________________
પ૭
વચનામૃત-વિવેચન કંઈ ને કંઈ કર્યા જ કરે છે. જેને લઈને સંકલ્પ-વિકલ્પ આવે છે. તેથી કમ બંધાય છે. સંક૯પ-વિકલ્પમાં જવ તન્મય થઈ જાય છે. મિથ્યાત્વ અવસ્થામાં અંતઃકેટકેટીથી ઓછાં કર્મ બંધાય નહીં. જીવ સમયે સમયે એટલે બંધ કર્યા કરે છે.
[વ. ૨૩૬]
૬૪ શ્રી. રાત્રે આ અગાસ, અષાઢ વદ ૧૪, ૨૦૦૯ (૧) તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું? મુમુક્ષુ મુમુક્ષુએ કેવા પ્રશ્ન કરવા જોઈએ તે કહે છે. તરવું હોય તે પ્રથમ શું જાણવું? તારનારને ઓળખ જોઈએ. કુસંગ હોય તેને ત્યાગ જોઈએ. બુડાડનારને ત્યાગ જોઈએ. “જેની પાસેથી ધર્મ માગે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી” (૪૬૬). સદ્દગુરુમાં ભૂલ ન થવી જોઈએ. એમાં ભૂલ થઈ તે બધામાં ભૂલ થાય, બધે સરવાળે બેટે આવે.
(૨) પરિભ્રમણનું કારણ શું? કુગુરુની આજ્ઞાએ વતે અથવા સ્વચ્છ વતે તે છે. જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, પણ ખબર પડતી નથી.
(૩) તે કારણ કેમ ટળે? અસદ્દગુરુ અને અસત્સંગ એ બધાં પરિભ્રમણનાં કારણ છે. (૪) તે કારણ ટાળવાને ઉપાય સરુ છે.
જ્ઞાનાવરણીયન ક્ષપશમ હોય, પણ મેહ મંદ ન હોય એમ બને છે. જેણે મોહ મંદ કર્યો છે તેને આત્મા ઝટ પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણીયના ક્ષપશમ કરતાં જ્ઞાન પામવાની ચેગ્યતા, જે માહ મંદ થવાથી થાય છે, તે વધારે બળવાન છે. સમજાય તેની પકડ થવી તે મોહ મંદ થયે હોય તેને થાય છે. [વ. ૨૪૧]
૬૫ શ્રી રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૮ કૃપાળુદેવનું વીતરાગાણું કેવું છે? તે વિચારવું. કૃપાળુદેવ એ ચિત્રપટ નથી, પણ કૃપાળુદેવ પરમાત્મા છે. એક આત્મપરિણતિપણે વર્તે છે. આત્મપરિણતિ કેમ સ્થિર થાય તે પુરુષાર્થ કરે. કૃપાળુદેવ એ કરતા. બીજું પ્રારબ્ધને લઈને આવતું, તે તેમને ગમતું નહોતું. એમનું હૃદય નિગ્રંથ હતું. ઉપરથી વણિક વહેવાર હતે. આપણે તે લહેર કરીએ છીએ, પણ એમને આત્મપરિણતિ ન વધે તે વેદના થતી, અને આ જીવને તે આત્મા ઓળખવાની ગરજ નથી. અજ્ઞાનદશા હોય ત્યાંસુધી અજ્ઞાન સિવાય જીવને બીજે કોઈ ભય નથી. કૃપાળુદેવને ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરતું કે આત્મપરિણામમાં કેમ રહેવાતું નથી? જેમ છોકરાને ધાવતાં છોડાવે તે દુઃખી થઈને રડે તેવું કૃપાળુદેવને આત્મપરિણામ માટે થતું. એ બ્રાહ્મીવેદના છે, વેદનીયકમ નથી. એમને આ દુઃખ થવાનું કારણ “માત્ર મોક્ષ-અભિલાષ.” એક મેક્ષ જ જોઇએ છે, તેને માટે એટલે વૈરાગ્ય છે, તેથી એમને આ દુઃખ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org