SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ RE વચનામૃત-વિવેચન વાને અવસર આ મનુષ્ય દેહ છે, પણ તેમાં આ જીવ કર્મ બાંધ બાંધ કરે છે. “સપુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે” (૧૬૬). એક વચન પકડાય તે બધાં આગમને સાર આવી જાય, પણ માહાસ્ય ન હોય તે આ કાને સાંભળે અને આ કાને કાઢે. કૃપાળુદેવ કહે છે કે આ જીવે શું કરવા આવ્યા છે? એક વચન સાંભળે તે એને ઉદ્ધાર થાય, પણ જીવને આ તરફ વૃત્તિ જતી નથી. મઘાનાં પાણી ભરી લેવાનાં છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્મસિદ્ધિ લબ્ધિને ભંડાર છે. પહેલાં ચાર જણને માટે લખાયેલી પણ હવે બધાને આપી. પણ એને કંઈઉપયોગ થતો નથી. જીવને ધમની ગરજ નથી. ભૂખ્યો હોય તો રસ આવે, નહીં તો કંઈ નહીં. ઉત્તમ વસ્તુ પેસવાની જગ્યા નથી. સત્સંગનું, જ્ઞાનીનાં વચનનું માહાત્મ્ય નથી. અગ્યો છે. કપાળદેવે યોગ્યતા જોઈને ચાર જણને આત્મસિદ્ધિ આપી તે તેમણે કામ કર્યું. જેટલી ગરજ ઓછી તેટલું ઓછું કામ થાય. આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ દશનને સાર છે. આપણા હાથમાં આવ્યું તે મંડી પડવું. કઈ સાધુએ મહિને ઉપવાસ કર્યા હતા. કૃપાળુદેવ તે વખતે આણંદ હતા. તે સાધુને વાંદવા ઘણા લોકો આણંદ થઈને ખંભાત જતા હતા. કૃપાળુદેવે તે વખતે આ “મૂળમાર્ગ” રએ અને કહ્યું કે મૂળમાર્ગ તે આ છે અને તમે માનો છો એ તે કુળમાર્ગ છે. અનાદિથી જેનું ભાન નથી તે કહ્યું. “ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ. મૂળ૦ એમ જાણે સજી-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” મૂળ૦ એવી ઉત્તમ વસ્તુ કહી, પણ જીવને ગરજ નથી. મને જાગૃત કરવા કહ્યું છે. શામાં કાળ ગાળું છું? એમ વિચાર કરીને પાછો હઠે તે એક વચન મોક્ષે લઈ જાય. પરિણામ પામવું જોઈએ. એક વચન પણ પરિણામ પામ્યું નથી. સરલતા જીવને નથી. ઉપરથી સારું દેખાડવું છે, પણ સારું કરવું નથી. જીવને કપટીપણું ગમે છે, ઉપર ઉપરથી સારું દેખાડવું ગમે છે. બહુ જાણીને શંકા કરે છે, અને એને જ્ઞાન માને છે. જીવ લોકરંજન કરવા માટે કરે છે. જે તરવાને માગે તેમાં શંકા કરવી, એ તે પિતાને ને પરને દુર્લભબોધિપણું પ્રાપ્ત કરાવે એવું છે. છેતરવાનો ધંધો કરે, તેમાં સારા ધમી માણસ આવે તેને પણ છેતરે છે. મને પાપ લાગશે એમ લાગતું નથી. ડાકણ હોય તે ય એક ઘર બાકી રાખે છે, પણ એ તે ધમી અધમી એક સરખા માને છે. ધર્મનું માહાસ્ય કંઈ રહ્યું નથી. કોઈ કમાય તો આખું કુટુંબ એના ઉપર પ્રેમ રાખે છે અને તે એ કે જે એવો પ્રેમ પ્રભુ પ્રત્યે કરે તે ભગવાનને પામે. ભગવાનની પ્રાપ્તિ કરવી છે તેને ભગવાનના ગુણોમાં વૃત્તિ રહે, બધાને દાસ છું એમ રહે, એ કરવાનું ભૂલી ગયા છે. હું ડાહ્યો છું, મટે છું, એમ કરે છે, દાસત્વ જોઈએ ત્યાં અભિમાન લઈ બેઠે છે. લઘુતા મેરે મન માની, યહી ગુરૂગમ જ્ઞાન નિશાની. ” (ચિદાનંદજી). મોક્ષે જવું હોય તો ભગવાનનાં વચનમાં વૃત્તિ રાખવી. જ્યાં આત્મા છે ત્યાં બધું છે – સમ્યક્ત્વ, કેવળજ્ઞાન બધું છે. આત્મા ભુલાઈ ગયે છે. એ આત્મદષ્ટિ સન્દુરુષને હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy