________________
૩૭
વચનામૃત-વિવેચન (૩) સપુરુષોનાં ચરિત્રોની સ્મૃતિ કરવી; () સન્દુરુનાં લક્ષણેનું ચિતન મનન કરવું, (૫) સત્પની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. એ બધું જડથી ઉદાસ થયા વિના થાય નહીં. જડમાં એંટી ગયો છે, તેથી આ બધું કરવાનું પડયું રહે છે. ઇદ્રિને બાહ્યથી રોકી એમાં જોડવી. બીજા વિચારો મન કરતું હોય તે છોડી સપુરુષનાં વચન વિચારવામાં લગાડવું. (૬) તેના મનવચનકાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્દભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં. (૭) છેલ્લે તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું, એ સમકિત થવાનું કારણ છે. એમણે જે માન્યું છે તે જ મારે માનવું. જેટલે ભાવ દેહ પ્રત્યે અને બીજી બાહ્ય વસ્તુઓ પ્રત્યે છે તે બધે પલટાવવા આ સાત પ્રકારે પુરુષાર્થ બતાવ્યું, તેમાં જ ભાવ કરવાને છે.
આ જીવને પિતાના સ્વરૂપનું ભાન નથી તેથી બીજું બીજું માને છે. પિતાની મતિએ થાય એવું નથી. મતિ અને વચનથી પર વસ્તુ છે. જેણે એ વસ્તુ જાણે છે, તેની પાસેથી જણાય. આ જીવને અશાંતિ અનંત કાળથી છે. શાંતિ મળી નથી. કેઈસપુરુષ મળે, તેના પ્રત્યે ભાવ થાય તે કષાય મંદ થતાં, શાંતિ થાય. સમકિતનાં કારણે આ પત્રમાં કહ્યાં છે. - નિરંતર ઉદાસીનતા એટલે બેસતાં, સૂતાં, ખાતાં, સાંજ, સવાર, બપોર લગાતાર ઉદાસીનતા. ઉદાસીનતા વગર ક્ષણ વાર પણ ન રહે. માથે મરણ છે અને હું શું કરું છું ! એમ વિચારે તો ઉદાસીનતા રહે. મને ક્યાં આનંદ આવે છે? તે તપાસવું. પુરુષનાં ચરિત્રોનું સ્મરણ કરવું. વિચાર કરે, સપુરુષ શું કરવાથી થયા? શમ સંવેગાદિ ગુણે પ્રગટ કર્યા તેથી થયા. દેહભાવ હોય તે સરુષપણું નથી. સત્પની વીતરાગતા મુખમુદ્રામાં જણાય છે. એમાં વૃત્તિ ચોંટે તો એ દશા પ્રાપ્ત થવાનું કારણ થાય. નિદિધ્યાસન એટલે ભાવના કરવી. એઓ મનવચનકાયા કેમ વાપરે છે એ ઊંડા ઊતરીને વિચારવું. જ્ઞાનીએ જે માન્યું તે જ મને હે એમ રાખવું. જ્ઞાનીની માન્યતાએ આપણી માન્યતા થાય તે સમ્યગ્દર્શન થાય. એ ભક્તિ વગર થતું નથી. માટે ભક્તિ કરવી. બધાનું ફળ શ્રદ્ધા આવવું જોઈએ.
પ્રશ્ન-સપુરુષ પાસે પણ મનવચનકાયા છે, આપણી પાસે પણ છે, પણ એમની ચેષ્ટા ભવ છેડે છે એનું કારણ શું?
ઉત્તરહાથપગવાળા ઘણા જોયા છે, પણ સત્પરુષ તે બધું છૂટવા માટે કરે છે. બીજા બધા બંધાય છે. પુરુષમાં અલૌકિકતા છે. ક્ષણે ક્ષણે કર્મ બંધાવે એવું મન છે, તેને પુરુષ સ્વરૂપમાં બાંધી દીધું છે. વચનને વીતરાગવાણી–સ્વાદુવાદવાણમાં જોડી દીધું છે. કાયાને પણ તેવી રીતે વીતરાગમાર્ગમાં વાપરે છે. પુરુષને સ્વાર્થ હોતો નથી, મમતા હોતી નથી. એક મોક્ષ જેનું ધ્યેય છે, તે છૂટે છે. સંસારની ઈચ્છા પલટાવી “માત્ર મક્ષ અભિલાષ” કરી નાખી છે. કામ, માન એ બધાંને સવળાં કર્યા છે. તેથી એમની ચેષ્ટામાં અદ્દભુત રહસ્ય હોય છે તે ઊંડા ઉતરી સમજવું. પુરુષે કેમ વર્તે છે? કેવા ભાવે રાખે છે? તે પ્રત્યે દષ્ટિ રાખવી એમ કહેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org