SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ વચનામૃત-વિવેચન અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ આપે. ભદ્રિક જી હતા તેથી તરત ભગવાનનું કહેલું વચન માન્ય થયું. ગુરુની આજ્ઞાએ જ્ઞાન કહ્યું છે. જેણે એ વસ્તુ પ્રાપ્ત કરી છે તેની આજ્ઞાએ વર્તે તે તે થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા એ ધર્મ છે અને એ જ તપ છે. જે કંઈ કરીએ તેમાં લક્ષ એ રાખ કે જ્ઞાનીની આજ્ઞાએ થાય છે કે નહીં? સ્વછંદથી તે જીવ અનાદિકાળથી રખડયો છે. પિતાને સારું લાગે તે કરે છે. દવાખાનામાં જાય ત્યારે તે આ જીવ વિદ્ય કહે તે લક્ષમાં રાખી વતે છે. પણ ધર્મના કામમાં સંસારને નાશ કરનારા એવા સદ્ગુરુ છે, તેને કહ્યા પ્રમાણે વર્તતે નથી. વૈદ્ય જેમ દરદીને રોગ જાણે છે તેમ જીવનું કલ્યાણ શાથી થાય? એ જ્ઞાની જાણે છે, જીવને સ્વછંદ અને પ્રતિબંધ એ બે કારણે માર્ગ પામવામાં આડાં આવે છે. જ્ઞાનીની આજ્ઞાએ વતે તે સ્વછંદ કાય. સ્વચ્છેદે વર્તવું નથી, એમ જેને થયું તેને પણ પ્રતિબંધ મૂકવાના છે. ૧લોકસંબંધી બંધન, ૨ સ્વજનકુટુંબ બંધન, ૩ દેહાભિમાનરૂપ બંધન અને ૪ સંક૯૫વિકલપરૂપ બંધન. એ બંધન નડે છે તે હવે શું કરવું? તે કે આ પત્ર વિચારી શોધે. પછી અમને પૂછજો. એમને એમ માની ન બેસશો. પ્રશ્ન-ઉપશમને અર્થ શું હશે ? પૂજ્યશ્રી–જીવમાં વીતરાગતા આવે, કષાય મંદ થાય તે ઉપશમ છે. જેમ જેમ કષાય મંદ થાય, તેમ તેમ વીતરાગતા આવતી જાય છે. જેની આજ્ઞા આરાધવાથી કષાય મંદ થાય, ઉપશમભાવ આવે તેવા પુરુષની ખોજ રાખજે. દર્શનમેહ દૂર કરવા આજ્ઞાની જરૂર છે અને ચારિત્રમેહ દૂર કરવા ઉપશમભાવ અથવા વીતરાગભાવ જોઈએ. “કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” વિ. ૧૯૫] ૪૮ શ્રી. રાવ મં આહર, ફાગણ સુદ ૧૦, ૨૦૦૮ આત્મસ્વરૂપ જેવું જ્ઞાનીએ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જ ભક્તિ કરવી છે, ભાવ બીજામાં રાખવું નહીં. તે અનન્ય ભક્તિ છે. તે સ્વરૂપ થઈને અભેદરૂપે નમસ્કાર કર્યા છે. મોક્ષ મારે જોઈએ છીએ એવી જિજ્ઞાસા જાગી હોય તેણે નીચેને વિચાર કર. અનંતકાળથી જન્મમરણ જન્મમરણ થયા કરે છે, તેને પાર શુ કરું તે આવે ? અનંતકાળથી પરિભ્રમણ કરે છે. અનંતકાળની ભૂલ કાઢવી હોય તે વિચાર કરવો પડે. “કર વિચાર તે પામ.” સંસારના બધા વિકલપિ મૂકીને આ વિચાર કરવાને છે કે પરિ. બ્રમણથી નિવૃત્તિ કેમ થતી નથી? અને તે કેમ થાય? પરિભ્રમણ થાય છે તે ટાળવાનો ઉપાય વિચાર છે, તે જીવ નથી કરતા. કેવી ભૂલથી સંસાર ઊભે થયા છે અને તે ભૂલ શાથી ટળે? બધા વિકલ્પ મૂકીને પહેલો વિચાર એને કરવાનો છે. એ વિચાર કર્યા વિના કઈ દિશામાં માર્ગ છે તેની પણ ખબર ન પડે. એ વિચારણા થાય તે પછી બીજું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy