________________
વચનામૃત-વિવેચન ભક્તિ વિષે લખવું શરૂ કર્યું હતું.
પ્રશ્ન–ભક્તિ કેમ નથી જાગતી?
પૂજ્યશ્રી–જીવને બીજી સંસારની ભક્તિ છે. સવારથી સાંજ સુધી દેહ અને કુટુંબની ભક્તિ કરે છે. એ એને ગમે છે. એ જ કારણથી ભક્તિ નથી ગમતી. જીવને સંસારમાં હજુ પ્રેમ છે. તે ઊઠી સંસાર ઝેર જેવું લાગે ત્યારે ભક્તિ જાગે. પછી સંસારનાં કામ ગમે નહીં. ભક્તિ નથી થતી એ દુઃખ છે. ભક્તિ હોય તે મુક્તિ સહેજે આવે.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં;
વહ કેવલકે બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. ” કેટલું ફેરવવાનું છે? શુભાશુભ ભાવમાં જીવ છે. શુદ્ધભાવ નથી. બીજા ભા ન ભુલાય ત્યાંસુધી શુદ્ધભાવ કેમ કરી આવે ? જગત પ્રત્યે વૈરાગ્ય વિશેષ રાખે. આત્માને હિતકારી શું છે? એ વિવેક આવે, ત્યારે ભક્તિ પ્રગટે. આ કાળમાં ભક્તિની વાત પણ સાંભળવા ન મળે એવું થઈ ગયું છે. તેથી ભક્તિ નથી જાગતી. જેને પ્રેમ બીજ વેરી નાખ્યો છે. કાળ ફરી ગયેલ છે. પહેલાં સતયુગમાં તે મહાપુરુષના યેગ આદિની અનુકૂળતા સહેજે મળી આવતી. પરંતુ આ કાળમાં તે ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે એવું થઈ ગયું છે. જીવ ધર્મનાં સ્થાનમાં પણ બીજી ઈચ્છા રાખે છે.
જ્યાં જોઈએ ત્યાં કપટ, સાચ નથી. એવા જીવને જ્ઞાનીને વેગ પણ કયાંથી થાય? હનપુણ્ય જીવે છે. ચાર પ્રકારના પુરુષાર્થમાંથી કામ અને અર્થમાંથી પાછું હઠવાનું છે. એની ઈચ્છા ન રહે એવું કરવાનું છે. મોક્ષે જવું હોય તે એની ઈચ્છા ન રાખવી. કૃપાળુ દેવ કહે છે કે અજ્ઞાનીની પેઠે થઈને રહેવું છે, કેઈને ખબર ન પડે તેવી રીતે. હમણાં ધર્મ સંબંધી પણ કંઈ ન પ્રકાશવું એમ રહે છે.
[વ. ૨૯૯]
૭૮ શ્રી. રાઆઅગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ બધાને સાર કહ્યો. બધું કરીને કરવાનું જગતની વિસ્મૃતિ. મન એવું છે કે કશું ન હોય છતાં વિકલ કરી કર્મ બાંધે. બે કામ સાથે ન થાય. કાં તે એક કામ થાય, કાં તો બીજું. જગતને ભૂલી જવું છે એ લક્ષ રાખ. જેમાં માહાસ્ય લાગ્યું હોય તેમાં ચિત્ત ચાટે છે. જ્ઞાની પુરુષે જે કહ્યું છે તેમાં ચિત્ત રાખીશ તે જીવન સફળ થશે. એને માહાસ્ય લાગે તે એમાં ચિત્ત ચોંટે નહીં તે ખાવાપીવામાં ચિત્ત જાય. આ તે મેં વાંચ્યું છે, મંત્ર તે મને આવડે છે, એમ થઈ જાય તે માહાસ્ય ન લાગે. બધાં શાસ્ત્રને સાર મંત્ર છે; એમ સમજાય તે એના વિચાર આવે. જગતને ભૂલી મહાપુરુષના ચરણમાં ચિત્ત રાખવું છે, એમ જે માહાસ્ય રહે તે એમાં ચિત્ત રોટે. કર્મના ઉછાળે બીજું મનમાં આવે, પણ મારે તે જગતને ભૂલવું છે અને પુરુષમાં ચિત્ત રાખવું છે. કરવાનું તે એટલું જ છે કે જગતને ભૂલવું, તે એનું બળ વધે તેથી જીતી જાય. જે કરે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org