________________
વચનામૃત-વિવેચન
૩૮૭ તેથી શરૂઆતમાં પુરુષાર્થ વિશેષ વધારવાનું છે. ત્યાગવૈરાગ્ય માટે વધારે પુરુષાર્થ કરે. જોઈએ. જેટલી સમજણ હેય તેટલે વિરાગ્ય રહે છે. પુરુષને તે વૈરાગ્ય સહજ રહે છે, પણ આ જીવને તે સત્સંગ કરે તો વૈરાગ્ય થાય એવું છે. સંસારનું કંઈ ગમે નહીં એ પુરુષાર્થ કરવાનું છે. વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય હશે તે સપુરુષનાં વચને સમજાશે. જ્ઞાનીનાં વચનેમાંથી એક વચન પણ ગ્રહણ કરે તે પુરુષાર્થ જાગે. આત્મા તો ગુણને ભંડાર છે, પણ દેષથી ઢંકાઈ ગયા છે. જીવને આગળ વધવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગમાં સાંભળીને ગ્રહણ કરે તે જ સત્સંગ કર્યો કહેવાય.
શિષ્ય એ હવે જોઈએ કે જેને દેહની કંઈ કિંમત ન હોય. “ગમે તેમ હોય પણ મારે આત્મહિત કરવું જ છે” એટલી તૈયારી હોય ત્યારે જ્ઞાની પુરુષ તેને કંઈક કહે
છે. પિતાના ની પિતાને ખબર નથી. જીવ બીજાના દોષ દેખે છે, પણ પિતાના દેનું ભાન નથી. આ દેષથી ક્યાં જઈશ એ ભાન નથી. કોઈને વિરોધ ન કરે.
સપુરુષને સમાગમ અને તેની ભાવના કરવી દુર્લભ છે. કાળ એ છે કે સારી વસ્તુ ગમવી મુશ્કેલ છે. પાંચ ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા અને માન વગેરે કદાગ્રહ છે. પરવસ્તુમાં જેટલો રાગ છે તેટલે કદાગ્રહ છે. એ કદાગ્રહ સત્યરુષના ગે મધ્યસ્થતા આવે ત્યારે જાય છે. હું કંઈ ન જાણું એવું હોય તે કદાગ્રહ ન થાય. કૃપાળુદેવ એક વખતે ખંભાત પધારેલા. એક દિવસ એક વડ નીચે બધા સુમુક્ષુઓ સાથે હતા, ત્યાં બોષ ચાલતો હતું. તે વખતે સ્થાનકવાસી એક ભાઈએ કહ્યું કે મુહપત્તી બાંધીને બેસવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું કે આગમમાં મુહપત્તી ચાલી છે, પણ રે નથી ચાલ્યો! જીવને આગ્રહ હોય છે તેથી શુભ ક્રિયાથી પણ લાભ ન થાય, એક શબ્દ પણ પરિણામ પામે ત્યારે કહેવાય કે વૈરાગ્ય થાય છે. ગ્યતા આવવાનું કારણ બ્રહ્મચય છે.
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય અતિમાન. ” વૃત્તિઓને શેકવી. સંસારમાં સુખ નથી, જ્ઞાની કહે છે તેમાં સુખ છે, એમ થશે ત્યારે
ગ્યતા આવશે. આત્મકલ્યાણ કરવું હોય તે મોટાઈ મૂકવી પડશે. પિતાના દોષે ભણી જીવને વૃત્તિ જતી નથી. પંચેન્દ્રિયના વિષયમાં વૃત્તિ રહ્યા કરે છે. સત્પરુષના રોગ વિના સંસારથી પાછું વળાતું નથી. મનુષ્યભવ જતો રહે છે તેનું ભાન નથી. આખી જિંદગી પંચેન્દ્રિયના વિષયમાં ગાળે છે. તેથી આત્મા ભણી વૃત્તિ જતી નથી. વિપરીત કરે છે. અજ્ઞાનીને બધે ઠેકાણે મમતા હોય છે. સાધુ થાય ત્યાં પણ “મારા સાધુ, મારા શિષ્ય” એમ મમતા કરે છે. સાચા પુરુષને એગ થાય અને તેની આજ્ઞા આરાધે તે કલ્યાણ થાય. જીવને શું કરવાથી કલ્યાણ થાય એ ખબર નથી. જ્ઞાનીની આજ્ઞાએ જેટલું કરે તેટલે ધર્મ પ્રગટે છે.
માર્ગ વિચારવાનને પૂછ. અનુકંપા ન આવે ત્યાં સુધી સમ્યક્ત્વ ન આવે, સમ્યદર્શને આવ્યા પછી શ્રાવક કહેવાય. શ્રાવકમાં દયા હોય છે તે મારે પણ દયા લાવવી એમ જીવને લાગે છે. સાચે એગ થાય ત્યાર પછીથી છૂટવાની સાચી ભાવના જાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org