________________
વચનામૃત-વિવેચન એ છે કર હેય તે એ છ થાય. લેભનાં નિમિત્તો ગોઠવે તે લોભ વધે. (૩) બધાયથી છુટાય એવું કરવાનું છે. નકામી ઇચ્છા ન કરવી. “ક્યા ઈચ્છત ખેવત સબે, હે ઈચ્છા દુઃખમૂલ.” ઈચ્છા જે નિરંકુશ રાખી તો ઘણાં કર્મ બંધાશે, નહીં તે ચેડાં બંધાશે. ચેતતા રહેવાની જરૂર છે. “ચેતતા નર સદા સુખી.” જ્ઞાનીઓએ કહ્યું છે તે સંભારતે નથી. ઈચ્છા રોકવી એ તપ છે અને જેટલું તપ થાય તેટલી નિજ૨ા થાય. વૈરાગ્ય રાખવો. ઘણુંય ખાધું, ઘણુંય પીધું, પણ આત્માનું કલ્યાણ ન થયું. રસ્તે પલટાવવાનો છે. મોક્ષમાર્ગે ચાલવાનું છે. (૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને. આત્મામાં અનંત સુખ છે, બહાર નથી. આત્મા પરમ સુખી છે. (૫) બધુંય સપુરુષ મળશે ત્યારે ફળશે. માટે પહેલાં સન્દુરુષને શોધવા. પછી તેઓ ગમે તેવાં વચને કહે તેમાં શ્રદ્ધા રાખવી. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” વૈરાગ્ય હોય તે સત્પરુષ ઓળખાય. પુરુષ મળે તે બધું થાય. જ્ઞાની પુરુષને યેગ મળ્યા પછી જે કરશે તે બધું સવળું થશે. જ્યારે ત્યારે પણું જીવનું કલ્યાણ થવું હશે ત્યારે પુરુષથી જ થશે. સપુરુષ ઓળખાશે ત્યારે મોક્ષમાર્ગે ચઢાશે.
[વ. ૧૪૭]
૩૦ શ્રી રા૦ આહેર, ફાગણ સુદ ૧૫, ૨૦૦૮ જ્ઞાનીની આજ્ઞાથી કલ્યાણ છે. મને પરમાર્થ પ્રાપ્તિ થઈ છે એમ માનતા હે તો તપાસવું કે મારી વૃત્તિ પરમાત્મામાં એકતાન છે કે નહીં? જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવાનું છે.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડો ન સશુરુ પાય.” એવી લય લાગે ત્યારે જ્ઞાનની આજ્ઞા વિસરાય નહીં. એવું થયું હોય તો પરમાત્મામાં એકતાન છે એમ જાણવું. જ્ઞાનીની આજ્ઞામાં એકતાનતા છે, તે ધર્મધ્યાન છે. આત્મવિચાર કરવા માટે ધર્મધ્યાન એ માગ છે. બીજેથી છૂટવું અને આત્મામાં એકતાન થવું એ સહેલું નથી. અનાદિના સંસ્કાર છે તેથી જીવ સંસારમાં સારું-ખોટું કર્યા કરે છે. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. જેટલી આજ્ઞામાં એકતાનવૃત્તિ થાય તેટલું જગતનું વિસ્મરણ થાય. એ જ કરવાનું છે. માર્ગ એ જ છે. પરમાર્થ સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે. આજ્ઞામાં જ વૃત્તિ સ્થિર કરવી. આજ્ઞામાં એકતાન થશે ત્યારે કલ્યાણ થશે. એવી લય લગાડવાની છે. માર્ગાનુસારી થયા છે તેઓને, એ જ કરવું છે એમ થયું હતું. માહાસ્ય લાગે ત્યારે આજ્ઞા આરાધાય, એકતાન થવાય. આ વસ્તુ વગર મારે ન ચાલે એમ હોય ત્યાં આજ્ઞામાં એકતાનતા નથી. આજ્ઞામાં એકતાન થવું બહુ અઘરું છે. આજ્ઞામાં એકતાન કેવી રીતે થવાય? આટલો વિચાર કરે તે મોક્ષ છે. જીવ બીજી બીજી ઈચ્છાઓ કરે છે. આજ્ઞા સિવાય બીજું કંઈ ગમે નહીં એવું કરવાનું છે. મુમુક્ષુઓને કૃપાળુદેવ ચેતાવતા કે આજ્ઞામાં એકતાન થાઓ. સત્સંગે જીવને જાગૃતિ રહે છે. ભુલાય નહીં. જાગે ત્યારે આજ્ઞામાં તન્મયતા થાય. સત્સંગે સાંભળી સાંભળીને જાગૃતિ આવે છે. ગમે તેમ હોય, લેકે નિંદા કરતા હોય, ગમે તેટલી મુશ્કેલી હેય પણ આજ્ઞામાં એકતાન થવાનું છે. માર્ગ એ જ છે. જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી. આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org