SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત ૩૭ જ્ઞાનાપેક્ષાએ ભગવાન સવવ્યાપી છે. સિદ્ધાલયમાં ભગવાન છે. ३२ [. ૧૫૮] [વ. ૧૬૩] ૩૮ શ્રી રા॰ આ॰ અગાસ, વૈ॰ સુદ ૧૪, ૨૦૦૮ આજ્ઞા ન ચુકાય એ લક્ષ રાખવા જરૂરના છે. ક્ષણ વાર પણ ભગવાનને ચિતવવા સુરકેલ છે. ક્ષણવાર પણ ભગવાનમાં પ્રેમ રહેવા એ આ કાળમાં મુશ્કેલ થઈ પડયુ છે. બીજી વસ્તુએ જે આવી પડે છે તેના પુરુષા કરે છે. એ બધાથી નિવૃત્ત થાય ત્યારે ભગવાનમાં પ્રેમ આવે. આત્માને આવરણ થાય એવું કર્યાં કરે છે. જીવ પેાતાના વિચાર કરવાને નવરા નથી. મનુષ્યભવમાં શું કરવા જેવુ છે? જે કરીએ છીએ એનુ ફળ શું આવશે? એના વિચાર નથી આવતા. બીજા વિચારો કરે છે. જીવને નિવૃત્તિની જરૂર છે. રાતદિવસ ગડમથલમાં વખત જાય છે. નિવૃત્તિને ભૂલી જ ગયા છે. આત્માને નિવૃત્તિની જરૂર છે. એવું એને ભાન નથી. ચાડીક નવરાશ લઈ આત્માનું હિત થાય એવું કરવાનું સૂઝતું નથી. જીવને નિવૃત્તિની ખબર નથી. જ્ઞાનીએ ઊંઘતાને જગાડે એવું આ કહ્યું છે. કંઈક નિવૃત્તિ લાવ, તેા તેનુ ફળ આવશે ત્યારે ખખર પડશે. “ જેમ તેમ શુભાશુભ કપ, જાણ્યાં સફળ પ્રમાણ; નિવૃત્તિ સફળતા, માટે મેક્ષ સુજાણુ. Jain Education International એ શુભાશુભ ભાવથી નિવૃત્ત થવુ છે, એવું ભાન નથી. શું સુખ છે? તેનું ભાન નથી. લેાકેા જેને સુખ કહે છે તે સાચું સુખ નથી. પાછળ દુઃખ આવે એવુ છે, છેતરે છે. એ સુખ નથી, “ પશ્ચાત્ દુઃખ તે સુખ નહી.” જેની પાછળ દુઃખ આવે તે સુખ ન કહેવાય. સુખ તેનુ નામ કે જેની પાછળ દુઃખ ન આવે. ઉપર ઉપરથી સુખ લાગે પણ ફળ દુઃખ આવે છે. સુખાભાસ છે તે મેાક્ષના સુખને ભૂલાવે છે. એ સુખાભાસને સાચું જાણીને મથી રહ્યો છે. જગતનાં સુખ મધાં ઠગવાવાળાં છે. જ્ઞાની એને સુખ કહેતા નથી. આત્માને સુખી કરવા માટે જરાક પણ નિવૃત્તિ મેળવવી. ,, મેાક્ષની ગરજ પણ નથી. એને કંઈ સાંભળે તે ગરજ જાગે ને ? વૃદ્ધમર્યાદા સાચવવી એ રહ્યું નથી. ધમ ની મર્યાદા પણ નથી રહી. એને ધમની ગરજ હોય તે ધમ નુ માહાત્મ્ય લાગે નહીં તેા તિરસ્કાર કરે કે ધમાઁથી શું મળવાનુ છે ? કઈ પૈસા મળવાના છે ? એમ તિરસ્કાર કરે છે. એક ક્ષણવાર પશુ અખંડ પ્રેમથી ભગવાનને સભારતા નથી. રાગદ્વેષમાં પ્રવર્તે છે. રાગદ્વેષની નિવૃત્તિ કરવાની છે. નિવૃત્તિ શું છે? શું કામની છે? એનું ભાન નથી. જગતનાં સુખ ઝાંઝવાનાં પાણી જેવાં છે તે લેવા દોડે છે. પરગામ પૈસા કમાવા જાય, ત્યાં દુ:ખી થાય તે પણ સુખ માને. શાને સત્સંગ કહે છે? એની ખખર નથી. સત્સ`ગ કરવા જતાં ખીજામાં રાકાય છે. સત્સંગનું માહાત્મ્ય નથી. મનુષ્યભવમાં દુલ ભ વસ્તુ સત્સંગ છે. પુણ્યના ચેાગે સત્સ ંગની પ્રાપ્તિ થાય, પણુ દુર્લભતા લાગવી મુશ્કેલ છે. કંઈક ઠરવાનું ઠેકાણું તેા સત્સંગ જ છે. સત્સંગ ન હેાય ત્યારે માયામાં તણાય છે. અનાદિના કર્યાંથી છૂટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy