SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત જે સ્મરણ કરવાનું કહ્યું છે, વિચારવાનું કહ્યું છે તે કરું, એમ નિવૃત્તિમાં બેસી વિચાર કરે. ઉપાધિમાં પ્રવર્તવું પડતું હોય તે મારે છોડવું છે એમ રાખવું. આ મનુષ્યભવમાં મિથ્યાત્વમાંથી સમકિત થઈ શકે છે, ચારિત્રમોહ ક્ષય થઈ શકે છે. તેમાં પણ જે આડાઅવળી ઉપાધિમાં પડે તો ક્યારે પાર આવે? જ્ઞાનીની શિખામણ પ્રમાણે વર્તવાનું લક્ષ રાખતા હોય તે શિષ્ય છે. બીજા ભવ નકામા ગયા, એ આ મનુષ્યભવ નકામે ન જાય, એ લક્ષ રાખ. ફરી આવો જોગ દુર્લભ છે. મનુષ્યભવ, શ્રાવકકુળ, સત્ શાસ્ત્રનો જોગ તે ફરી મળવાં દુર્લભ છે. નિવૃત્તિમાં આનંદ આવે, એ વગર ગમે નહીં તો પછી વખત કાઢે. નિવૃત્તિનો અભ્યાસ ન કરે તે પ્રવૃત્તિ ન મટે. પ્રભુશ્રીજી કહેતા કે સાધુપણું તે આવશે ત્યારે, પણ બે ત્રણ મહિના સત્સંગ કરશે તેટલે તો કામ આવશે. બીજું બધું છોડી સત્સંગને સાથે તે એટલું તો સાધકપણું કહેવાય ને? નિવૃત્તિ જીવને ગમતી નથી. ઘણું એમ કહે છે કે આ દિવસ આ શું ભક્તિ કરે છે ! - મિથ્યાવાસના છોડવાની પહેલાં જરૂર છે. જાત્રાએ જાય ત્યારે બાધા રાખે, ધન વગેરે મળે એમ ઈચ્છે છે. મોક્ષ મળે માટે ધર્મ કરું, એમ વિચારીને ધર્મ કરનારા તો થોડાક હોય છે. સાધુપણાથી દેવલેક મળશે એવી ઈચછાથી તે ઘણું ધર્મ કરે છે. બગલે હાય છે તે પાણીમાં એક પગ ઊંચે રાખીને ઊભા રહે છે, માછલું આવે કે તરત પકડે. એમ જીવે ધર્મને નામે મિથ્યાવાસનાઓ પિષે છે. “મરણના મુખ આગળ, અશરણ આ સૌ લોક; કાં ચેતી લે ના ચતુર ! મૂકવી પડશે પોક.” ૫૧ [વ. ૨૦૦] આ વચનાવલી છે તે કૃપાળુદેવે સેભાગભાઈને લખી છે. સોભાગભાઈએ તેમના દીકરા મણિલાલ માટે લખી આપવા માગણી કરી હતી ત્યારે કૃપાળુદેવે આ નાનાં નાનાં વાક્યો લખી આપ્યાં. જે કૂવામાં પાણી નથી ત્યાં કેસ જોડે, પંપ મૂકે તે ત્યાં પાણી ક્યાંથી નીકળે? તેમ જ પાણી વગરના કૂવા જેવા સાધુઓની પાછળ જાય છે. અમારા સાધુ છે ને? એમ કહે છે. એ અનંતાનુબંધી છે. અજ્ઞાનીને આશ્રય ન છોડે તે જ્ઞાનને ધેય ક્યાંથી? બેય મેહી છે. બેયને છૂટવું નથી. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” પ્રભુશ્રીજીના વખતમાં આ વંચાતું હતું, તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે “આવું ઉઘાડું, ફૂલ જેવું કહ્યું, એ પણ ન સમજાય તે અગ્યારમું આશ્ચર્ય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy