SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-નવવેચન ૫૮ [વ. ૨૫૪] ૬૭ બેંગલર સીટી, માત્ર સુદ ૩, ૨૦૦૮ પહેલાં નિઃશંક થવાનું છે. જીવને ભયનું કારણ શંકા છે. મોટામાં મોટો ભય જન્મમરણને છે. તે ભય સમ્યગ્દર્શન થાય ત્યારે જાય. સંસાર ભયથી ભરે છે, માત્ર વૈરાગ્ય જ ભયરહિત છે. વૈરાગ્ય ઉત્પનન થવાનું કારણ પુરુષ છે. નાશવંત વસ્તુઓ ભયવાળી છે. જીવને ભય હોય ત્યારે પરિગ્રહ એકઠા કરે છે. જેમ ગાડીમાં એક ગામથી બીજે ગામ જતા હોય, ત્યારે જે જે વસ્તુઓ વગર મને અગવડ પડશે એમ ભય લાગે તે તે વસ્તુઓ સાથે લે છે. તેમ ભયને લીધે જીવ પરિગ્રહ એકઠી કરે છે. આત્માનું સુખ અચિંત્ય ચિંતામણિ છે, તેની ખબર નથી. સુખી થવાનું કારણ નિઃશંકતા છે. જીવને અનેક પ્રકારનાં કમ છે તેથી તેને સ્વભાવ અનેક પ્રકારે પ્રવર્તે છે. જીવને દુઃખી થવાનું કારણ કર્મ છે. જેવું કર્મ ઉદયમાં આવે તે રૂપે જીવ થઈ જાય છે. એ રીતે દેષના પણ અનંત પ્રકાર ભાસે છે. તે અનંત મને માટે દેષ એ છે કે જીવને છૂટવાની ભાવના નથી થતી. મુમુક્ષતા આવવી બહુ મુશ્કેલ છે. “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય.” એ ગુણેની તપાસ કરવી કે એ ગુણે મારામાં છે કે નહીં? જે એ ગુણે ન હોય તે જાણવું કે મુમુક્ષુતા નથી. મુમુક્ષતા આવે તે બધાય દે જવા લાગે. જીવને સંસારનું સ્વરૂપ સમજાયું નથી, પિતાના સ્વરૂપનું ભાન નથી, તેથી મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી. મુમુક્ષતા ઉત્પન્ન ન થવાનું કારણ આગ્રહ છે. મનુષ્યમાં વિચાર કરવાની શક્તિ હોય છે, તેથી જાણી શકે છે કે મારે જવાનું તે છે જ, તેથી ધર્મ કરીને સુખી થઈશ. એમ વિચારીને પિતાની મેળે આચરણ કરે અને કહે કે હું તે ધર્મ કરું છું, પણ તે ધર્મ ન કહેવાય. જ્ઞાની પુરુષના બતાવેલે રસ્તે ચાલે તે ધર્મ કહેવાય છે. પોતાની માન્યતાએ જે કરે તે મિશ્યા છે. મુમુક્ષુતા આવે ત્યારે મોહાસક્તિ છૂટી જાય. એ સમજણ વગર થાય એમ નથી. સંસારનાં બધાં કારણોનો ત્યાગ કરે ત્યારે થાય. છેડીને અભિમાન કરવાનું નથી. બકરું કાઢતાં ઊંટ ન પેસી જવું જોઈએ. પૂર્વ પ્રારબ્ધને લઈને પ્રવર્તવું પડે તેમાં રાજી ન થાય. એક મોક્ષને લક્ષ રાખીને મોહનાં કામ કરવાં પડે તો તેમાં મૂંઝાય છે. કારણ કે સાચાને સાચું જાણ્યું છે. તીવ્ર મુમુક્ષુતા એટલે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમ મેક્ષના માર્ગમાં પ્રવર્તવું. તેને હવે બીજું કંઈ ન જોઈએ. તીવ્ર મુમુક્ષતાવાળા પુરુષે વિરલ છે. મુમુક્ષુતા ક્યારે આવે છે કે પોતાના દેષ જોવામાં પક્ષપાત કરે નહીં અને બીજાના દેષ ન જુએ છે. પિતાના દેષ કાઢવા માટે કટાક્ષદષ્ટિથી જુએ, એ મુમુક્ષુતાનું લક્ષણ છે. પિતાની સંભાળ લેવાનું જીવ ભૂલ્યા છે. દોષે તપાસી પશ્ચાત્તાપ કરે તે મુમુક્ષુતા આવે. [વ. ૨૫૪] ૬૮ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ સુદ ૬, ૨૦૦૯ - નિઃશંકતા શાને કહેતા હશે? જ્ઞાની પ્રત્યે નિઃશંકતા હોય તે જ આત્મામાં નિઃશંકતા આવે. નિઃશંકતાથી વચન ગ્રહણ કરે, તેથી આત્માની નિઃશંકતા આવે. નિમિત્તમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy