SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન સાંભળ્યું તે પછી અભ્યાસ થાય. આ દેહના પુદ્ગલને ધર્મ છતાં હું ગોર, કાળો એમ થાય છે. તે અહંભાવથી હું રહિત નથી. અન્ય ધર્મથી રહિત થતું નથી. વખતે ત્યાગી દે, પણ નિર્મળપણે નિવૃત્તિ કરતો નથી. ધન વગેરે બધું ત્યાગી સાધુ થયો હોય, પણ ધનાદિની ઈચ્છા એને રહ્યા કરે છે. વારંવાર પ્રભુશ્રીજી કહેતા કે ચોકખે થઈને આવ, ચોકખો થઈને આવ. વારંવાર વિચારી જીવને પૂછવું કે એવા એવા દોષો છે તે કેમ મોક્ષે જવાશે? મુમુક્ષુ થવું હોય તો અહંભાવ કરવાને નથી. ચક્રવતી હોય અને દીક્ષા લે, તેના કરતાં દાસીના છોકરાએ પહેલાં દીક્ષા લીધી હોય અને ચક્રવતી તેને અહંભાવથી વંદન ન કરે તો તેને રખડી મરવાનું છે. અહંભાવના કણિયા પડયા છે, તે બધા વીણું વીણીને કાઢવાના છે. પિતાનામાં દે છે, પાપ છે, તે તે નથી, નહીં તે શરમ આવે. ઊંડી દષ્ટિ નથી. ઉપર ઉપરથી દેખે છે. ' હે ભગવાન! હું આપની આગળ શું મોટું દેખાડું? કાંઈ સાધન મેં કર્યું નહીં અને મારામાં એકેય સદ્ગુણ પણ નથી. તે શું મેઢું બતાવું? સાધન નથી અને ગુણ પણ નથી. વખતે ગુણ હોય તો સાધન થાય. ગુણ ન હોય તે ભગવાન શું કરે? પણ હે ભગવાન, તું તે કરુણાની મૂર્તિ છે. તારામાં દયા દયા સિવાય બીજું છે જ નહીં. દીનબંધુ અને અનાથોના નાથ છે તેથી અમારે હાથ ઝાલાજે. બાકી મારામાં તે એક પણ સદ્દગુણ નથી. પરમ અનાથ છું, છતાં અભિમાનથી ભરેલું છું. તેથી અનંતકાળથી રખડો છું અને કેઈ પુરુષનાં ચરણ સેવ્યાં નથી. આજ્ઞા ઉઠાવી નથી. - ભક્તિ આવે તે જ્ઞાન થાય. જીવને દુર્લભ વસ્તુ મળી છે પણ જોઈએ એ લાભ લઈ શકતું નથી. [વ. ૨૬૫]. ૭૪ શ્રીરાત્રે આ અગાસ, શ્રાવણ સુદ ૯, ૨૦૦૯ - યમ નિયમ સંયમ આપ કિ.” જીવ અનંતકાળથી ભટકે છે. એ બધાં સાધન નથી કર્યા એમ નથી. જે દેખ્યું તે કરવા માંડયું. મુખથી મૌન રહ્યો. આસન પણ દઢ લગાવ્યાં. પણ બધું આત્માને ભૂલીને કર્યું. હવે શું કરવું?તે કૃપાળુદેવે લખ્યું છે– સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયો હોય, તે પુરુષે આત્માને ગવેષ અને આત્માને ગષો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષો તેમજ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પોતાની સવ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞાને ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે, તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)” (૪૧). આ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે. આખી દ્વાદશાંગીનું એ જ કહેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy