SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત પાણુ ભાવે. આત્માને જિજ્ઞાસા જાગી હોય તે રસ્તો છે. આત્માને સમજવાની જિજ્ઞાસા જાગી હોય તે અનાદિની રીત છે કે ગુરુથી જ્ઞાન થાય. “બુઝનકી” એટલે સમજવાની રીત છે. પંચમકાળમાં મોક્ષમાર્ગ ન હોય એમ કહે છે, પણ ઘણા પુરુષ એવા થઈ ગયા છે કે જેમણે એ અખંડ વસ્તુ પ્રાપ્ત કરી છે. એ કંઈ કલપના નથી. “કઈ નર” એટલે કેટલાક પુરુષોએ. મિથ્યાત્વ અવસ્થામાં શું થાય છે? બીજાને ઉપદેશ દેવા જાય છે. પણ પહેલાં ઉપદેશ લે, એમ કહે છે. દાસત્વભાવ આવે ત્યારે એને ગુરુ પ્રત્યે ખરી ભક્તિ જાગે. ગુરુનું ઠેકાણું હેય નહીં અને જપતપ કરે, લેકે વખાણે પણ તેથી એનું કંઈ થાય નહીં. સરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે. [વ. ૨૬૨]. ૭૧ શ્રીરાત્રે આ અગાસ, દિ. શ્રાવણ સુદ ૭, ૨૦૦૯ સત્સંગ ચોથા આરામાં પણ દુર્લભ વસ્તુ છે. તે આ કાળમાં દુર્લભ હેય એમાં કંઈ આશ્ચર્ય કે નવાઈ નથી. મહાપુણ્ય હોય ત્યારે સત્સંગ મળી આવે. એ વેગ ન હેય ત્યારે સત્સંગની ભાવના કરવી, અસત્સંગમાં ઉદાસીનતા રાખવી. આત્મગુણ પ્રગટે એ પુરુષાર્થ કરે. સત્સંગની ભાવના રાખવી અને નિવૃત્તિને ગ રાખી જ્ઞાની પુરુષનાં વચને વાંચવાં, વિચારવાં. નહીં તો આ કળિકાળમાં બનવું બહુ મુશ્કેલ છે. સત્સંગ ન મળે એવું નથી; સત્સંગ મળે છે, પણ દુર્લભ છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે પત્ર (૫૩૪)માં લખ્યું છે કે વીશ દેહરાની અનુપ્રેક્ષા કરશે તે આત્મગુણ પ્રગટશે, તેમ આપણને પણ વિશ દોહરા, યમનિયમ, ક્ષમાપના અને અનુપ્રેક્ષા કરવાનું કહ્યું છે. તે જે કરે તે આત્મગુણ પ્રગટે. પુરુષાર્થ ન કરે તે સત્સંગની ભાવના પણ જતી રહે. ક્યારે નિવૃત્તિ મળશે? બપોરે સાંજે સવારે, જેમ બને તેમ નિવૃત્તિ મેળવું. એવી ભાવના કરવી. નહીં તે આખી જિંદગી પ્રવૃત્તિમાં ગાળે. નિવૃત્તિ નથી મળતી તેથી રસ પણ નથી આવતે. નિવૃત્તિ મળે એ પુરુષાર્થ કર. નિવૃત્તિ જીવને ગમતી ય નથી. નિવૃત્તિ મળે તે છોકરાને લઈને બેસે છે. જૂઠાભાઈનાં પત્ની ઉગરીબેનને રહેતું કે મારાથી કંઈ થતું નથી. શું કરવા જીવવું છે? તેની ખબર નથી. એમ કૃપાળુદેવને લખ્યું. કૃપાળુદેવ લખે છે કે એવું જે રહે તે લાભ છે. આ ભવમાં આત્મકલ્યાણ કરવું. એ કરવાનો વખત આવ્યું છે. એવોને એવાં પરિણામ રહે તે એને જે કરવાયોગ્ય છે તે થાય અને સમજાય કે એ જ કરવાગ્યા છે. તે કૃતકૃત્ય થવાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસે.” મારે શું કરવું છે? એ જ વિચાર નથી આવતું. હળુકર્મી જીવ હોય તેને એ વિચાર આવે છે. શું કરવું? એની મને ખબર નથી. હું કરું છું તે તે ખોટું છે, એમ જે રહ્યા કરે તે કામ થાય. આત્મકલ્યાણ કરવાગ્યા છે. એ થાય તે સારું એવી ભાવના કરવી. દેષ કરે છે તેથી કર્મ બાંધે છે. તેના ત્રણ ભેદ પાડયા ઃ (૧) કંઈ કરવાગ્યને વિચારેય નથી. શું કરવા જેવું છે? એનું ભાન નથી. મેહમાં જેની વૃત્તિ છે. પરમાર્થનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy