહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org