SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન નથી. કોઈને શરણે જઈએ માટે વૃદ્ધાવસ્થા ન આવે એમ નથી. યુવાવસ્થામાં પ્રમાદી અને વિવેકશૂન્ય રહેનારા વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તેને શરણે જશે ? બધું પલટાતું છે. મોક્ષને પુરુષાર્થ કરે તે તેનું શાશ્વત ફળ મળે. મિક્ષ કર હોય તે જ્ઞાનીની આજ્ઞા આરાધવી. જ્ઞાની કહે તેમ કરવું. અર્થ અને કામ પણ ધર્મ ન ચૂકાય એવા હોવા જોઈએ, એ લક્ષ રાખ. ઈન્દ્રિનાં સુખો પરાધીન છે. જીવ બ્રાંતદશામાં સુખ માને છે. સુખ આત્માને જ સ્વભાવ છે. કર્મબંધ છોડવાને માગ શૂરવીરને છે. જ્યારે બીજાના ગુણે દેખાય ત્યારે રાજી થવું. [વ. ૨૧૭] ૫૯ શ્રીરાવ આ૦ અગાસ, અષાડ વદ ૧૦, ૨૦૦૯ શ્રીમદ્ ભાગવતમાં જડભરતની એક કથા આવે છે. (પછી જડભરતનું દષ્ટાંત કહ્યું.) કૃપાળુદેવને એવી એવી જાતિસ્મરણવાળી કથાઓ બહુ સુંદર લાગે છે. એવું ઉન્મત્તપણું એ પરમાત્માની દશાને પામવાનું દ્વાર છે. મરણ કરતાં સંગ વધારે દુઃખદાયક છે. બાંધેલું હોય તે ભોગવવું છે, શૂરવીરપણે ભોગવવું છે. સમ્યગ્દષ્ટિ હોય તે ફરશી લઈને ઊભો રહે છે, આવે, ગમે તેટલાં (ક) આ. કયાંથી આ કર્મો આવ્યાં! એમ કૃપાળુદેવને થતું નથી. સત્સંગને જેગ જોઈએ. કૃપાળુદેવ કહે છે કે આત્મભાવમાં રહેવું. તે હેય અથવા ભક્તિ સત્સંગ હોય તે ગમે છે. અહંપણું આવતું હોય તો તેને નિરોધ કરો. વાય તેટલો પુરુષાર્થ કર્યા રહેવું. જે થાય તે જોયા કરવું. હર્ષશોક ન કરે. એમ વર્તે તે સમ્યગ્દષ્ટિ છે. આમ કરું તે પૈસા મળે એવી ચિંતા કરવી નહીં. પુણ્યથી ઉપરાંત એકપણ પૈસો વધારે મળવાનું નથી. પરમાત્માની પાસે કંઈ માંગવું નથી, એમ જેને થયું હોય તેને પરમાત્મા પ્રસન્ન થાય છે. સોભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે તમારી ઈચ્છા વૈરાગ્યમાં આવવાની છે, અહંપણું મૂકવાની છે, તેમ છતાં અમે લખીએ છીએ. પ્રભુશ્રીજી બધાને “પ્રભુ પ્રભુ” કહેતા અને ઠપકો પણ આપતા. [વ. ૨૨૩] ૬૦ શ્રી રામં આહાર, ફાઇ સુદ ૧૧, ૨૦૦૮ હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું એવા પ્રકારનું દેહાભિમાન જે નથી કરતા તે જ્ઞાની પુરુષ છે. આત્માનું સ્વરૂપ દેહથી ભિન્ન છે. જ્ઞાની પુરુષોએ એ શુદ્ધસ્વરૂપ જાણું છે, તેથી તેઓ દેહથી જુદા રહે છે, રાગદ્વેષ કરતા નથી. તેથી તેઓને સમાધિ રહે છે. તેઓને ઈછા નીકળી ગઈ છે તેથી કેઈ જાતની ફિકર નથી. પૂર્વે જે બાંધ્યું છે તે ઉદયમાં આવે ત્યારે રાગદ્વેષ કર્યા વગર સમભાવથી વેદે છે. મારું તારું કરવાથી કલેશ ઉત્પન્ન થાય છે. દેહ પણ મારે નથી, એવું થાય ત્યારે મારું તારું મટે. પરવસ્તુ છે તેને દેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy