________________
૩૮૯
બધામૃત
ઘણા પુણ્યના ગે સત્યરુષ મળે છે. જ્ઞાની કહે છે તે સાચું છે એમ સાંભળે, વિચાર તે પછી સમજણ આવે. “વળે નાણે વિજળ સપુરુષને એગ થયા પછી સત્વરુષ તે જીવને દ્વેષનાં કારણ એવા આગ્રહ દૂર કરાવે છે. આગ્રહ હોય ત્યાં સુધી આત્માનું હિત ન થાય. મારે આત્માનું કલ્યાણ કરવું જ છે. તે ગમે ત્યાંથી થાય, ત્યાંથી મારે કરવું જ છે એવી મધ્યસ્થતા રાખવી. સત્સંગ એટલે આત્માને સમ પરિણામે ચઢાવે, રાગદ્વેષ દૂર થાય તે સત્સંગ છે.
હિંદુધર્મ અને મુસલમાનધર્મમાં બહુ ફેર છે. હિંદુઓમાં જેટલા મહાપુરુષે થયા છે તેટલા મુસલમાનમાં થયા નથી. આત્માની દષ્ટિએ હિંદુમુસલમાન બધા સરખા છે. વિવેક હોય ત્યાં ધર્મ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ.” આત્મા આત્મસવભાવમાં આવે, મિથ્યાત્વથી છૂટે, તેનું નામ મોક્ષ છે. મિથ્યાત્વ છૂટે ત્યારે જ મોક્ષમાર્ગમાં વળે છે. મિથ્યાત્વ જેટલું મુકાયું તેટલે મોક્ષ. સંસારવૃક્ષનું મૂળ મિથ્યાત્વ છે. જેનું મિથ્યાત્વ ગયું છે તેને વહેલે મડે પણ મેક્ષ છે, મોહનીય આદિ કર્મથી છૂટી જવાય તે મોક્ષ. મલિનભાવ છૂટે તે મોક્ષ છે. કર્મ વળગ્યાં છે તે છૂટે તે મોક્ષ. કેવળજ્ઞાન પ્રગટ થયું એટલે મોક્ષ જ છે. આત્માને સ્વભાવ જાણવાનો છે. જીવ યથાર્થ જાણતા નથી. છે આત્મા અને માને દેહ. એ જ ભ્રાંતિ છે. પિતાને સ્વભાવ જાણવાને છે. જાણનારે આત્મા છે તેની ખેજમાં રહે તે ભૂલ મટે. જ્ઞાની પુરુષને સંગ થાય તે મિથ્યાત્વ ખસે. એક જ વાણી નીકળે પણ પોતપોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે. પાણી વરસે ત્યારે જેમાં જાય તેવું થાય છે. આમલીમાં ખાટા રસે પરિણમે, લીંબડામાં કડવા રસે પરિણમે અને આંબામાં મીઠા રસે પરિણમે. તેમ જીવને યોગ્યતા પ્રમાણે ધ ગ્રહણ થાય છે.
“ જહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય;
સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય?” સપુરુષની આજ્ઞાએ સાધન કરે તે તે સત્સાધન કહેવાય. જીવ દોષ કાઢતે નથી. લૌકિકભાવમાં હોય ત્યાં સુધી કંઈ લાભ ન થાય. જ્યારે ભય લાગશે ત્યારે પુરુષાર્થ કરશે. છે. પદને વિચાર કરે તે આત્મજ્ઞાન થાય. જીવની માન્યતા સાચી થાય એવાં આ છપદ છે. મારું કશું નથી. આત્મા ત્રણે કાળ રહે એવે છે. બીજી વસ્તુઓ મારી નથી. એમ ભાવના કરવી. પરવસ્તુનું માહામ્ય લાગે છે, તેથી આત્માનું માહામ્ય લાગતું નથી. “આમાથી સૌ હીન.” મેટાઈ મૂક્યા વિના આત્માનું હિત ન થાય.
“ અધમાધમ અધિક પતિત, સકલ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ” આત્માને લક્ષ રાખીને સાધન કરે તે જીવને લાભ થાય. અહંભાવ, મમત્વભાવ આત્માને બગાડી નાખે છે. મેહનીયકમને ક્ષય થયે કેવળજ્ઞાન છે. આત્મા છે એમ માન્યતા થઈ તે ભૂલે ન પડે. જીવ અજાયે છે, માટે પુરુષે સાચું જાણ્યું છે અને સાચું હોય તે મારે ગ્રહણ કરવું છે એમ રાખે તે ભૂલ ન પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org