SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત (૨) પરમ દેખ્યત્વની ઓછાઈ એ પણ એક દોષ છે. પરમ દૈવત્વ શું છે? તે કહે છે. સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થાય. આત્માની યથાર્થ શ્રદ્ધા થાય તે દઢતા થાય અને પ્રભુ પ્રભુ લય લાગે. પુરુષ ઓળખાય છે એ તો આખા જગતના શિષ્ય જેવા છે. સર્વ જીને સિદ્ધ સમાન જાણે છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે તે કૃપાળુદેવને માનતા હોય તેને દાસના દાસ છીએ. “માનાદિક શત્રુ મહા, નિજ દે ન મરાય, જાતાં સદ્દગુરુ શરણુમાં, અ૯૫ પ્રયાસે જાય.' જ્ઞાની પુરુષ ઓળખાય તે એમ થાય કે એમનામાં માન નથી. તેથી દૈન્યત્વ આવે, માન ન થાય. પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને હું અધમાઅધમ છું એવી ભાવના પરમ દૈન્યપણું હોય તેને થાય છે. એ પરમ દૈન્યપણું અટકયું છે, ટકતું નથી, ત્યાંસુધી ગ્યતા આવતી નથી. ખરી રીતે લઘુતા આવે ત્યાંથી જ ધર્મ પ્રગટે છે. પુરુષનું માહાત્મ્ય સમજાય ત્યારે જ લઘુતા આવે છે. “રાણો થાય છે, તેથી માન રહેતું નથી. પછી સમજાય કે “ts૬'. (૩) જ્યાંસુધી પદાર્થનો નિર્ણય એટલે આત્મજ્ઞાન ન થાય, ત્યાંસુધી શાંતિ થાય નહીં. મિથ્યાત્વ અવસ્થામાં સમતા આવે તેય મિથ્યા છે. મને જે દેખાય છે તે ખોટું છે એમ ન થવાથી પ્રેમ પ્રભુ પ્રત્યે આવતું નથી. આમા ઓળખ્યા વિના સમતા આવે છે તે જીવને મેક્ષે ન લઈ જાય, ઊલટે આ લઈ જાય. જે જીવ કરે છે તે સફળ થતું નથી, આત્મજ્ઞાન થાય ત્યારે બધું સફળ થાય. એ કરવા માટે એને લક્ષ રાખીને સમતા રાખે તો મિથ્યાત્વ જવાનું કારણ થાય. મિથ્યા સમતા શા માટે કહી? તે કે ટકી રહેતી નથી. કેઈએ મુનિને પૂછયું કે મહારાજ ! આપનું નામ શું? તો કે શીતલદાસ. થડી વાર પછી ફરી પૂછ્યું: મહારાજ આપનું નામ મહારાજે કહ્યું, શીતલદાસ. એમ ત્રણચાર વાર પૂછ્યું ત્યારે મહારાજ ગરમ થઈને બોલ્યા, સાલા બાર બાર પૂછતા હૈ! એમ અગ્નિદાસ થઈ ગયે! બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં.” તેને બદલે અગ્નિ જે થઈ જાય. આત્મજ્ઞાન થયું હોય તો ભલે ગાળ ભાંડે, તેય મને શું લાગે છે ? એમ થાય. કૃપાળુદેવ પિતાને અનુભવ કહે છે કે એ ત્રણ દેશે ઘણું મુમુક્ષુઓમાં અમને દેખાયા છે. પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થઈ જાય તે પછી પરમ પ્રેમથી અર્પણબુદ્ધિ કરે. એમ થતાં બીજા બે દે જાય. પ્રેમ જગતમાં છે તે ઉઠાડી એમનામાં જડે તે મેક્ષ થાય. મુમુક્ષુતા પ્રગટાવવી પિતાના હાથમાં છે. મેહનાં કારમાં રાજી ન થવું, મૂંઝાવું. મુમુક્ષુ છે તે પિતાના દેષ જુએ છે. જેથી આત્માને શાંતિ આવે એ કરવાનું છે. મહાત્મા પ્રત્યે પ્રેમ થવા તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું. નહીં તે કેઈના કહે વાથી માન્યું હોય તે ટકે નહીં. જેટલી મુમુક્ષતા હેય તેટલા સપુરુષ ઓળખાય. મહાસક્તિ ઘટયા વગર મહાત્મામાં દઢ નિશ્ચય થાય નહીં. મને ફલાણું આપે, એમ ઈચ્છા કરે. મહાત્મા પ્રત્યે પરમ પ્રેમ કરવાનું છે. જ્યારે ત્યારે જીવને ભાવ થશે ત્યારે છૂટવાનું થશે. મહાત્મા એમના એમ કંઈ ઓળખાતા નથી. દેહદષ્ટિ ફરે ત્યારે ઓળખાય. જેટલી મુમુક્ષુતા આવશે, મોહથી મુંઝાશે, તેટલું સપુરુષનું એાળખાણ થશે. “ગુરુ ઓળખવા ઘટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy