SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત મળે ત્યારે ઢીલું પડી જાય છે. એકતાન થતું નથી. માર્ગાનુસારીને સ્વભાવ જ એ હોય છે કે રાતદિવસ આજ્ઞામાં જ વૃત્તિ રાખે. જીવ જ્ઞાનીની પાછળ પડતું નથી. મંડી પડવાનું છે. સંસારની વસ્તુઓ પરથી વૃત્તિ ઉઠાડવાની છે. સંસારમાં કશું પ્રિય કરવા જેવું નથી. “જે પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી” (૧૯૮). આજ્ઞામાં એકતાન થવું એ એને સાંભરતું નથી. હરિ પ્રત્યે અખંડ લય લાગવી એ વૈરાગ્ય છે. એ ન હોય તે વૈરાગ્ય નથી. અખંડ લય લગાડવાની છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” ત્યાગ વૈરાગ્ય તે જોઈશે. વિ. ૧૫૦] ૩૧ શ્રી રા. આઅગાસ, અષાડ સુદ ૩, ૨૦૦૯ મોતનું ઔષધ શું? જન્મમરણ છૂટે એવી જ્ઞાની પુરુષ કઈ વાત કહે છે તે. આત્મા મરતે નથી, એમ જ્ઞાની કહે છે પણ પાછો બીજાને મારતાં, આત્મા ક્યાં મરે છે એમ કરે છે. સ્યાદ્વાદ માર્ગ છે. ન સમજાય તો એવું થાય. તારો કોણ? તારો આત્મા. એ કોણે જા? સદ્દગુરુએ. જેણે આત્મા જાણે છે તેના પ્રત્યે પ્રેમ કરવાને છે. ૩૩ [વ. ૧૫૬] ૩૨ કેવળજ્ઞાન થાય ત્યારે કશું બાકી રહે નહીં. ભગવાને ત્રણે કાળ મૂઠીમાં લીધા એટલે જાણ્યા. [વ. ૧૫૭–૧]. બધા જ સુખને ઈચ્છે છે, પણ સાચું સુખ શું? તેની ખબર નથી. જેને મોહ પાતળો પડ્યો હોય, દશનમોહ ઘટયો હોય તેને સુખ થાય. તે માટે અનંત પ્રકારની પ્રીતિ બીજે છે તે પરમ પુરુષમાં થાય તે પછી પોતાનું સ્વરૂપ ભાનમાં આવે. આત્માને સુખ નામને ગુણ છે. આત્મામાં સુખ છે એવું જેને મેહ ઓછો થયે હોય તેને જ્ઞાનીના બધથી સમજાય છે. જે મોહ ઓછો થયો હોય તો જ્ઞાની કહે તે એને માન્ય થાય; પણ મેહ એ છે ન થયું હોય તે માને નહીં. “સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ.” (૭મી દષ્ટિ) એટલી જેની દષ્ટિ થઈ હોય તેને એ દષ્ટિએ આત્મગુણ પ્રગટે. પિતાને વશ હોય તે સુખ છે. પરાધીનતા એ જ દુઃખ છે. સુખને સ્વાદ ચાખે તે છોડે નહીં. મીઠું લાગવું જોઈએ. જેમ બાળકને પહેલાં ઘી-સાકર ચટાડે તે થુંકવા લાગે પણ જ્યારે મીઠું લાગે ત્યારે આંગળીઓ ચાટવા લાગે છે. તેમ જીવને મીઠું લાગવું જોઈએ. આપણે શું કરવું છે? શું કરવાનું કહ્યું છે? એ વિચારવાનું હાથમાં આવે છે તેથી હિત થાય. નહીં તે બીજાના અથવા બહારના વિચારો આવે. સુખ તે પુરુષોએ શોધી કાઢયું. એને જેણે આરાધ્યું તે સુખી થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy