SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત અધ્યાત્મશાસ્ત્રોને જાણીને જે આત્મા જા હોય તો સફળ છે. આત્મા જાયે તે એને આત્મજ્ઞાન થયું. શાસ્ત્રોમાં કહ્યું છે તેનાથી પિતાના આત્માનું જ્ઞાન કરવાનું છે. આત્મજ્ઞાન ન હોય તે જ્ઞાની પુરુષને આશ્રય કરો. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના આશ્રિત બેય મોક્ષમાર્ગ કહ્યા છે. “મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. એમ શ્રી જિને કહ્યું છે.” (૫૫૧). જે સાચા આશ્રિત થયે હેય તે એ પણ મેક્ષમાર્ગમાં છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એને આઠ સમિતિ પણ કહેવાય છે. આઠ સમિતિ જેટલું જ્ઞાન જે જ્ઞાની પુરુષ પાસેથી શીખી લે તો એને સમ્યજ્ઞાન કહેવાય. “માષતુષ જપનાર મુનિને બીજું વિશેષ જ્ઞાન નહોતું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ્ઞાન હતું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન છે, તે મોક્ષ અપાવે એવું છે. સમિતિ ગુપ્તિ જાણી તેથી એ માર્ગાનુસારી થયે, મેક્ષમાર્ગે વળે. શાસ્ત્રો જીવ પોતાની બુદ્ધિથી ભણે છે, તે બુદ્ધિની કસરત છે. શાસ્ત્રો બધાં જાણ્યાં, પણ નિજ ક૯૫નાથી. પિતાની ઈચ્છા એ બધું કર્યું. સ્વછંદ રોકાય તે અવશ્ય મોક્ષ થાય. જ્ઞાનની વાત ચાલે છે, તેથી શાસ્ત્રીય જ્ઞાનને પણ જ્ઞાન ન માની બેસે, માટે ચેતાવ્યા છે. “નિજકલ્પનાથી કે ટિ શાસ્ત્રો, માત્ર મનને આમળે.” ગૌતમસ્વામીને મહાવીર સ્વામીએ વેદથી જ સમજાવ્યા. જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં. પણ જે અજ્ઞાની હોય, ને જૈનનાં શાસ્ત્રો વાંચે, તેય મિથ્યાત્વી છે. જ્ઞાનીએ વેદનાં વચનામાંથી પણ આત્મા દેખાડયો. સમ્યગ્દર્શન છે તેને બધું સવળું છે. મિથ્યાદષ્ટિ હોય તેને કેવળ જ્ઞાનીનાં વચને પણ અવળાં પરિણમે. ગૌતમસ્વામી પાંચસે શિષ્યોને ભણાવતા પણ આત્મા છે કે નહીં? એમ ગોથાં ખાતા હતા. વેદમાં એક ઠેકાણે આત્મા છે એમ કહ્યું છે, બીજે ઠેકાણે આત્મા નથી એમ કહ્યું છે, તેથી શંકા રહેતી. સ્વાદુવાદ એમની પાસે નહોતે. કૃપાળુદેવ મુમુક્ષુઓને વેદાન્તનાં પુસ્તકો વાંચવા આપતા. તેમાંથી ત્યાગવૈરાગ્યની વાતે ગ્રહણ કરવાની છે એમ કહેતા. વેદાંતમાં એકાંત દષ્ટિ છે. નિશ્ચયનયથી એમ છે અને વ્યવહાર નયથી આમ છે એમ નથી માનતા. શ્રેણિકને વ્રત પચ્ચખાણ ન હતું, પણ અનંતાનુબંધીને ક્ષય કરી લાયક સમ્યગ્દર્શન ઉપાર્જન કર્યું. તે મહાપ નામે તીર્થંકર થઈમેક્ષે જશે. [વ. ૨૮૨] ૭૭ શ્રી. રાવ આહાર, ફાગણ સુદ ૧૨, ૨૦૦૮ સત્સંગને રોગ હોય તે જીવને શાંતિ થાય છે. આત્મસ્વરૂપ ઓળખ્યા પછી તેમાં રસ આવે છે. તન્મયપણે ભક્તિરસ ગાય ત્યારે શાંતિ થાય. આ જગતનું સ્વરૂપ વિચારે તે વૈરાગ્ય થાય એવું છે. જગતમાં ક્યાંય સુખ નથી. અખંડપણે હરિરસ ગાયા વિના શાંતિ ન થાય. સમ્યગ્દર્શન થયા પછી મેક્ષની રુચિ થાય છે. પછી કંઈ ગમે નહીં. વ્યાસજીને નારદઋષિ મળ્યા ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં ઘણું શાસ્ત્રો લખ્યાં છે, પણ શાંતિ થઈ નહીં. નારદઋષિએ કહ્યું કે ભક્તિમાં લીન થાઓ. ત્યારપછી વ્યાસજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy