SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન વૈરાગ્ય.” આ જ સપુરુષ છે એમ થાય, તો પોતાના સ્વરૂપનું ભાન થવાનું કારણ થાય છે. પદાર્થનિર્ણય થાય ત્યારે ચિત્ત શાંત થાય, વ્યાકુળતા ન રહે. બધાનું કારણ પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય તે છે. તેથી પદાર્થને નિર્ણય થાય, તેથી વ્યાકુળતા માટે, ત્યાર પછી નિઃસંગ થાય. કે પછી એને દુઃખરૂપ લાગતું નથી. બધા દુઃખથી નિર્ભય થઈ જાય. મરણ આવે તે પણ નિર્ભય રહે છે. દુઃખથી જીવ ડરે છે અને દુઃખને દૂર કરવા બહારના ઉપાય કરે છે. જીવનું કલ્યાણ થાય એવી વાત કહી. કેઈ શાસ્ત્રમાં આવી વાત ન મળે. - કળિયુગમાં જે પુરુષાર્થ ન કરે તે બીજી વસ્તુઓમાં તણાઈ જાય, દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય એવું છે માટે એક ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું. [વ. ૨૫૭] ૬૯ શ્રી રા. આ અગાસ, શ્રાવણ સુદ ૭, ૨૦૦૯ જ્યાંસુધી ગૃહસ્થાવસ્થા છે ત્યાંસુધી ધર્મ કહે નથી એમ સામાન્યપણે કૃપાળુદેવે રાખ્યું છે. ગૃહસ્થ અવસ્થામાં ધર્મ સંબંધી વાતચીત ન થાય તે સારું એમ એમની વૃત્તિ છે. સોભાગભાઈ યોગ્ય જીવ છે, તેથી તેમને ધર્મ સંબંધી વાત કહે તે અપવાદરૂપ છે. કૃપાળુદેવ કહે છે કે કહેવાની ઈચ્છા છે, પણ તેને કહીએ? પ્રભુશ્રીજી કહેતા કે ગળા સુધી ભરેલું છે, પણ કોને કહીએ? વારંવાર એ જ કહેતા કે ચોગ્યતા લાવે. કંઈક સમાગમ થયા પછી લખાય તે કંઈ અસર કરે, નહીં તે સમજાય નહીં. કૃપાળુદેવને પેટ દેવાનું સ્થાન મળે તે સારું એમ રહે છે. કેઈગ્ય જીવ હોય તેને કહેવાય. પ્રભુશ્રીજી કહેતા કે કંઈ ભીંતને કહેવાય? કૃપાળુદેવને વારંવાર એવા વિચારે રહ્યા કરે છે. જીવ તો અનાદિકાળને ભૂલના સ્વભાવવાળો છે. અનાદિકાળથી જીવ દોષિત છે. મહાપુરુષે દે ભણું દષ્ટિ પણ કરતા નથી. મિથ્યા સમજણ છે તેથી અનંત દે છે, મિથ્યાત્વરૂપ જ છે. એની દયા ખાવા જેવું છે. એના દોષ જેમ જાય તેમ જ્ઞાની પુરુષ કહે છે. દે વધે તેમ ન કહે. અણસમજણ અને અસત્સંગ ઠેકાણે ઠેકાણે છે. અણસમજણને રસ્તે નથી જવું એમ કેઈકને જ થાય છે. કેમકે અણસમજણ તે છે જ અને પછી અસત્સંગને પ્રસંગ મળે છે, તેથી એ જ પોષાય. અણસમજણ અનાદિકાળની છે તેથી આંધળો છે. મિથ્યાત્વ અવસ્થામાં કંઈ વળે એવું નથી. માટે જેની પાસે જ્ઞાન છે તેની સેવા કરવાનું કહે છે. [વ. ૨૫૮] ૭૦ કૃપાળુદેવે આ “બિના નયન” લખ્યું તે વખતે એવી ચર્ચા ચાલતી કે આંધળાને સમ્યગ્દર્શન ન થાય. તેથી ચેતવણી આપવા આ પદ કૃપાળુદેવે લખ્યું છે. પંડિતજી—“બિના નયન પાવે નહીં એટલે નય વિના ન પાવે, એમ પણ અર્થ થાય. પૂજ્યશ્રી–મતિકલ્પનાએ અર્થ કરવાની ના કહી છે. પહેલાં તરસ લાગી હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy