SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૮૯ [ઉપદેશછાયા ચાલુ) શ્રી રા. આ. અગાસ, ભાદ્રપદ વદ ૧૦, ૨૦૦૮ (૧૦) આમ થાય તેય શું અને આમ થાય તોય શું” એમ હોય ત્યારે તરવાને કામી કહે, વાય, નહીં તે માનનો દાસ કહેવાય. સારું સારું કહેવડાવવાની ઈચ્છા હોય તેને સાચો વિચાર આવવો બહુ મુશ્કેલ છે. “બાલ ધુલી ઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે રે” (૫મી દષ્ટિ). આખું જગત એવું જ છે. પરિણતિ વિચારનારા બહુ જ ચેડા છે. સમભાવ થાય તે હિત થાય. રાગમાં સુખ નથી અને દ્વેષમાં પણ સુખ નથી. ભૂંડાની સાથે ભંડા થવાની જરૂર નથી. કોઈ ક્રોધ કરે તેની સામું બેલે તો એ પણ ભૂંડે છે. પૈસા ખર્ચે અને માન કરે એમાં એક તે પૈસા જાય અને બીજું પાપ બંધાય. કષાય ઘટાડે તે ધર્મ થાય, નહીં તે ધમ થાય નહીં. જેને વિચાર નથી તેને છૂટવાને આરે નથી. જ્ઞાનીનાં વચને વિચાર ન કરે તો આ કાને સાંભળે અને આ કાને કાઢે. વિચાર કરે તે પકડાય. તરવાર બાંધીને ફરે પણ મારે નહીં તે શા કામની? જ્ઞાનીનાં વચને મેઢે કર્યા, સાંભળ્યાં પણ એ પ્રમાણે ન વતે તે શા કામનું? વચને મોઢે કર્યા તે પ્રમાણે કરે તે તરવાર મારી કહેવાય. વિચાર કરે તો માર્ગ સૂઝે છે. ચેપડીમાં માર્ગ નથી. “વસ્તુઓ અનિત્ય છે, શરણ રહિત છે” એમ કહે, પણ નિમિત્ત આવે ત્યારે બીજે થઈ જાય. વિચાર ન હોય તે એને ક્યાં ક્યાં લઈ જાય. ' “ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” પિતાના ભાનમાં વતે તે કર્મ ન બંધાય. પરભાવમાં વતે તે કર્મ બંધાય, આત્મવિચારમાં રહે તે મોક્ષ થાય. ઉપદેશછાયા ચાલુ શ્રી રાક આ૦ અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૮ સાચું એને સમજાયું તે પછી સાચું પકડે. નાના ભાઈઓને નમસ્કાર કરવા પડશે એ અવળે વિચાર આવ્યું, તેથી બાર મહિના સુધી બાહુબળીને કેવળજ્ઞાન ન થયું. પછી જ્ઞાની પાસેથી વિચાર આવ્યો ત્યારે કેવળજ્ઞાન પામ્યા. પ્રત્યક્ષ જીવ દુઃખ વેદે છે, પણ મારે છૂટવું છે એમ નિશ્ચય થતું નથી. તો અધમાધમ છું. મારાથી બધાય સારા છે, મારા બહુ દેષ છે એમ કરવું હોય તો એમ થાય અને માન આવે તે બીજાના દેષ જુએ. આત્મામાં કઈ પુરુષ નથી, સ્ત્રી નથી, કદર નથી, વાણુઓ નથી, પાટીદાર નથી, સારો બેટે કઈ નથી. જ્ઞાનીએ જાણ્યો તે આત્મા, એ બધાથી ન્યાર છે. “કુલ ગામ કે પિંડે હિ ન્યારો.” એ બધું ફેરવી નાખવાનું છે. જે દેખાય છે તે માનવું નથી. અત્યારે આ બધું દેખાય છે તે વસ્તુઓ ગૌણ કરી નાખવી. હું તે કંઈ જાણતો નથી. દેહનું કલ્યાણ થવાનું નથી, આત્માનું કલ્યાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy