________________
બધામૃત પણ એને નિઃશંકતા અને આત્મામાં પણ નિઃશંકતા આવે છે. પુરુષમાં નિઃશંક થાય તેને આત્માને નિર્ણય થાય અને એ નિર્ણય થાય તે પછી દુઃખ વગેરેથી એને ભય લાગતું નથી. નિર્ણય થઈ ગયે તે પછી એને કંઈ ભય ન રહે અને નિઃસંગ થઈ જાય. જ્ઞાની પુરુષ સમજાય તે એને આત્મા સમજાય, તેથી બધાં દુઃખથી નિભય થઈ જાય. ભયથી જીવ પરિગ્રહ રાખે છે. આત્માને વાંકે વાળ થવાને નથી, એમ થઈ જાય તે બધા સંગથી અસંગ થઈ જાય. “હું દેહ નથી” એમ થાય ત્યારે એવું થાય. પછી આત્માને માટે દેહની સંભાળ રાખે, દેહને માટે ન રાખ. સમજણ આવી હોય તે એવું થાય.
જીવને દોષે અનંત છે. રોજ બેલીએ છીએ “હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” અનંત પ્રકારના દેશમાં મોટામાં મેટે દોષ તે તીવ્ર મુમુક્ષતા નથી કે મુમુક્ષુતા જ નથી એ છે. બધા જ ધર્મ પાળે છે. જીવ ગમે તે ધર્મ પાળતું હોય અને માને કે હું મુમુક્ષુ છું, પણ એ મુમુક્ષુતા નથી. મનુષ્યમાત્ર ગમે તે ધર્મને માને છે. દરેકને ધમ ગમે છે અને તે પ્રમાણે કરવાની માન્યતા હોય છે, પણ એ મુમુક્ષુતા જ્ઞાની પુરુષોએ સ્વીકારી નથી. તેનું નામ મુમુક્ષુતા નથી એમ કૃપાળુદેવ કહે છે.
મુમુક્ષુ છું કે નહીં ? એ તપાસવા માટે જ્ઞાની પુરુષે કસોટી આપે છે. આખું જગત મેહનાં કારણેમાં મીઠાશ માને છે, જગતના જીવેને જ્યાં આસક્તિ થાય છે, ત્યાં મુમુક્ષુને મૂંઝવણ થાય છે. મોહનાં કારણેમાં રાજી ન થાય, પણ મૂંઝાય અને છુટાય એવે રસ્તે વતે તે મુમુક્ષુ છે. મોહનાં કારણોથી મૂંઝવણ થાય, સંસાર ઝેર જેવો લાગે ત્યારે સુમુક્ષ થયો કહેવાય. નહી તો એને સંસારની ઈચ્છા છે. પરિગ્રહનું સ્વરૂપ એવું છે કે પછી એને છેડવા ધારે તેય છૂટે નહીં. મેહથી મૂંઝાય તો મોક્ષના માર્ગની પ્રતીતિ થાય કે આ રસ્તે છુટાય છે. જેને છૂટવું છે તેને કૃપાળુદેવ રસ્તે બતાવે છે. જેને નથી છૂટવું તેને માટે કંઈ નથી કહેવું. મુંમુક્ષુતા નથી એ જ ખામી છે. એ મુમુક્ષુતા જેમ જેમ આવશે તેમ તેમ છુટાશે. તીવ્ર મુમુક્ષતા આવી જ્યારે કહેવાય? એક ક્ષણ પણ નકામી ન જાય, ક્ષણે ક્ષણે મોક્ષના માર્ગમાં અનન્ય પ્રેમે પ્રવતે. એ ઉલ્લાસભાવ આવે ત્યારે તીવ્ર મુમુક્ષુતા આવી કહેવાય. તે વિષે પણ અહીં કહેવું નથી.
અહીં તે મુમુક્ષુતા વિષે કહેવું છે. મુમુક્ષતા નથી એ ખામી છે. એ મુમુક્ષુતા જેમ જેમ આવશે તેમ તેમ છૂટવા માટે પ્રયત્ન કરશે. બધાય કંઈ મુમુક્ષરૂપે જન્મે એમ નથી. પૂર્વે પુરુષાર્થ કર્યો હોય તે મુમુક્ષુરૂપે જન્મે છે. તીર્થકર ભગવાન જેવા જન્મથી જ મુમુક્ષરૂપે હોય છે. પણ જેને મુમુક્ષુતા ઉત્પન્ન કરવી હોય, તેને રસ્તે બતાવે છે કે પિતાના દે જુએ, બીજાના દોષ ન જુએ. પિતાના દોષે જુએ અને ટાળવાને ઉપાય કરે તે છૂટે. દેને પક્ષપાત કરે તે એને છોડવાની ભાવના ન થાય. કપડા ઉપર ડાઘ પડયો હોય તો ધોઈ નાખવાનું મન થાય. દેષ નથી દેખાયા તેથી લાગતું નથી, નહીં તે. શરમ આવે એવું છે. દેષમાં પક્ષપાતતા એટલે હું એકલે જ કયાં આ દેષ કરું છું, બીજાય કરે છે ને? બીજા કરતાં હું તો સારે છું. એમ પક્ષપાત કરે તે દે જાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org