SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત–વિવેચન ૪૯ અભિમાનથી જીવે બધું ગુમાવ્યું છે. ઠેઠ મેક્ષે લઈ જાય એવાં આ પત્રનાં રહસ્યરૂપ વચને છે. બધાયે જ્ઞાનીપુરુષનું જે કહેવું છે તે આ પત્રમાં કહી દીધું છે, પણ જીવને એ કરવું નથી. મીજી ખીજી વાર્તા કરે છે. આ પત્રમાં કહેલાં વચન યાદ રહેશે તે બધુ થશે. હું જાણતા નથી એમ નિશ્ચય નથી કર્યાં. સદા ઉણા ઉડ્ડા ને ઉડ્ડા રહેવું. અહંકાર ન કરવા. અહંકાર ન કર્યાંથી કંઈ ગુણે! જતા રહેવાના છે ? હું કંઈ નથી જાણતા,' એ સીધા રસ્તા છે. અભિમાનથી કાઈ મેક્ષે ગયા નથી. આ વચનાના વિચાર કરે તે ચેતવાનું મળે. માત્ર એક જ્ઞાનીને શરણે જા, તા જરૂર માની પ્રાપ્તિ થશે. સવિચાર નથી આવ્યા. જ્ઞાની પાસેથી માર્ગની પ્રાપ્તિ થાય છે. હું કઈ જ જાણતા નથી, એવું જ્યારે થશે ત્યારે સત્પુરુષાથ સ્ફૂરશે. ત્યાંસુધી બધી કલ્પના છે. [વ. ૨૧૧] પુ શ્રી રા॰ આ॰ અગાસ, પાષ સુદ ૯, ૨૦૦૯ આ કાળમાં મેક્ષને માટે આપણે શું કરવાયેાગ્ય છે? તે બધું કૃપાળુદેવે કહ્યુ છે. મહાવીર ભગવાનના કાળમાં ચૌદ પૂર્વ રચાયાં હતાં તે આ કાળના જીવાને સમજાવાં બહુ મુશ્કેલ છે. કૃપાળુદેવે ટૂંકા ટૂંકા પત્રમાં, એકેક પત્રમાં મેાક્ષમાગ મૂકયો છે. (6 સત્ એ કઈ દૂર નથી.” સત્ એટલે શું? (એમ બધાને પૂછ્યું. કોઇને ન આવડયું ત્યારે કહ્યુ) દરેક વસ્તુને માટે ખાટી થઈ વિચાર કરવાના છે. સત્ એટલે હાવું; અસ્તિત્વ એટલે ડેાવાપણું, જગતના પદાર્થો જે દેખાય છે તે બધા નાશવત છે. આત્મા નામના પદાર્થ એવા છે કે આત્મા આત્માપણે ત્રણે કાળ રહે છે. સત્ એટલે જે હંમેશા રહે તે. આત્મા સત્ છે. આપણી સાથે ત્રણે કાળ રહે છે. ત્રણે કાળ રહે એવી વસ્તુ તે સત્ છે. એને શોધવા માટે બધા ધર્મો સ્થપાયા છે. આત્મા અવિનાશી પદાર્થ છે. આત્મા આત્માથી દૂર નથી પણ દૂર લાગે છે. પહેલામાં પહેલું સમજવાનું—આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્યાં છે, આત્મા ભક્તા છે, માક્ષ છે, માક્ષનેા ઉપાય છે. આત્મા છે એમ લાગે તેા પછી એની અધ અવસ્થા છૂટી મેાક્ષરૂપ અવસ્થા કેમ થાય ? તેની ગરજ જાગે. સંસારમાં જ્યાં જુએ ત્યાં દુઃખ છે. સમ્યગ્દન નામના ગુણ છે, તે પલટાઈ મિથ્યાત્વ ગુણરૂપે થયા છે. પલટાય તા સમ્યગ્દર્શન થાય. સત્ દૂર નથી એમ જ્ઞાનીપુરુષ કહે છે, પણ મેહને લઈને આત્મા શું છે, કેવા હશે, તેનું ભાન થતું નથી. વસ્તુ આ છે, એવું એળખાણુ થતું નથી, તેનું કારણુ વચ્ચે માહ છે. આ જીવ પાતે પેાતાની કલ્પનાથી બંધાયે છે. સત્ની શેષ કરવી ડાય તા ઓળખાણ કરવી. આત્માને ન માને તેથી કંઈ આત્મા નાશ થતા નથી, એ તે છે સત્ જ છે. ત્રણે કાળ રહે એવા પદાર્થ, તે કેાઈ કાળે નાશ ન પામે, સત્ છે તે સત્ જ છે, સરલ છે, સુગમ છે. પણ દૂર લાગે છે તેનું કારણ મેાહ છે. જીવને મેહુ છે તે ટળે તે તેને પેાતાનું સ્વરૂપ દેખાય. જીવને મેહ છે ત્યાંસુધી પેાતાનું ભાન થતુ નથી. આત્મા વગર તેા કઈ જાય એવું નથી. આત્માના અભાવ થયેા નથી. સત્ જ. ત્ ७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy