________________
બેધામૃત રાગદ્વેષ છવ કરે તે થાય ને? એણે કર્મને આમંત્રણ આપ્યું છે, તેથી આવ્યાં છે.
જ્ઞાનીનું કહેવું માને નહીં તે અનંતાનુબંધી કષાય છે. સાચી ભક્તિ સહેલી નથી. રાતદિવસ એને સંભાર્યા કરે ત્યારે થાય. જ્ઞાનીનાં વચનને વેગ થાય, એ વચને એને ગમે, ત્યારે આત્માને દુઃખથી છોડાવવાના ભાવ થાય અને ત્યારે સમ્યક્ત્વ થાય છે. “સત્ મળ્યા નથી, સત સુપ્યું નથી અને સત્ શ્રદ્ધયું નથી, અને એ મળે, એ સુષ્ય અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૬૬). જીવે સાંભળ્યું નથી, શ્રદ્ધયું નથી, દર્શન થયાં નથી. “પર પ્રેમપ્રવાહ બ પ્રભુસેં” પ્રેમની ખામી છે. નહીં તે મોક્ષે જતો રહે. કઈ પકડી ન રાખે. પ્રભુ ઉપર જ પ્રેમ કરવાનું છે. આખું જગત નિંદા કરે તે ભલે. દેહની પરવા ન કરે ત્યારે ભગવાન ઉ૫૨ પ્રેમ આવે. પ્રભુશ્રીજીને એક મુમુક્ષુએ પૂછ્યું કે આ અહીં બધા બેઠા છે, તેમનું કલ્યાણ થશેને? પ્રભુશ્રીજીએ કહ્યું: “ગોશાળા જેવાનું થશે તો આ બિચારા જીવોએ શે અપરાધ કર્યો છે?”
બેક ઉપાદાન કારણપણે પરિણમે, અંદરથી ભાવના થાય, ત્યારે કર્મ ઉપર અસર પડે છે. જીવને નુકસાન કરનાર માત્ર દર્શનમેહ છે. જે કલ્યાણુનું સાધન છે તે એને ન ગમ્યું. બીજાં કર્મો એના જેવાં નથી. સાચી હોય તે કામ કર્યા વગર રહે નહીં. સાચો
ગ હોય તેનું તે કામ થાય. કષાય ઘટાડશે કલ્યાણ થશે એમ જેને હોય તેના જરૂર દે જાય. સાચાને સાચું ને ખોટાને છેટું જાણે તે વિવેક છે. ડું કર્મ બહુ લાંબુ થઈ જાય છે. એવી રીતે કર્મ છોડવામાં પણ છે. થોડા વખતમાં ઘણાં કમ ખપી જાય. કર્મની વાત ગહન છે. ભાવ ઉપર આખા ધર્મને આધાર છે. ભક્તિ, ઉપવાસ એ બધું ભાવ પલટાવવા કરવાનું છે. બધું કરીને ભાવ ન પલટાય તે કંઈ કામનું નથી. મમ્મણશેઠે પૂર્વભવમાં કઈ જ્ઞાનીને લાડવા વહોરાવી મનમાં એમ ચિતવ્યું કે બધાય લાડવા વહરાવી દીધા. મારા જે મૂખ કોણ? એવા ભાવથી પાછો હઠડ્યો. એને વહોરાવવાના પુણ્યથી ફળ તે મળ્યું પણ ભેગવી ન શક્યો. રાજ ધાનનાં છોડાં ખાઈ ખાઈને દહાડા કાઢો. બધાં દુઃખનું મૂળ આત્મબ્રાંતિ છે. “આત્મબ્રાંતિ સમ રોગ નહીં.” એને લઈને જન્મમરવું વગેરે છે. બધાનું કારણ તપાસે તે આત્મબ્રાંતિ છે. આત્મજ્ઞાન એ સવ દુઃખથી મુક્ત થવાને ઉપાય છે.
ઉપદેશયા ચાલુ)
શ્રી. રાવ આહાર, ફાગણ સુદ ૮, ૨૦૦૮
દરેકને પિતાને લાભ થાય એવું કરવાનું છે. પુરુષ બીજા ને લાભ થાય એવું કહે છે, દયા કરુણાભાવ આવવાથી કહે છે. સરુષને સહેજે વૈરાગ્ય રહે છે. તેથી તે ઉદય પ્રમાણે વર્તે છે. પણ મુમુક્ષુ જીવ એમ સહજપણે વર્તે તે તણાઈ જાય. જેને તરતાં ન આવડતું હોય અને તરવા જાય તે ડૂબે. શરૂઆતમાં માર્ગ અઘરો હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org