________________
૩૯૦
બાધામૃત થવાનું છે. આત્મા જે મોક્ષને યોગ્ય થતો બહારની વસ્તુઓ વેષ આદિ કોઈ ખાળે એમ નથી.
જાતિ વેષને ભેદ નહીં, કહ્યો માર્ગ જે હેય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” અજ્ઞાન ટાળવાનું છે. ગમે તે ટુંઢિયા કે તપ હય, બધાને એ કરવાનું છે. એ કરશે ત્યારે મેક્ષ થશે. ધર્મને મર્મ એ છે કે દેહ તે હું નહીં. દેહના સંબંધી નિંદા સ્તુતિ થાય તે મને નહીં. એમ જીવે દેહથી જુદા પડવાનું છે. જુદા પડ્યા વિના ધમ ન થાય. જેટલે દેહાધ્યાસ વધે, તેટલું બધું પાપ છે. એ બધાથી છૂટવું છે. પુરુષને ચોગ થાય તે જીવના ભાવ ફરે. તરવાનું સાધન એ છે. સારું નિમિત્ત હોય તે સારા ભાવ થાય.
મૂતિ ઉપરથી ભગવાનને યાદ કરવાના છે. ગમે તે મૂર્તિ હોય પણ ભગવાનને યાદ કરે તે કલ્યાણ થાય. મૂતિમાં જ લક્ષ રાખે તે બધા ભેદ પડે. ભગવાનને યાદ કરવા માટે મૂર્તિ છે. હેમચંદ્રાચાર્યે મહાદેવને પણ નમસ્કાર કર્યા હતા કે રાગદ્વેષ અને અજ્ઞાન જેનાં ગયાં તે મહાદેવને મારા નમસ્કાર છે. આ મૂર્તિ સેનાની છે, રૂપાની છે, તેથી એમાં વધારે ઓછા ભગવાન છે એમ નથી. ભગવાનમાં કેવળજ્ઞાન કેવું હતું? એ યાદ કરવા માટે બધું છે.
ધર્મમાં જીવ મારાપણાની ગાંઠ બાંધે છે. “હું અને મારુ”તો મૂકવાનું છે. તેને બદલે પછી ધમમાં જ ગાંઠ બાંધે છે. ધર્મને ક્રોધ, માન, માયા, લેબ તૂટી જાય છે.
પ્રશ્ન–વેદાંતમાં કોઈ જ્ઞાની થયા છે?
ઉત્તર–જેના રાગદ્વેષ અને અજ્ઞાન ગયાં તે જ્ઞાની છે. વિપરીત બુદ્ધિ અને મિથ્યાત્વ હોય તે શું કરે? વિશાળબુદ્ધિ જ્ઞાનીએ કહી છે તે કઈ બીજી છે. છયે પદની વાત જેનમાં છે. એ છપદને વિચાર કરે તો સમ્યગ્દર્શન થાય.
fઉપદેશાયા ચાલુ)
શ્રી. રાત્રે આ અગાસ, ભાદરવા વદ ૧૦, ૨૦૦૮
(૧૨) ધર્મ પાળે ક્યારે કહેવાય? તે કે એક તે સંતોષ આવ્યું હોય. જે મળ્યું તેમાં તેષ રાખે. એમ પહેલે સંતોષ આવે છે. સાચા સંગમાં ટકી રહેવું મુશ્કેલ છે. કેટલું પુણ્ય છે તેની ખબર નથી, માટે એક ક્ષણ પ્રમાદ કરે નહીં.
ઘાના બળદ કરતાં પણ જીવ સંસારમાં વધારે દુઃખી છે. ઘાણીના બળદને જેમ પાટા બાંધીને ફેરવે છે અને લાકડી મારે છે, એવું આ સંસારનું સ્વરૂપ છે. બધી અવસ્થા જીવને નજરે આવે છે, પણ ભૂલી જવાય છે. સંસાર દુઃખમાં જીવ પડયો હતો પણ આ જ્ઞાનીના ચગે કલ્યાણ કરવાનું સૂઝયું. બધાને માથે કાળ ફરે છે. એ સાંભરે તે વૈરાગ્ય થાય. જ્યાં સુધી મરણ આવી પહોંચ્યું નથી ત્યાં સુધી આત્માનું હિત કરી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org