SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત સરલ છે, સુગમ છે. પરવસ્તુ તે કઈ આપે તે મળે, પણ આ તે પિતાની પાસે જ છે. સની ઓળખાણ કરવી હોય તે ચારે ગતિમાં થઈ શકે છે. નારકીને પણ સમ્યગ્દર્શન થાય છે. દેવલેકમાં પણ સમ્યગ્દર્શન થઈ શકે છે. તિર્યંચ અને મનુષ્યગતિમાં પણ થઈ શકે છે. બ્રાંતિ સથી વિપરીત છે. હોય તેનાથી વિપરીત લાગે, હેય આત્મા અને માને દેહ, તે ભ્રાંતિ છે, વિપરીતતા છે, મિથ્યાત્વ છે. સત્ છે તે ખરું, પણ આવરણમાં છે. બ્રાંતિરૂપ આવરણ છે. એ દેખાય એવું નથી. કલ્પના છે. જે વસ્તુ સાચી હોય તે સત્ કહેવાય. એક સત્ છે ને એક કલપના છે. તે બેયને મેળ થાય એમ નથી. ભ્રાંતિ છે તે કલ્પના છે. વિપરીત કલ્પના તે બ્રાંતિ છે. આત્મા અરૂપી વસ્તુ છે. ભ્રાંતિમાં ભેદો જેટલા પાડીએ તે બધા ભ્રાંતિરૂપ જ છે. બ્રાંતિરૂપ આવરણ તે અંધકાર જેવું છે. જ્ઞાન આવે તે એ જાય. અજ્ઞાનદશામાં જીવ છે. કલ્પના કર કર કરે છે. કલ્પનામાં આખે મનુષ્યભવ એને જતો રહે છે. અનંતવાર મનુષ્યભવ મળ્યા છતાં આત્મસાર્થક ન થયું, તેનું કારણ કલ્પના છે. કલ્પના કંઈ સત્ નથી. કલ્પના અને સને વિરોધ છે. બેયને મેળ મળે એમ નથી. અજ્ઞાનદશામાં જેટલું કરે તેટલું બધું ઊંધું છે. એથી છૂટવાને રસ્તે પણ છે. સત્ ભ્રાંતિ નથી, ભ્રાંતિ તે સત્ નથી. આ ભવમાં મારે સમ્યગ્દર્શન કરવું જ છે, એવી જેની દઢ મતિ થઈ છે, તેણે શું કરવું તે હવે કહે છે. જીવ સમયે ન હોય છતાં હું સમજ્યો છું, હું જાણું છું, એવો એના મનમાં અહંભાવ ભરાઈ ગયા છે. એ કેમ નીકળે? એ પિતાથી નીકળે એવું નથી. મને ખબર નથી, પણ જ્ઞાની જાણે છે–એમ માને તે એટલું સાચ આવ્યું કહેવાય. હું કંઈ જાણતો નથી, એવો દૃઢ નિશ્ચય કરો. ફરીથી ન છૂટે એ દઢ નિશ્ચય કરો. અહંભાવ એવો છે કે દબાયે હોય તેય પાછે ફૂટી નીકળે. પિતાથી એ જાય એ નથી, માટે હું કંઈ જાણતું નથી એમ કરી જ્ઞાનીને શરણે જવું. કેમકે જે પામેલ હોય તે પમાડે. જ્ઞાની પુરુષ પાસે જતાં પહેલાં એટલું કરવાનું કે હું કંઈ જાણતું નથી. “ જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી; આગલે થાય આગ, તો આપણે થઈએ પાણી. ” એટલી ગરજ જીવને હોય તે માર્ગ પ્રાપ્ત થાય. અનંતાનુબંધી કષાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું છે, ત્યાંથી જીવને આઘો ખસેડે છે; અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય; જ્ઞાની પુરુષ એના દેષ બતાવે ત્યારે કહે કે એ તે મારા દોષ દેખે છે, એમ ઠેષભાવ થઈ જાય તે અનંતાનુબંધી ક્રોધ છે. જ્ઞાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણત તેને બદલે “હું જાણું છું એમ રહે તે અનંતાનુબંધી માન છે. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરઉપરથી સારું દેખાડે અને મનમાં તે એમ રાખે કે જ્ઞાનીને છેતરી, મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. જોકે પાસે વખાણ કરાવે, જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ ઈચછે તે અનંતાનુબંધી લે છે. જીવ ખરી રીતે જાણતા નથી અને હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. મોક્ષ એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy