SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન સમજાય નથી. સમજાય તે મોક્ષ માટે પુરુષાર્થ કરે. જીવને રૂપી પદાર્થનું માહામ્ય છે. મેહને લઈને જીવ તેમાં જ બળી રહ્યો લે. જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખ દુખ આવ્યું જીવન, હર્ષશોક નહિ થાય.” જ્યાં સુધી મેહ કે હર્ષશેક થાય છે, ત્યાંસુધી ખરી રીતે જાણ્યું નથી. હું કંઈ જાણતો નથી એવો દઢ નિશ્ચય કરે, ફરી જાય એ ન કરે તે મેક્ષ સરલ છે, સુગમ છે પણ હું કંઈ જાણતા નથી. એમ કરવું તે અઘરામાં અઘરું છે. એ પહેલાં કરવું. મહાવીર ભગવાને જે ઉપદેશ કર્યો તે બાર અંગમાં સંગ્રહવામાં આવ્યા. તે બધાને સાર આ પત્રમાં મૂકી દીધું છે. હું કંઈ જાણતા નથી એવું દઢ કરી જ્ઞાનીને શરણે જાય તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાન પામી જ્ઞાની પુરુષે આ કહ્યું છે. પ્રભુશ્રીજી ચમા. લઈને કહેતા કે આ આત્મા! સત્ તો બધેય છે, પણ એની દષ્ટિ જોઈએ ને? અઘરામાં અઘરો પુરુષાર્થ એ છે કે હું કંઈ જાણતું નથી. હું જાણું છું, હું બોલું છું, એમ માને પણ હું નથી જાણતો એમ થવું દુર્લભ છે. બાળભેળાનું કામ થઈ જશે. પંડિતેને અટકવું પડશે. ખરી રીતે એ જાતે જ નથી. જે જાણતો હોય તે એ જ્ઞાનીને મુકાવવું નથી, પણ નથી જાણતો તેથી એટલું આવે તે સત્ય આવ્યું કહેવાય. પત્ર તે એમ સહેલો લાગે છે કે આપણે સમજી ગયા, પણ કૃપાળુદેવ કહે છે કે તમે સમજ્યા નથી. એ સમજવા માટે પણ ઘણા પુરુષાર્થની જરૂર છે. અનાદિથી ભ્રાંતિમાં પડ્યો છે, તે ભ્રાંતિ ટાળવા જ્ઞાનીને શરણે જા. છ ભૂલી જાય છે તેથી કૃપાળુદેવને દયા આવવાથી આ પત્ર લખે છે. ઈન્દ્રિયો ને મન ક્યા વિના છૂટકે નથી. એને રોક્યા વિના આત્મા ભણી દષ્ટિ જ ન જાય. જ્ઞાની મળે, એનો બોધ મળે, પછી શ્રદ્ધા થયે એની દષ્ટિ કરે છે. [વ. ૨૧૨] ૫૭ શ્રી. રાવ આ૦ અગાસ, અષાડ વદ ૯, ૨૦૦૯ પિતાને વિચાર રહે, આ અજ્ઞાન અવિરતિ કેમ ટળે? એ વારંવાર વિચાર રહે તે દોષ ટળે. જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કહેવરાવવું છે. વાસના છેડવી ગમતી નથી. આટલા આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી! એમ કહે પણ દેશે કાઢવા ન લાગે. “લેક મૂકે પિક. મારે તે જ્ઞાની કહે તે કરવું છે. એમ દઢ કરવું. લૌકિકભાવમાં જીવ તણાઈ જાય છે. જ્યાં સુધી મારાપણું કર્યા કરે છે ત્યાં સુધી જગત એને ખેંચ્યા કરે છે. જ્ઞાનીના વચન પરિણામ પામવા ઉપર બધો આધાર છે. કડવી ગેળી ઉતારવી પડશે. આજ્ઞામાં એક્તાન થયા વિના છૂટકો નથી. જ્ઞાનીનું કહ્યું કર્યા વિના છૂટકો નથી. બીજું બધું મૂકવું પડશે. મૂક્યા વિના છૂટકો નથી. એ માગ જીવને સમજાય નથી. પિતાની ઈચ્છાથી પાછા ફરશે ત્યારે કલ્યાણ થશે. - વૈજનાથે કૃપાળુદેવના આગલા ભવની વાત કરેલી કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચર્યા હતા. એ વાત કબૂલ રાખી. પણ સાથે કૃપાળુદેવે કહ્યું કે વૈજનાથને આત્મસાક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy