SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધામૃત ત્કાર નહોતે. જેને કેવલીનો આશ્રય છે તેને ચેથા ગુણસ્થાનથી કેવલીની શ્રદ્ધા હોય છે. આશ્રય મળે તો બધું પાંસરું છે. તીર્થંકરનાં વચન, પુરુષનાં વચન સમજવાં બહુ દુર્લભ છે. મતિમાન ઘણે હોય તે પણ થાકી જાય. પણ સદગુરુનું અવલંબન મળ્યું હોય તે સુલભ થાય. આત્માને પુદ્ગલની સાથે લેવાદેવા નથી. આત્મા કંઈ કરતો નથી. આત્મા સિદ્ધ સમાન છે. કર વિચાર તે પામ.” વિચાર કરતાં આગળ પહોંચ્યો હોય તે સંશય ભ્રાંતિ ટળે. આત્મા હશે કે નહીં એવી શંકા પણ એને ન રહે. સપુરુષ પ્રત્યે જે પ્રેમ હોય તે પ્રેમ કઈ પ્રત્યે થાય નહીં એવું થાય ત્યારે માર્ગ નિકટ હોય છે. માયા વિઘ કરનારી છે, પણ જીવ જે ધારે કે મારે આ દશા લાવવી જ છે તે લાવી શકે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવે અમને વિરહમાં રાખી કલ્યાણ કર્યું છે. પ્રભુશ્રીનું વિરહમાં કલ્યાણું થયું છે. ભાવ જોઈએ, નહીં તો સામાન્યપણું થઈ જાય. બધે આધાર ભાવ ઉપર છે. કૃપાળુદેવે કહ્યું છે કે અસંગ થવું. તમે કઈ સત્યુ રુષને શેધી તેના પ્રત્યે પ્રેમ કરે. કૃપાળુદેવ એ નિસ્પૃહ પુરુષ છે. તેમને સંસારી જેવા ગણ્યા ત્યારથી માર્ગ ભૂલ્યા. કૃપાળુદેવની દશાને ભજે તે કલ્યાણ થાય. જ્ઞાનીને ભજું તે રિદ્ધિસિદ્ધિ મળે, એ લભ છે તે પાપનું મૂળ છે. એથી જ્ઞાની ન ઓળખાય. જ્ઞાનીને ઓળખવામાં એવું બહુ આડું આવે છે. પુરુષ તો બધી વસ્તુઓથી ભિન્ન છે. સત્યુ રુષનું સાચું ઓળખાણુ સહેલું નથી. એ સહેલું હેત તો સમ્યગ્દર્શન પણ સહેલું હોત. અને તેથી મેક્ષ પણ સહેલે હેત. ચમત્કારથી સન્દુરુષને માને તો એ કંઈ સાચું ઓળખાણ નથી. “મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે” (૨૫). બધું મૂકવાની ઈચ્છા હોય ત્યારે પુરુષ ઓળખાય એવું છે. કૃપાળુદેવને આપણે ઓળખ્યા તે એમના વચનથી જ. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખ્યું કે કોઈને કહેવું હોય તે એમ કહેવું કે કોઈ સત્યુ રુષને શે, પણ અમારું નામ ન લેવું, કારણુ ઉદય બીજે છે. યોગ્યતા હોય તો જ્ઞાની એાળખાય. [વ. ૨૧૪] ૫૮ શ્રીરાત્રે આ અગાસ, આસો સુદ ૮, ૨૦૦૮ પૂજ્યશ્રી–આત્મા પ્રત્યે પ્રીતિ કરવી. મારું તારું સગાંવહાલાં એ બધું ભૂલી આત્મા દષ્ટિ કરવી. “અભેદદષ્ટિ આવ્યા વિના જે પ્રાણ આ જગતની રચના જેવા ઈચ્છે છે, તે બંધાય છે.” (૨૧૪). જે જે કર્મો દેખાય છે તેની રચનાનું કારણ આત્મા છે. તેના પ્રત્યે પ્રીતિ કરવી. ભેગની વૃત્તિ છોડી દેવી. આત્મા પ્રત્યે દષ્ટિ કરવી તે અભેદદષ્ટિ. જ્યાં સુધી ભેદદષ્ટિ છે, ત્યાં સુધી મેહ છે. બધા મહાપુરુષોને આશય તે એક જ છે. સમ્ય ત્વ છે એમ વાણીથી કહેવાય છે. પણ સમ્યક્ત્વ વાણી નથી. સમ્યક્ત્વ તે આત્મા છે. બધાય મહાત્માઓનું એ જ કહેવું છે કે જગત દુઃખરૂપ છે અને આત્મા સુખરૂપ છે. જેમ વસ્ત્ર તદ્દન ફાટી જાય પછી સંધાય નહીં તેમ આ જીવન પૂર્ણ થયા પછી સંધાય તેવુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy