SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત–વિવેચન ૫ તા કહું. તમારી સૌથી જે પુરુષ ક્રીડા કરતા હતા તેને તમે માર્યાં હતા, તે જ મરીને આ તમારા છોકરા થયા છે. ” જીવે સમાધિસુખ ભૂલીને બધું બીજું જ કર્યું' છે. આ મનુષ્યભવ લુંટાય છે, તેની જીવને કિંમત નથી. આખા જગતનું નાશવત સ્વરૂપ છે, તેમ છતાં જીવને વૈરાગ્ય થતા નથી. અધું કલ્પિત છે. આ જીવે અનંતકાળથી શું શું કર્યું છે ? બધું ચીતરી ચઢે એવું કર્યું છે. કૃપાળુદેવને જાતિસ્મરણ થયું ત્યારે થયું કે અનંતકાળથી ભટકથા પણ હુવે ન જ જન્મવું, એવા નિશ્ચય કર્યો. તે માટે શું કરવું ? ક્રી ન જ જન્મવું હાય તેા રાગદ્વેષ ન કરવા. રાગદ્વેષથી જન્મવુ થાય છે. ફરી ન જ જન્મવુ' એવી દૃઢતા છે તે પૂરી કરીશું એમ કૃપાળુદેવ કહે છે. માક્ષે જવુ છે અને વચ્ચે કમ ખાટી કરે છે. મનુષ્યભવનું માહાત્મ્ય જ્ઞાનીને લાગે છે. હવે આયુષ્ય થાડુ' છે માટે આયુષ્ય નકામું ન જાય એ પ્રમાણે વર્તવું. રાગદ્વેષ ન કરવા, પણ એવાં પાછાં નિમિત્ત મળે તેા એ કામ થાય. કાઈ સંત પુરુષના સમાગમ હૈાય તે રાગદ્વેષ મટાડવાનું થાય, પણ કાઈ ઠેકાણું એવું દેખાતું નથી. એ ખાટ હતી તે ૫. ઉ. પ્રભુશ્રીજીએ આ આશ્રમ સ્થાપીને દૂર કરી છે. ફરી ન જ જન્મવુ એવા નિશ્ચય કર્યાં છે, તેથી ગમે તે થાએ, ભલે જીવન એક સમય માત્ર હૈ। અને તે પણ દુનિમિત્ત હા, પણ રાગદ્વેષમાં મન દેવું નથી. હવે તેા ન જ જન્મવું' એમ દૃઢતા કરવી. ક્રોધ આવે ત્યારે શાંતિ રહે નહીં. ક્રોધ કરવા અને શાંતિ રાખવી એ ન થાય, એક થાય. એક સમયના પણ સદુપયેાગ કરી લેવા. કૃપાળુદેવ રાગદ્વેષ ન કરવા માટે હવે ભાવના કરે છે. પાતાના જે સ્વભાવ છે તેમાં જ રહેવું. “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” નિરતર સમાધિભાવ જોઈ એ. પછી શૂન્ય એટલે નિવિકલ્પભાવ સિવાય ક ંઈ નથી જોઈતું. એવું એ ઘડી રહે તે કેવળજ્ઞાન થાય. સ્વભાવવૃત્તિ પલટાતી અટકે તે નિર્વિકલ્પદશા થાય. તે ન હોય તા સ ંત પુરુષાના સમાગમ જોઈએ, તેથી એવી દશા થાય. પરમ સત્સંગ ન હેાય અને સામાન્ય સત્સંગ હાય તાય સારું છે. એ ન હાય તેા સદાચાર, મહાવ્રત વગેરે જોઈએ. એ પશુ ન હાય તે। ભગવાનની ભક્તિ સિવાય ક ંઈ નથી જોઇતુ. એટલું પણ ન હેાય તેા પછી ખીજું કશું માગવું નથી—કલ્યાણ થાય એવું માગવુ છે. ગમ પડચા વિના આગમ એટલે શાસ્ત્ર શસ્રરૂપ થઈ પડે છે. સત્સંગ ન હાય તે ધ્યાન તરગરૂપ થઈ પડે છે. લેાકેા કહે છે તે શું ખાટું છે? એમ લેાકસંજ્ઞામાં વા હાય તા માક્ષ ન થાય. સાચા વૈરાગ્ય પામવા લેકસગ ત્યાગવાના છે. નહી તા, જે ન ભાવતું ડાય તેને ત્યાગ કરે એમ વૈરાગ્ય દ્વેષરૂપે થાય. રાગદ્વેષ ન કરવા એના હાથની વાત છે. પહેલાં તે ક્રોધ ન કરવા, માન ન કરવું, એમ પ્રત્યાખ્યાન લેતા. જ્ઞાન થાય તેા બધાનાં પ્રત્યાખ્યાન થાય, પણ જ્ઞાન નથી તેથી ખીજું બધું મીઠુ લાગે છે. બીજા પચ્ચખાણુ તા લે, પશુ ફરી ન જ જન્મવું એ પ્રત્યાખ્યાન લે તે આશ્ચર્ય રૂપ છે, ४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy