SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત અને બીજો ભાવ અલખ લેમાં સમાઈ જવું. “પ્રભુ, પ્રભુ લય” કે અલખ લે એ બને એક જ છે. પરમાર્થ સિવાય બીજું કંઈ એમને ગમતું ન હતું. જ્ઞાની પુરુષની ઈચ્છાએ વર્તવું છે. અંતર્યાંગ બધાને પ્રગટે એવી કૃપાળુદેવને ઈચ્છા હતી. પિતાને અંતર્યાગ હતો. આ કાળમાં દુઃષમ એટલે દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય છે. પુરુષ હેય તે સત્પ રુષને સત્સંગ અને ભક્તિ થાય. એ સંપ્રદાયમાં નથી. બાહ્યાવસ્તુમાં આખું જગત તણાય છે. મોક્ષને અર્થે બે સાધને ભક્તિ અને સત્સંગ છે અને તે બેય આ કાળમાં વિદેશ ગયા છે. જ્યાં જ્ઞાની હોય ત્યાં એ હોય છે. અજ્ઞાની હોય ત્યાં એ હાય નહીં. ભક્તિ અને સત્સંગ વિના છૂટકો નથી. જ્ઞાનીની ભક્તિ અને જ્ઞાનીને સત્સંગ મળ્યા વિના છૂટકે નથી. ઘણા જીવનું કલ્યાણ થાય એવી ઈચ્છા દરેકે રાખવી. મહાપુરુષ બંધ ન કરે તે પણ એ બેધની મૂર્તિ જ છે. કર્મ ઉદય જિનરાજનો, ભાવિજન ધર્મ સહાય પ્રભુજી. ” (દે. બાહુજિન સ્તવ) ભગવાનને કર્મને ઉદય હોય તેથી તેઓ બોલે તે બીજાને લાભ થાય. સમ્યકત્વને ઉપદેશ દેવાની ઈચ્છા ન થાય. નિષ્કાંક્ષિત નામને ગુણ એને પ્રગટ થયો છે. “ઉપદેશ કરું એવા ભાવ થાય તે આવરણ થાય. [વ. ૧૭૮] ૫ શ્રી. રાવ આ૦ અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૯ અસત્સંગ અને આગ્રહ એ બેય ટાળ્યા વિના તે કલ્યાણ થાય નહીં. ગુરુ ઓળખવામાં ભૂલ આવી તો પછી સાધનમાં પણ ભૂલ જ થાય. માટે પ્રભુશ્રીજીએ કહ્યું છે કે એક કૃપાળુદેવને જ્ઞાની માનજો. “આય જ્ઞાની, આય જ્ઞાની” એમ કરશે નહીં. એને ગરજ હોય તે સપુરુષ ઓળખાય. મુમુક્ષુતા હોય તે એળખાણ થાય. [વ. ૧૮૦] ૪૬ શ્રી રા. આ. અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૯ મુશ્કેલી આવે ત્યારે વધારે બળવીર્ય ફેરવવું. ધર્મની વૃત્તિ રાખવી. પિતાના વર્તનથી કોઈને દુઃખ ન થાય એ સારું વર્તન છે. દુઃખ હોય છતાં દુઃખમાં ન તણાતે હોય તે પ્રસન્ન રહે છે. અને તેને જ્ઞાની વખાણે છે. દઢ જ્ઞાન એટલે સમ્યકજ્ઞાન. તુહિ-તુંહિને અનુભવ એટલે એકમેક થઈ જાય–પરાભક્તિ. કૃપાળુદેવને ભાગી જવાની ઈચછા રહે છે એટલે શું? ત્યાગની-મુનિપણાની ભાવના રહે છે કે ક્યારે ઉદય પૂરો થશે અને બહારથી છૂટી અસંગ થવાશે? કેઈએમ સમજે કે ભાગી જવાની એટલે નાસી જવાની ઈચ્છા થાય છે, પણ એ અર્થ નથી. એટલે જ એમણે લખ્યું કે એને અથ કઈ જુદે છે. કાળ, ક્ષેત્ર કે મોક્ષે જતાં અટકાવતું નથી. માત્ર સાધના ભૂલવાળી હોય તે અટકાવે છે. કૃપાળુદેવ ધર્મની મૂર્તિ છે. એમનું હરવું ફરવું, ખાવું પીવું બધું ધર્મરૂપ છે. જગતના જીવો પુણ્યની ઈચ્છા કરે છે અને જ્ઞાની પુરુષે ધર્મની ઈચ્છા કરે છે. પોતાનું બાંધેલું પિતાને ભેગવવાનું છે, એમ જેને સમજાયું છે તે એમ ન કરે કે આ કયાંથી આવ્યું; વિષમભાવ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy