________________
વચનામૃત-વિવેચન
૩૫ એક વાક્યથી જાગે તે અનંત આગમ ભણી ગયે. સત્પરુષે એક શબ્દ આપે હોય તેમાં બધાં આગમ આવી જાય છે. એક શબ્દ કહે તેમાં બધાં શાસ્ત્રો આવી જાય.
સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એમ કહ્યું, એમાં આત્માને કહેનાર શબ્દ આ તેથી બધાંય શાઓ આવી ગયાં. સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્મા થયા તે પરમગુરુ છે.
સપુરુષનું એક એક વચન આત્મામાંથી નીકળે છે. તે આત્મા સુધી લઈ જાય એવાં છે. અને આત્મામાં તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન થાય એવાં બધાં જ્ઞાનીનાં વચનો છે. આગમ એટલે શાસ્ત્ર. આગમ એટલે આવવું. ભગવાન પાસેથી જે જ્ઞાન આવ્યું તે આગમ કહેવાય છે.
મુમુક્ષુઓને કલ્યાણકારી આ પાંચ વાક્યો છે. બધા જ્ઞાની પુરુષની સાક્ષીથી આ લખ્યાં છે.
માયિકસુખ, ઈન્દ્રિયસુખ, સંસારસુખ બધું છૂટે ત્યારે મોક્ષ થાય. મોક્ષે જવાની ઈચ્છા છે, તે માયિક આ છોડવું પડશે, તેની ઈચ્છાઓ છોડવી પડશે, તે આજથી જ ઈચ્છાઓ ઓછી કરવાને અભ્યાસ કરવો. માયિક વાસના પિતાની મેળે છૂટે નહીં. મદદગારની જરૂર છે. એ છૂટવા માટે ઉપાય એ કે સદ્ગુરુની પહેલી શોધ કરવી. પછી મન-વચનકાયાથી અર્પણતા કરવી. પિતાપણું કાઢી નાખવું. જેટલી શક્તિ છે તે તેની આજ્ઞાઆરા ધનામાં વાપરવી. પાછું ન હઠવું. એટલું કરે તે માયિક વાસના જાય.
અનંતકાળથી પરિભ્રમણ છે, એમાં વિદ્યા ઘણી વાર ભણે, જિનદીક્ષા લીધી, આચાર્યપણું મળ્યું, પણ સત્ મળ્યા નથી, સત્ પામવા પ્રથમ જ્ઞાની કહે તે સાંભળવું, પછી એની શ્રદ્ધા કરવી. પિતાના ભાવથી બંધાય છે, પિતાના ભાવથી છુટાય છે. અંતરંગ ક્રિયા છે તે સદ્ગુરુ વિના સમજી ન શકાય. માટે સદ્ગુરુની ભક્તિ, શરણુ લેવાં. જ્ઞાન જોઈતું હોય તે જ્ઞાની પાસે જવું. જ્યાં મોક્ષમાર્ગ છે, ત્યાં જાય તે મોક્ષમાર્ગે ચઢે. અનાદિકાળથી પરિભ્રમણ કરતું આવ્યું છે, પણ આત્મા પ્રાપ્ત થયે નથી.
સપુરુષનું એાળખાણ થવું મુશ્કેલ છે. ઓળખાણ થયા પછી જે એક વચન મરતાં સુધી પકડ કરી લે તે મોક્ષ થઈ જાય. સમ્યગ્દર્શનજ્ઞાનચરિત્ર એ મોક્ષમાર્ગ છે અને એ આત્મા જ છે. બહાર શોધવાથી ન મળે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે બે અક્ષર કયા હશે? ૫. ઉ. પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાન અને જ્ઞાની. [વ. ૧૭૦]
૪૨ શ્રીરાઆ. અગાસ, અષાડ સુદ ૧૨, ૨૦૦૯ કૃપાળુદેવને બીજું કરતાં આત્મા ભુલાતું નથી. તીર્થંકર પદવીનું માન નથી જોઈતું, પણ તેમણે જે પદ્ધતિ કરી છે તે કરવાની ઇચ્છા છે. તીર્થકરે જગતનો ઉદ્ધાર કર્યો છે અને પોતે મોક્ષે ગયા છે. તીર્થંકરની પદવી મોટી કહેવાય છે, તે સમવસરણ વગેરે અમારે જોઈતાં નથી. પૂર્વે તીર્થંકર-નામકર્મ બાંધ્યું હતું તેથી તીર્થંકર થયા. તીર્થકર જે રાગદ્વેષ ટાળીને બીજાને ઉપકારી થયા તે કરવાની ઇચ્છા છે. તરવાના સાધનની પરંપરા ચાલે એવું કરવાની કૃપાળુદેવની ઈચ્છા છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org