________________
બોધામૃત સંસારને લક્ષ રાખે તે પછી જપ તપ કરે, તે ય સંસારનાં કારણ થાય. પુરુષાર્થ કરે નહીં તે, અનાદિની ટેવ હોય તેમાં તણાઈ જાય. છૂટવા માટે કરવું છે એમ જે લક્ષ રહે તે મન તેમાં ટે. સામાયિક કરવા બેઠે હોય અને મન તે બીજે તડાકા મારતું હોય.
વીશે કલાક જે કરતો હોય તે જ પિણ કલાક વખતે આવીને ઊભું રહે ને? બીજું ક્યાંથી આવે? જે કંઈ સાધન કરવું તે પુરુષને ભુલાય એવું ન કરવું. સપુરુષને આગળ કરીને સાધન કરવું. ઉપદેશછાયા (૫)માં છે કે “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું”— એ ન થતું હોય તે શું કરવું? પુરુષમાં ચિત્ત રાખવું ને જગતને ભૂલી જવું.
[વ. ૩૦૧]
જ્ઞાનીને એ દઢ કરાવવું છે કે સંસાર બંધનરૂપ છે. તેથી બચવા એટલું કરાવવું છે. આત્માને પહેલે જે. દેખનાર આત્મા છે. આત્મા છે તે પ્રથમપદ છે, તે ભૂલી ન જવું. સુખદુઃખ આવે તે યોગ્ય જ થયું એમ માનવું. આમ હોય તો સારું, આમ ન હોય તે ખેટું એમ કરવા જેવું નથી. પૂર્વે જેવું કર્યું હતું તે જ આવ્યું છે. આત્માનું વિસમરણ ન થાય એ કહેવું છે. જગત આત્મારૂપ માનવામાં આવે એટલે આત્માનું વિસ્મરણ ન થાય. પહેલે આત્મા છે. એ હોય તો જણાય છે.
“ ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માને નહીં, કહીએ કેવું જ્ઞાન ? ” આત્મા ન હોય તે મડદું. જાણનાર આત્મા પહેલો છે. એ હોય તેમ જણાય છે.
સંસારમાં જ હોય તેમાં દેષ પહેલા દેખાય. કેઈન પણ દેષ ન જોવામાં આવે તે જ આ સંસારમાં રહેવું, નહીં તે જંગલમાં જવું. પિતામાં કંઈ ગુણ હોય તે જીવ તેને ગાતે ફરે છે. જાણે ગુણ પ્રગટ થયા જ નથી એમ રહે, તે જ આ સંસારમાં રહેવું. પિતાના દેષ જુએ તે મુમુક્ષુ થાય, એ દોષથી મુઝાવાનું થાય.
[વ. ૩૧૭]
૮૦ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૯, ૨૦૦૯ જડનું જડરૂપે અને ચેતનનું ચેતનરૂપે સહજે પરિણમન થયા જ કરે છે. જીવને વૈરાગ્યની ખામી છે. વૈરાગ્યવૃત્તિ હોય તે છાપ પડે છે. બધા બીજા વિચારે છેડી મારે કૃપાળુદેવે કહ્યું તે જ કરવું છે એમ જેને થાય તેને અસર કરે છે. આપણે આત્મસિદ્ધિ રોજ બેલીએ છીએ. એ સિદ્ધાંતગ્રંથ છે. સભાગભાઈને આત્મસિદ્ધિ મેકલી તે વખતે સોભાગભાઈને તાવ આવતે હતો. કૃપાળુદેવે પૂછાવ્યું કે તમને કેમ રહે છે? ત્યારે સોભાગભાઈએ લખાવ્યું કે “આત્મસિદ્ધિને લઈને જ જીવું છું. બેતેર ગાથા મોઢે કરી છે અને બીજી કરું છું, મને આનંદ રહે છે.” એમ નિશ્ચય અને આશ્રય હોય તે અસર કરે છે. વૈરાગ્ય વિના સિદ્ધાંતગ્રંથ સમજાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org