________________
બેધામૃત પિતે પિતાના અંતરાત્માને પૂછે કે હવે રાગદ્વેષ ન કરવા, ફરી ન જન્મવું એવાં પ્રત્યાખ્યાન લઈ શકાય? તો કે લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. જેમાં રાગદ્વેષથી સંસારમાં ભટક્યો એ આશ્ચર્યકારક છે તેમ રાગદ્વેષનાં પચ્ચખાણ કરી છુટાય છે તે પણ આશ્ચર્યકારક છે.
[વ. ૧૩૩] સભામાં.
૨૫ શ્રી રા. આઅગાસ, અષાડ સુદ ૧, ૨૦૦૯ કૃપાળુદેવ સભાગભાઈને પિતાને જે ઉપાધિગની મુશ્કેલી છે તે લખે છે. સંસારમાં બેઠા છે, તેથી ઉપાધિ તે આવે જ.
સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ રાખવી એને પરમ ધર્મ કહ્યો છે. પુરુષ પ્રત્યે વિશ્વાસ હોય, તેમની ભક્તિ હોય તે પછી કંઈ વાંધો નહીં. પ્રભુશ્રીજી બપોરે બહેને દર્શન કરવા આવે ત્યારે નાનાં છોકરાંઓને પ્રસાદ આપતા. એક દિવસ નારંગીના છેડાના કટકા કરી બધાને આપ્યાં ને કહ્યું કે ખાઈ જાઓ.
જ્ઞાની પુરુષને દુખ આવે તે દુઃખ માને નહીં. જ્ઞાનીને તે જે થાય તે ભલું, એમ માનવામાં આવે છે. આપણે એ કરવાનું છે. પ્રીતિ અપ્રીતિ ન કરવી, રાગદ્વેષ ન કરવા, તે કર્મ ન બંધાય. જે છે તે , એમ રાખવું. વિભાવનું દુઃખ છે. કૃપાળુદેવને જે અંતરમાં વૈરાગ્ય છે, તેવી બાહ્ય પ્રવૃત્તિ થઈ શકતી નથી. બાહ્યથી આત્મભાવે પ્રવૃત્તિ કરવાને કેટલોક અંતરાય છે અર્થાત્ સાધુપણું ઉદયમાં આવ્યું નથી. આત્માનું સુખ ત્યાગીને બીજું કંઈ ઈચ્છતા નથી. દેહ ધારણ કર્યો હોય તેને દુઃખ તે આવે. શારીરિક વેદના એ દેહને જ ધર્મ છે. દેહ ધારણ કર્યો ત્યારથી શાતા કે અશાતા છે જ. મનુષ્યભવ છે ત્યાં સુધી આમાનું કલ્યાણ કરી લેવું. આત્મા વિમરણ ન થઈ જાય. કૃપાળુદેવ કહે છે કે હવે જન્મવું જ નથી. આ જગ્યાએ જન્મ થાય તો સારું, એમ એમના મનમાં નથી. સંસાર એમને ગમતો નથી. ભવ ઊભા કરવા આ મનુષ્યભવ ગાળ નથી, એમ જેને નિશ્ચય થયો છે તેને એમ લાગે કે નિર્મથદશા સિવાય જીવવું નથી. અરિહંત કે સિદ્ધ જેવી દશા સિવાય જીવવું નથી. એવું ન હોય તે મોહને ક્ષય કરવા માટે નિર્ગથદશા હોય તેય સારું. નિઝ થતા વિના એક ક્ષણ પણ જવી દુર્લભ છે, તે આખી જિંદગી નિગ્રંથતા વિના કેમ જશે? એમ કહે છે.
તિષ સંબંધી કોઈ પૂછે તે જ્ઞાનીને ગમતું નથી. જે મેહાધીન જ હોય તે એવા પ્રશ્નો પૂછે છે. પુરુષને વેગ મળે, તેય પાછું આત્માનું કલ્યાણ ભૂલી જ્યોતિષનું પૂછે તે આત્માનું કલ્યાણ ક્યારે થાય ?
[વ. ૧૩૫ સભામાં
મોહાસક્તિથી મુઝાય અને મોક્ષમાર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ છે. મુમુક્ષુતાના અંશે તમારામાં આવ્યા છે તે જોઈ સંતોષ થાય છે. પુરુષને યોગ થયો છે અને છૂટવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org