SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન પરમમાહામ્યા ગોપાંગનાઓ' એમ લખ્યું છે. કૃપાળુદેવે કહ્યું છે કે કૃષ્ણ છે તે પર માત્મા છે અને ગોપીઓ છે તે વૃત્તિઓ છે. એ વૃત્તિઓને ભગવાનમાં લીન કરવાની છે. પરમાત્મસ્વરૂપનું માહાસ્ય લાગે તો એમાં લીન થાય. અંતરાત્મા થાય એ જ વૃત્તિની ખરી લીનતા છે–એ થયા પછી તુહિ, તૃહિની રટના લાગે છે. મહાપુરુષે જે કહે છે તે શા માટે કહે છે? ત્યાંસુધી જીવને લક્ષ પહોંચતું નથી. ભગવાનની ભક્તિ કરવા માટે પ્રતિમા છે. જ્ઞાની પુરુષની જેટલી ચેષ્ટાઓ છે તેટલી પરમાર્થ રૂપ જ છે. સંસારમાં વૃત્તિ ન જાય. ભગવાનની પ્રતિમા દેખીને પરમાત્મા જ સાંભરે એવું કરવાનું છે. પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન રહે તો દેહરૂપ દેખાય. બાહ્યદષ્ટિ તે છેડવાની છે. શ્રવણથી માંડીને ચિંતવન સુધી આવે ત્યારપછી વંદન એટલે નમસ્કાર સમજાય છે. એક સાચે નમસ્કાર પણ તારે છે. સાચી ભક્તિવાળાને દુઃખ આવે એ કસોટી છે. કઠણાઈ હોય તે કર્મ ખપાવવાનું કારણ છે. રાજ્ય કરવું અને ભક્તિ કરવી એ બહુ કઠણ વાત છે, પણ જનકવિદેહીએ તે કર્યું. દુઃખ એ ભક્તિ થવાનું એક સાધન છે. જેને છૂટવું છે તે જગતની વસ્તુઓ માગે નહીં. આપણે બાંધેલું જે ઉદય આવે તેમાં ચિત્ત દેવું નહીં. ભક્તિમાં ચિત્ત રાખવું. એ તે જવાનું છે. ધ્યાન પછી લઘુતા આવે છે. ભગવાનની ભક્તિ કરે તેને જ ભગવાન કઠણાઈઓ આપે છે. કઠણાઈ તો સારી છે. ભક્ત હેય તે કઠણાઈ જ માગે છે. શ્રીકૃષ્ણ કુંતાજીને જે માગે તે આપવા કહ્યું ત્યારે કુંતાજીએ કહ્યું, મને દુઃખ આપે. ખરી ભક્તિ એ જ છે. જીવ “મારું” માને છે તેથી ખેદ થાય છે. બધા પ્રત્યે સરખે ભાવ રાખવે. વિ. ૨૨૬] વાસના કાઢવાને ઉપાય જ્ઞાની પુરુષને યોગ છે. એક તે જીવને છૂટવાની ભાવના હોય અને પુરુષને વેગ મળે તે કલ્યાણ થાય. જે પિતાનાં નહીં એવા દ્રવ્યને પિતાનાં માન્યાં છે, તે માન્યતા જ્ઞાની પુરુષના ચગે ફરી જાય છે. એ અચૂક ઉપાય છે. જ્ઞાની પુરુષને સમાગમ ન હોય તે પણ ભાવના તે એ જ રાખવી. વિ. ૨૩૧] આબુ, તા. ૩૧-૫-૪૯ [ કબીરજી તથા નરસિહ મહેતાની ભક્તિસંબંધી પત્ર વંચાયો. તેના પર કુંવરબાઈના મામેરાની વાત કરી.] નરસિંહ મહેતાને ભગવાન પર અપૂર્વ વિશ્વાસ હતો. એમના પરચા ભગવાને પૂર્યા હતા પણ એમને અંતરથી બિલકુલ એ માટે ઈચ્છા ન હતી, કે યાચના કરી નથી. દક્ષિણમાં એવા એક દામાજી પંત નામે સંત થઈ ગયા. તેઓ રાજ્યમાં અન્નભંડાર ઉપર દેખરેખ રાખતા. તે વખતે રાજાઓ ગણતના બદલામાં અનાજ ઉઘરાવતા, તે ભરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy