SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેથન આશ્ચર્યકારક વસ્તુ છે કે અનાદિકાળથી પુદ્ગલને સંબંધ છે, છતાં એક પણ પ્રદેશ જડરૂપે થયો નથી. કેટલીય વાર નરકમાં ગયે. ત્યાં છેદાયો ભેદાયે, તે પણ એક પ્રદેશ પણ ઘસાય નથી. કેઈ કેઈન રૂપે પરિણમે નહીં. પિતપિતાને સ્વભાવે બધાં દ્રવ્ય પરિ ણમે છે. હું બોલ્યા, મારું કશું ન કર્યું, એમ કલપના કરે છે. તે કહ૫ના જ છે. ક૫નાથી દુઃખી થાય છે. જેવાં કર્મ બાંધ્યા હોય તેવાં દેખાય છે. જડ તે જડરૂપે જ પરિણમે છે. જડ તે જડ અને ચેતન તે ચેતન, એટલું સમજાય તે ભૂલ ન પડે. નહીં તે જડ ને ચેતન માને અને ચેતનને જડ માને. એક દ્રવ્ય બે રૂપે પરિણમે નહીં. કર્મમાં ચેતનપણું બીલકુલ નથી, જડ જ છે, પુદ્ગલ છે. ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયાં પણ જડમાં કંઈ ચેતનભાવ પેસે નહીં. ચેતનને ભાવ ચેતનમાં રહે. ચેતન પુદ્ગલ કર્મને ગ્રહણ કરે છે, પણ બન્ને રહે છે જુદા જ. જ્ઞાતા, ય અને જ્ઞાન નિશ્ચયથી એક જ છે. અત્યારે પરાધીન જ્ઞાન છે, તેથી પુદુગલની મદદ લેવી પડે છે, પણ પુદ્ગલ જાણે છે એમ નથી. બેય પદાર્થ જુદા છે એમ સમજાય તે હું દેહાદિ સ્વરૂપ વાણિયે બ્રાહ્મણ વગેરે છું, જડ ને હું એક છું, એમ જે માને છે તે મટે. - કર્મ ન બંધાય એવી રીતે વર્તી શકાય છે. જ્ઞાની પણ સંસારથી કંટાળો ખાય છે અને અજ્ઞાની પણ સંસારથી કંટાળે છે, છતાં એક છૂટે છે ને બીજે બંધાય છે. વિ. ૩૧૮] કૃપાળુદેવે “મારું” કર્યા વગર બધું કામ કર્યું છે. દષ્ટિ કરવી જોઈએ. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” જેને આત્માને નિર્ણય થયો છે તે પછી ગમે તેમ પ્રવર્તે તેય ભૂલે નહીં. પછી એ હાલે ચાલે, ખાય પીએ તેય સ્વરૂપને નિર્ણય થયો છે તે એને ન ભુલાય. એને સ્વરૂપને નિર્ણય થયો છે તેથી તે મૌન થઈ જાય એવું કંઈ નથી. શાલિભદ્ર અને ધનાભદ્રે જાણે પિતાનું કંઈ કર્યું જ નહોતું તેમ કરી ચાલી નીકળ્યા. પ્રમાદ આવે ત્યારે થાય કે કાલે કરીશું, પરમ દિવસે કરીશું. હવે થોડી વાર સૂઈ જાઉં. એમ પ્રમાદ આવે ત્યારે થાય. ખાતાં પીતાં વૈરાગ્ય ભૂલી ન જવાય. વૈરાગ્ય તાજે રાખો. આ રસોઈ સારી થઈ છે, પેલી સારી નથી એમ થાય ત્યાં વૈરાગ્ય ક્યાં રહે? [વ. ૩૧૯] , ૮૨ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ ચેતાવવા માટે જ્ઞાની કહે છે કે તું કંઈ કરી લે, ચેતી લે. એમનું એમ આયુષ્ય જતું રહેશે. કેટલું જીવવાનું છે તેની ખબર નથી. જજાળમાં આખી જિંદગી માથાકૂટ કરે ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy