SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ધામૃત [વ. ૨૪૯] ૬૬ શ્રી. રાવ આહેર, ફાગણ સુદ ૧૦, ૨૦૦૮ આ કાળમાં જ્યાં વૃત્તિ સ્થિર રાખવી જોઈએ, ત્યાં જીવ નથી રાખી શકતો. દિવસે દિવસે સારાં સાધનો અને પુણ્ય વગેરે ઓછાં થતાં જાય છે, તેથી આ કાળને કળિયુગ કહ્યો છે. પુરુષને વેગ હોય તે સાચી વસ્તુ સમજાય. જીવને ધર્મમાં ઉલ્લાસ વધે તે આગળ વધી શકે. મુમુક્ષુતાની ખામી છે. દરેક વસ્તુને પિષવાની જરૂર છે. કંઈક સત્સંગ હોય તે જીવ લીલો રહે. નહીં તે સુકાઈ જાય. જે સંગ હોય તે જીવને રંગ લાગે છે. વૈરાગ્યવાળા સંગ હોય તે વૈરાગ્ય થાય. જીવ નિમિત્તાધીન છે ત્યાં સુધી સારાં નિમિત્તે રાખવાં. સત્સંગે ઉત્તમ વસ્તુ મળે અને પિતાના દેષ દેખાય. સત્સંગને ચેગ હોય તે લીલું રહે. સત્સંગ એ બધાં સાધન કરતાં પરમ સાધન છે. જેને છૂટવું છે, તેવા સંગ કરે તે સત્સંગ છે. કૃપાળુદેવ સાચા છે એવી શ્રદ્ધા રાખવી. બને તે ઊંચી દશાવાળાને સત્સંગ કરે. તે ન હોય તે પિતાની સમાન દશાવાળાને સત્સંગ કરવો, પણ સત્સંગ કરે. સત્સંગ એ આત્માને સત્ વસ્તુ તરફ પ્રેરે છે. સાધુઓને પણ એ નિયમ હોય છે કે એકની સાથે બીજા સાધુઓ વિહાર કરે. અસત્સંગને આજુબાજુ ઘેરા હાય અને સત્પરુષને વેગ ન હોય તે ક્યાંય તણાઈ જાય. મુમુક્ષુતા પણ ન રહે. જેમકે અનાર્ય કુળમાં રહેલો જીવ પોતાને સાથે માને છે, તેમ જીવ મિથ્યાત્વમાં છે ને તેને સારું માને છે. સારી વસ્તુમાં રુચિ થતી નથી. કાળ એ છે. પરમ સત્સંગની બલિહારી છે. કથાઓમાં આવે છે કે કોઈ મહાપુરુષને સમાગમ થયો કે તરત પલટાઈ જતા અને સાધુ થઈ જતા. પરમ સત્સંગ હોય તે વધારે બળ ન કરવું પડે, સહજે થાય, એવા ભાવ સારા રહે છે. કલ્યાણ કરવાની ભાવના હોય તે સત્સંગે તેની વૃદ્ધિ થાય છે. તે ભાવના ન હોય તોય સત્સંગે તે થઈ જાય છે. કષાયની મંદતા ત્યાં થાય છે. જી તીર્થંકરની પાસે સમવસરણમાં આવતાં જ વેર બધું ભૂલી જાય છે. દીવાને પવન ચંચળ કરે છે તેમ આત્માને કષાય ચંચળ કરે છે. કષાય મંદ થાય તે પરિણામ શાંત થાય છે. પ્રભુશ્રીજી પાસે જતા ત્યારે આ પૂછું, આ પૂછું એમ થતું પણ પછી બધું ભૂલી જવાતું, સમાધાન થઈ જતું. તેઓના બાલતાં જ સમાધાન વગર પૂછયે જ થઈ જતું! મહાપુરુષને સમાગમ હોય અને તેઓ બોલે કે ન બોલે તે પણ સમાગમ ઘણે લાભકારી છે. અત્યારે મારે શું કરવું જોઈએ? એ મહાપુરુષના યોગે સમજાય છે. થડે પણ સમાગમ ઘણે લાભકારી થાય છે. પુરુષને સમાગમ ન હોય, પણ વૃત્તિ તેમાં રહે તે લાભ જ છે. પ્રત્યક્ષ વેગથી વિશેષ લાભ થાય છે. તેમાં પણ સત્પરુષનું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે. બુદ્ધિમાં આવે એવી વાત નથી. આત્મા અરૂપી પદાર્થ છે, તેને ખ્યાલ આવે બહુ મુશ્કેલ છે. જે કરવા જેવું છે, તે સત્પરુએ સમજાવ્યું છે. અહંભાવમમત્વભાવ છેડવાના છે. “સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી.” (૩૭૫). પ્રત્યક્ષના ગે ઘણે લાભ થાય છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બેઉ જોઈએ, તે સમ્યગ્દર્શન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy