SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત જ્ઞાન પણ બહુ છે. ગમે તેટલું ભણ્યો હોય પણ જે આત્માને ન જાય તે બધું નકામું. નિજ કલ્પનાથી કટિ શાસ્ત્રો માત્ર મનને આમળો.” આત્મજ્ઞાન સિવાયનું જ્ઞાન છે તે અજ્ઞાનરૂપ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. તે ન થઈ તે તે જ્ઞાન નહીં. જે મૂળ જ્ઞાન છે તે આત્માને શાંતિ આપનાર છે. અનંતવાર શાસ્ત્ર ભણ્યા છતાં રખડવું પડયું છે. શું કરવા હું શાસ્ત્ર ભણું છું? એ લક્ષ ન હોય તે કંઈ ન થાય. અનંતકાળથી જીવ દેડ દેડ કરે છે. ભૂલ કાઢનારે નથી મળ્યું. ભૂલ સાથે રાખીને કામ કર્યું છે. મેહ માગ આપે તે આત્મા ભણી વૃત્તિ જાય. એટલા માટે થઈને જ્ઞાનીઓએ મોહને દૂર કરવાનું કહ્યું છે. પહેલાં દર્શનમોહ જાય તો સમ્યકત્વ થાય. પિતાનાં પરિણામ તપાસવાનાં છે. દેહમાં રહેલા આત્માને ન જાણે એ મોટી ભૂલ છે. જે શાસ્ત્રાભ્યાસ કરવાથી આત્મહિત થાય તેવાં શાસ્ત્ર ભણવાં. સ્યાદ્વાદ માર્ગ છે. બધુંય જાણીને શ્રદ્ધા તે પુરુષની કરવાની છે. આત્મજ્ઞાન પામ્યા છે એવા સદ્ગુરુ પાસેથી આત્મા એાળખાય. જેમ જેમ જ્ઞાની પુરુષની ઓળખાણ જીવને થાય છે તેમ તેમ અનંતાનુબંધી મંદ પડે છે. જેટલી ગ્યતા હોય તેટલી ઓળખાણું પડે. ગ્યતા લાવે એમ પ્રભુશ્રીજી કહેતા. વૈરાગ્ય ઉપશમ એ યોગ્યતા છે. જેને વસ્તુ પ્રાપ્ત થઈ છે તે આત્મા જુએ છે. આત્મા પિતાના સવરૂપને ભૂલ્યા છે. જે જાણનારે છે તેને માન નથી. “ જાણનાર તે ભાન નહીં, કહીએ કેવું જ્ઞાન ? ” જ્યાં સુધી જીવને ત્યાગવૈરાગ્ય ન હોય ત્યાં સુધી તેને ગમે તેટલું કહે તે પણ ન સમજાય. “ ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” આટલી જ ખામી છે. એક વાર કહે તેથી જીવ માને તેમ નથી. જીવને જ્યાં સુધી કષાયની ઉપશાંતતા ન થાય ત્યાંસુધી ગ્યતા આવે નહીં. [વ. ૧૪૧] સભામાં. ૨૮ શ્રી. રાત્રે આ અગાસ, અષાડ સુદ ૨, ૨૦૦૯ શ્રીમદ્ભાગવતમાંથી વેદાંતને આ લેક છે, તેમ છતાં ઉત્તમ છે. ઈચ્છા, રાગ-દ્વેષ જેને નથી અને જે સર્વત્ર સમચિત્તવાળા છે, તે ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા. ભક્તિથી જીવનું કલ્યાણ થાય છે તે બતાવવા કહે છે કે ઈચ્છા અને શ્રેષથી રહિત એવા જ્ઞાની પણ ભગવાનની ભક્તિને ઈચ્છે છે. કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે તમારે સમાગમ અમે ઈચ્છીએ છીએ, પણ પ્રારબ્ધ એવું છે કે સાથે રહેવા દેતું નથી. [વ. ૧૪૩] ૨૯ શ્રી. રાવ આહેર, ફાગણ સુદ ૪ દિ, ૨૦૦૮ (૧) ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયને શમાવવાના છે. કષાનાં નિમિત્તેમાં ન રહે તે એથી ઉદય આવતા કષાયે રોકાય. (૨) લેભને વધારવો હોય તે વધે અને Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy