________________
બધામૃત સુખ દુખ બધું સહન કર્યું, પણ જેને માટે બધું કરવાનું હતું તેને ભૂલી ગયે. આસનને જોયું તે આસન લગાવતાં શીખે. પણ આત્માને ભૂલીને એ કર્યું, તેથી ભૂલ પડ્યો. જિજ્ઞાસા હોય અને જ્ઞાન મળે તે સવળું થાય નહીં તે અવળું થાય, આછું જાય, તપની ઘણી વિધિઓ છે, તે બધા પ્રકારનાં તપ પણ કર્યા, દેખાય છે તે બધું કર્યું. ઉદાસ થઈ ગયે, ઉદાસ થઈને શું કરવું તે રહી ગયું. અનંત કાળને પુરુષાર્થ નકામે ગયે, તે હવે તે વિચાર. બહારનાં બધાં સાધનેને પુરુષાર્થ કર્યો, પણ કંઈ હાથ ન આવ્યું. નિષ્ફળ થયું. માટે મારાથી તે કંઈ થતું નથી, એમ કરી જ્ઞાની પુરુષ પાસે જા. “બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વ જા, પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે” (૭૬). આત્મા લેવા જ પડે એ નથી, પિતાની પાસે જ છે. પણ સદ્દગુરુ વિના સમજાય એવું નથી. સમજે તે સહજ છે, નહીં તે અનંત ઉપાસે પણ નથી. જ્ઞાની પુરુષે કહે છે કે પ્રાપ્તની પ્રાપ્તિ કરવી છે. જેમ એના ઘરમાં ધન દાટેલું હોય, પણ એને ખબર ન હેય. તે એને પ્રાપ્ત તો છે, પણ ભાન નથી. બેભાન છે, તેને બદલે ભાન કરવાનું છે. કૃપાળુદેવ કહે છે કે અમને દયા આવે છે. એની પાસે ધન છે પણ ઉપર દેવું કરીને ખાવું પડે છે. નિર્મળ ગુરુની જરૂર છે. કેઈ સદ્દગુરુ શોધીને તેના પ્રત્યે પ્રેમ કરવાને છે. પકડ નથી જીવને. જ્ઞાનીપુરુષ કહે તે પકડાતું નથી. આ કાને સાંભળે ને આ કાને જતું રહે છે. બાકી જ્ઞાની તે ઘણુંય કહે છે. જ્ઞાની પુરુષની આજ્ઞા સિવાય તને પણ પ્રવર્તે નહીં, મન પણ પ્રવતે નહીં, ધન પણ પ્રવર્તે નહીં. બધું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે. એક શ્વાસે રવાસ સિવાય કંઈ આજ્ઞા સિવાય ન પ્રવર્તે. “કઈ પણ પ્રકારે સદ્દગુરુની શોધ કરવી. શેધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરા ધન કરવું” (૧૯૮). એની આજ્ઞા પ્રમાણે વર્તે તે પછી અમૃતરસ પાવે. આ બધું દુઃખ જાય તે અમૃત છે. સદ્દગુરુ પ્રત્યે પ્રેમ થાય તે સદ્ગુરુની કૃપા પણ એને પ્રાપ્ત થાય. એ જ સાચે સુધારસ છે અને એથી જ ગુરૂગમ મળે છે. જ્ઞાની પુરુષ તે યોગ્યતા જુએ છે. સોભાગભાઈની ગ્યતા દેખી તે અમે તે એના દાસ છીએ એમ કૃપાળુદેવને થયું. જ્ઞાનીપુરુષે એ જ સુધારસ વર્ણવ્યો છે. મોઢામાંથી ઝરે તે સુધારસ નહીં. સમ્યગ્દષ્ટિ થાય તે તે મળે એવું છે. સમ્યગ્દર્શન થાય તે પછી અમર થઈ જાય. બધાનું કારણ આ કહે છે કે પરમપ્રેમ પરમાત્મા પ્રત્યે થાય, સમ્યગ્દષ્ટિ આવે તો એને આગમની સાચી વાત પ્રગટ થાય. કોઈને પછી પૂછવા જવું પડે નહીં, અનુભવમાં આવે.
બધાં સાધનો કર્યા પણ સ્વછંદ હતું તેથી ખામી આવી. દેખાદેખી કર્યું. સુગુરુ જોઈએ. કુગુરૂને આશ્રયે બધું કર્યું. જે દેખાય છે તે વસ્તુ પ્રત્યે પ્રેમ થાય છે. પણ જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થતું નથી. પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. જ્ઞાનીઓને એ જ કરાવવું છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org