SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત નારો કોઈ જુદે છે, એવું જીવને લાગતું નથી. પરમાત્મા પ્રત્યે અખંડ પ્રીતિ કરવાની છે. જેણે પરમાત્માને જાણ્યા તેને દેહાભિમાન ન રહે. “દેહ છતાં જેની દશા, તે દેહાતીત.” પરમાત્મા હોય તે દેહાતીત દશાએ વર્તે છે. તેને જાણે તે ચિત્ત પરનો બેજે ઊતરી જાય. કૃપાળુદેવ કહે છે કે સત્સંગના ગની ઈચ્છા રહે છે, પણ પૂર્વકર્મને કારણે વેગ નથી. પત્ર વિગતવાર લખવાનું ઉપાધિને કારણે બની શકતું નથી. દશા લખી શકાય તેવી નથી. પૂર્વકમને લીધે ઉપાધિમાં ઉપયોગ દેવો પડે છે. પત્રાદિ પણ ઉદય હેય તે જ લખીએ છીએ. એક વખતે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને પૂછયું મારે શાની જરૂર છે? કૃપાળુદેવે કહ્યું કે, બધી. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું–તે બેધ આપ. પછી કૃપાળુદેવ મૌન રહ્યા. ધરૂપ થઈ ગયા. પહેલામાં પહેલી શ્રવણભક્તિ છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણુ.” સાંભળે, કીર્તન કરે ત્યાર પછી ચિતવન થાય. વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા એટલે પરમાર્થમાં એકરૂપ થઈ જવું તે. પરાભક્તિ કે એકતાભક્તિ કહે, એક જ છે. ખરી ભક્તિ એ જ છે. પહેલાં પાછું એમ થાય છે પછી તે ભાવના વધતાં વધતાં ભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે એમ થાય, તે તોડદું છે. ભગવાનનું શુદ્ધ સ્વરૂપ છે તેમાં અભેદરૂપ થઈ જવું તે પરાભક્તિની હદ છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં” એક પ્રભુમાં જ મન રહે તે પરાભક્તિ થાય. અપ્રમત્ત ગુણસ્થાનમાં પરાભક્તિ આવે છે. બધાનું કારણ પ્રેમ છે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે.” એ રસ્તો ગોપાંગનાઓએ લીધે હતો. પરમ પ્રેમ જેને લાગે હતો એવી એ પાંગનાઓનું ચિત્ત વાસુદેવમાં રહેતું હતું. આ એક ભક્તિનું દષ્ટાંત છે. “ મન મહિલાનું રે હાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રતધમેં રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ” એવી રીતે ગોપાંગનાઓનું ચિત્ત કૃષ્ણમાં રહેતું હતું. સિદ્ધભગવાનની ભક્તિ કરે તે જીવને સ્વરૂપને ખ્યાલ આવે નહીં. દેહાધ્યાસથી છૂટવા માટે દેહધારી પરમાત્માં વૃત્તિ રહે તો બહાર ખસે નહીં. પુદ્ગલને પ્રેમ છેડવા માટે દેહધારી પરમાત્માની ભક્તિની જરૂર છે. સિદ્ધ કરતાં અરિહંતને પહેલાં નમસ્કાર કરવાનું કારણ એ જ છે કે અરિહંતમાં વૃત્તિ સ્થિર રહી શકે છે. મહાત્મામાં લીનતા થાય તે મહાત્માનું મન જ્યાં હોય ત્યાં મન રહે.” જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે.” સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫). સદ્દગુરુ કરતાં પરમાત્મા જુદા છે, એમ રહે તે પરાભક્તિ ન થાય, મન લીન થાય નહીં. એનું મન બીજે જાય. જેમ જેમ વિચારદશા વધે તેમ તેમ વધારે ભક્તિ થાય. જેટલી સમજણ હોય તેટલું માહામ્ય લાગે. વાસુદેવનું પરમ માહાભ્ય ગોપાંગનાઓને લાગ્યું હતું, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy