________________
૫૬
બધામૃત રાખતા. બહુ મેટા અન્નભંડાર હતા. દામાજી પંત સંત હતા અને ભગવાન પર અડગ શ્રદ્ધા હતી. એક વખતે રાજ્યમાં દુકાળ પડ્યો અને અનાજ વગર લોકો ભૂખે મરવા લાગ્યા. એમને થયું કે આ બધું અનાજ અહીં પડયું છે અને લેકે ભૂખે મરે છે, તે ઠીક નથી. એટલે એમણે બધાને એમાંથી અનાજ આપવા માંડયું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે. છેડા જ વખતમાં અનાજના ભંડાર ખાલી થઈ ગયા. રાજાને ખબર પડી એટલે એમને પકડી મગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજીએ કહ્યું મને ભજન કરી લેવા ઘો. સિપાઈઓએ એમને મંદિરમાં ભજન કરવા દીધું. આ બાજુ એક માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું કે દામાજીએ જે અનાજ લેકેને આપી દીધું છે તેના જે પૈસા થાય તે હું આપી દઉં છું. રાજાને પિસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી. એટલામાં દામાજીને લઈને સિપાઈએ આવી પહોંચ્યા. રાજાએ એમને ત્યાં જ છૂટા કર્યા અને પૂછ્યું તમારા વતી પિસા કેણ આપી ગયું? દામાજી એકદમ ખેદ કરી બેલ્યા કે મારે માટે ભગવાનને તસદી લેવી પડી એ ઠીક ન થયું. ત્યારથી રાજા પણ ભગવાનને ભક્ત થયો.
સુખી હોય તોય ભક્તિ કર્યા કરે અને દુઃખી હોય તેય ભક્તિ કરે, પણ મારું આ દુઃખ જાઓ, એમ ન કરે, એ સાચી ભક્તિ છે. નરસિંહ મહેતા વગેરેને રિદ્ધિસિદ્ધિ આત્મામાં પ્રગટી હતી, છતાં બધું કામ એમ ને એમ કરતા. ભક્તિમાં એમને વધારે આનંદ આવતો હતો. જ્યાં સુધી નિસ્પૃહતા ન આવે ત્યાંસુધી આનંદ પણ ન આવે. ભગવાનને તાદી આપવાની ભક્તને ઈચ્છા હોતી નથી. બધી ભક્તિમાં પરાભક્તિ છે તેમાં ભગવાન પ્રત્યે કંઈ ન માગે એવું થાય છે. થાય તે બધું જોયા કરવું. કૃપાળુદેવને બધી વ્યવહારમાં મુશ્કેલી આવી છે, પણ મારું માન્યું નથી. એ તો આવી આવીને જાય છે.
વિ. ૨૩૨]
૬૩ શ્રી રા આ૦ અગાસ, અષાઢ વદ ૧૩, ૨૦૦૯ પ્રશ્ન–પરેચ્છાનુસારીને શબ્દભેદ નથી એટલે શું?
પૂજ્યશ્રી–જેને સ્વચ્છેદે વર્તવું નથી તેને પછી આમ કહે તે સારું, આમ કહે તે ખોટું, એમ ન થાય. ઉદયાધીન, કર્માધીન અથવા ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તનારને મનમાં સારું–નરસું કંઈ થતું નથી. રાગદ્વેષ થતા નથી, પ્રીતિએપ્રીતિ કંઈ નથી. મારા કર્મને એ જ ઉદય હશે એમ માને.
કાર્ય કરતા પહેલાં વિચાર કરે તે સારું છે. યોગ્યતા વગર સપુરુષ ઓળખાય નહીં. પુરુષ પાસે લાભ લઈને આવ્યા હોય, પણ લેભ પોષાય નહીં, તે અહીં શું કરે? માયાપ્રપંચ એ કરે તે આત્મા ભણી વળે. લેભ હોય ત્યાંસુધી આત્મા ભણી વળાય નહીં, સપુરુષ ઓળખાય નહીં; માટે લેભ ઓછો કરવો. જીવ વગર વિચાર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org