________________
બેધામૃત “ એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ” પિતાના અનુભવથી કહે છે કે એથી અમને માર્ગ પ્રાપ્તિ થઈ હતી અને તમને પણ એથી જ થશે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને માર્ગ કહી દીધું. પછી પૂછયું, છૂટવું છે? છૂટવું હોય તે આ માગે છે. બધા શાઓમાં એ જ માગ રહ્યો છે. તમે પુરુષને શોધે અને ત્યાં પ્રીતિ કરે. પ્રભુશ્રીજી કહેતા કે પ્રેમમાં તે બધું આવી ગયું. જીવને માર્ગ મળ્યું નથી એનું શું કારણ? તો કે ઉપર કહ્યું તે ન કર્યું તેથી માર્ગ ન મળે. પિતાની ઈચ્છાએ વર્તવું છે. પ્રભુશ્રીજી કહેતા કે ખંભાતમાં એક આચાર્યના મુખ્ય શ્રાવક હતા. તેમને બહાર જવું હોય તો આચાર્યને કહે કે મહારાજ, આપની આજ્ઞા છે હું બહાર જઉં છું ! પ્રભુશ્રીજી પાસે ઘણું આવીને પૂછે કે આ પત્ર હું શીખું? પ્રભુશ્રીજી કહે, ના.
“ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ” સ્વછંદ જાય તો અવશ્ય મેક્ષ થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા તે મોક્ષ માટે જ હોય છે. હું આંધળો છું, મને માર્ગ કેમ પ્રાપ્ત થશે? એમ વિચાર કરો. માર્ગ જામ્યો હોય તો આ જ માર્ગ છે એમ દઢ કરે. એ માર્ગ ન મળ્યો હોય તો એને વિચાર કરે, ભાવના કરે, પણ ખોટને ન માને. માર્ગ સપુરુષથી છે. તે પડી મૂકી કોઈ અજ્ઞાનીના કહેવાથી તે પ્રમાણે વર્તે છે. અવળે રસ્તે હાથમાં આવ્યું છે. પુરુષથી માગ જાણવાને પડી મૂકી પિતાની મેળે કર્યું છે. પુરુષ મળે, તેમનાં વચને મળે અને તેની આરાધના કરે તો માર્ગની પ્રાપ્તિ થાય. સ્વછંદ જીવને આડે આવે છે. સ્વછંદ હોય તેથી બધું કરેલું વ્યર્થ થાય છે. જીવે કરવામાં બાકી રાખ્યું નથી, પણ સ્વચ્છેદે કર્યું છે. જે સમ્યકૂપ્રતીતિ આવે તો આ જ માર્ગ છે એમ એને નિશ્ચય થઈ જાય. જે આજ્ઞા આરાધવા જાય તે ઘણા સંક૯પ-વિકલ, કુસંગ, પાપ રોકાઈ જાય, પણ આજ્ઞાનું માહાત્મ્ય લાગવું જોઈએ.
પ્રશ્ન-સ્વછંદ એટલે શું?
પૂજ્યશ્રી–પિતાને ગમે તેમ વર્તે જ્ઞાનીને ગમે તેમ ન વર્તે. પિતાને ફાવે તેમ વર્તે તે સ્વછંદ છે. પિતાની ઈચ્છા આગળ કરે છે. જ્ઞાનીને તે એ જ કઢાવવું છે તારી સમજણ ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. જ્ઞાની કહે કે તું દેહ નથી, પણ આત્મા છે, પણ એ માને નહીં. એ સ્વછંદ જ કહેવાય ને? બીજું શું કહેવાય?
અપ્રતિબદ્ધપણે વિચરે છે એવા પુરુષને વેગ હોય તે જ જીવને માર્ગ મળે. એ સપુરુષ પ્રત્યે અચળ પ્રેમ, સમ્યક્રપ્રતીતિ આવે તે એ જ એની આંખ આગળ ખડા રહે. એવા જ થવું છે, એ લક્ષ જેને થયો, તે પછી એના જેવો થાય. પુરુષની અચળ પ્રતીતિ અને તે પ્રત્યે અચળ પ્રીતિ એ બે થાય તે પછી આંખ આગળ એ જ ઊભા રહે, ત્યારે એમ થાય કે આ જ્ઞાની પુરુષમાં તે લૌકિકભાવ, સંકલ્પ-વિકલ્પ કંઈ છે નહીં. જ્ઞાની પુરુષના વચનને રૂડા પ્રકારે ઉઠાવવું તે જ મુનિપણું કે સામાયિક છે. ઋષભદેવજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org