SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ટ વચનામૃત-વિવેચન સ્થિતિ પરિપકવ થાય ત્યારે માગ પ્રાપ્ત થાય છે. તે વિના ત્રણે કાળમાં માગ પ્રાપ્ત થાય નહીં. જ્યારે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે બધા જેગો મળી આવે છે. સંતના ચરણ સેવવા એ જીવના હાથમાં છે. એટલું કરે તે ભાવસ્થિતિ પાકે અને દીનબંધુની કૃપા પણ થાય. સમ્યકત્વ થયા પહેલાં ઉપદેશ કરવાગ્ય નથી. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તે ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય કરું છું, એમ રાખીને કરે. આત્મા ભણું વળવા એ બધાં સાધન છે. હું ઉપદેશ આપું છું એમ ન કરે. સ્વાધ્યાય એટલે પિતાને યોગ્ય ત્યાગવૈરાગ્યની વાત ચર્ચવી. તે માટે વ્યાખ્યાન કરવું. એમ કૃપાળુદેવે કહ્યું છે. સંસારી જી એટલાં બધાં લાંબાં કર્મ ન બાંધે, પણ ઉસૂત્રપ્રરૂપણ કરવાથી ભારે કર્મ બંધાય છે. જે વસ્તુ પિતે ન જાણે તેને અન્યરૂપે કહે એ બહુ શોચનીય છે. આત્મજ્ઞાન થયા પહેલાં બોલવાનું નથી અને થયા પછી પણ બોલવાનું નથી. ઉદય હોય તો બેલે. બેલવું એ આભાને ધર્મ નથી. સિદ્ધાંતિક વાત સમજવા માટે વૈરાગ્ય ઉપશમની જરૂર છે. વૈરાગ્ય ઉપશમ વિશેષ હોય તે એને ખોટી વસ્તુઓમાં શ્રદ્ધા ન થાય. વિશાળબુદ્ધિની જરૂર છે. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે. બીજાને ઉપદેશ દેવા માટે આખી જિંદગી ગાળે, પણ પિતાનું રહી જાય છે. આત્મામાંથી બ્રાંતિ ટળી જાય તો પછી એને જન્મમરણ થતાં અટકી જાય. આત્મશુદ્ધિ કરવાની છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્મશુદ્ધિ થાય તે અહીં જ મોક્ષ થાય. સમજણની ખામી છે. જેને છૂટવાને લક્ષ છે તે બંધાય નહીં. મારે તે મારા આત્માને મુક્ત કરે છે, એમ જેને હોય તે પારકી પંચાતમાં પડતા નથી. જીવને એમ લાગે કે અહંભાવ મમત્વભાવ બંધનાં કારણે છે અને પાછો એમાં જ રહ્યા કરે તે છૂટે કયારે? એનું કલ્યાણ ક્યારે થાય ? જ્યાં રાગદ્વેષ હોય ત્યાં બંધન છે એમ શાસ્ત્રોમાં વાગ્યું હોય, છતાં શિષ્યો ઉપર રાગ કરે, મોટા મનાવવાની ઈચ્છા કરે તે સમયે શું? સમજ તો એની પાસે પણ ન જાય. છૂટવાની ભાવના ભલે ચક્રવતી પદમાં થઈ હોય તો પણ જે છૂટ્યા છે તેના પ્રત્યે તેને ભાવ થાય છે, સંતને શરણે જાય છે, તે જ છુટાય છે. વીતરાગ જેને સંસાર ભગવે છે તેને પરાણે દીક્ષા આપે નહીં. પરાણે સંસાર છોડાવે નહીં. ઉપદેશ આપે કે સંસાર દુઃખરૂપ છે. પછી એને છૂટવું હોય તો છૂટે. છૂટવાની જેને સાચી ઈચ્છા થાય છે, તે પછી જેમ છુટાય તેમ કરે છે. બંધન ન કરે. મુનિ પણ ઉપદેશ આપે. એમ ન કહે કે કંઈ વ્રત લીધા વગર કેમ જાય છે? હું બંધાઉં છું એમ જીવને લાગતું નથી, પણ સારું લાગે છે. રાગને પાશ એ છે કે એને ખબર પડે નહીં. જેને છૂટવા ભણી લક્ષ છે, “છૂટું, છૂટું” થાય છે, તેને પછી છૂટવાના જ વિચાર આવે છે. જે સત્સંગથી, વાચનથી છુટાય તે જ કરે છે. ઘણા જીવને સમ્યગ્દર્શન થાય એવી ઈચ્છા કૃપાળુદેવને રહ્યા કરે છે. કૃપાળુદેવ બે ભાવે વર્તે છે. એક ભાવે તે ઘણું જીવનું કલ્યાણ થાય તેમ વર્તવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy