SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત –વિવેચન ૩૩ અનંતકાળથી શુભાશુભ ભાવ કરે છે. ત્યાં સુધી એને શુદ્ધભાવ દેખાય નહીં. ચિત્તની સ્થિરતાની જરૂર છે, “ ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન. ’’ જીવને ગ્રહણ કરી કરીને સુખી થવાની ઈચ્છા છે. પણ જ્ઞાનીપુરુષા કહે છે ત્યાગ કરવામાં સુખ છે. ઉપાધિ આછી થયે જીવને સુખ થાય છે. ત્યાગ ન અને તે પણ ત્યાગની ભાવના રાખવી. શરીર ન ત્યાગી શકાય, પણ એના પ્રત્યે દૃઢ વૈરાગ્ય રાખવા. કસેાટી આવ્યે ઢીલા ન થવું. જ્યારે મરણુ આવશે ત્યારે બધું છેાડવાનું છે, તે પહેલાંથી જ ત્યાગી દેવું. આપણું છે નહી. જડને જડ અને ચેતનને ચેતન જાણે તેા સહજે વૈરાગ્ય રહે. વૈરાગ્ય નથી તેથી આત્મા ભણી વૃત્તિ વળતી નથી. ઘણું ખાધું, ઘણું પીધુ', પશુ માત્માનું કલ્યાણ થયું નહી'. વૈરાગ્યમાં વૃત્તિ રહે તેા સવળું થાય. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ મિચેા છે.” (મેા. પર), t ત્યાગમાં છૂટ રાખી હાચ તે। પણ જ્ઞાનીની આજ્ઞા લઈ ને વાપરવી. ત્યાગ પાછે . જતા રહે એવું ન રાખવું. કેાઈ વખતે સારા ભાવ આવે ત્યારે ત્યાગ કરે છે, પણ પાછળથી ઢીલેા પડી જાય છે. શ્રાવક એટલે જેને મુનિ થવાની ભાવના છે. ‘મુનિપણું પાળવા જેટલી મારી શક્તિ નથી, એટલે હું શ્રાવક રહું છું' એમ કરી ભાવમુનિ રહે છે. શ્રાવક રાજ સવારમાં ઊઠી વિચારે કે હું પાંચ મહાવ્રત કત્યારે પ્રાપ્ત કરીશ ? હું પાપથી કયારે છૂટીશ? મારે સમાધિમરણુ કરવું જ છે. એમ ત્રણ મનારથ રાજચિંતવે. આરંભ એટલે જેમાં પાપ થાય એવાં કામ. મારું મારું એ પરિગ્રહ છે. માયાશય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય એ એમાંનું એક પણ હોય તે સાચુ' વ્રત નથી. શ્રાવકપણું પાળવું એ તા માક્ષના માર્ગ છે, પણ માયા સેવે તે નિયમ એકે ન થાય, સાચા ધર્મનું આરાધન કરવું ઢાય તે માયાથી દૂર રહેવું. આત્માને માટે કરવાનું છે. ત્રણ શલ્ય માયાથી લેાકા ધમ કરે છે તેથી ધમ વગેાવાય છે. છૂટવું હોય તા મધુ છે.ડવાનું છે. સાથે કઈ લઈ શકાય નહીં. શુભાશુભભાવ પણ છેડવાના છે. કને છેડવા જાય ત્યારે કાઈ ને કાઈ કમ સામું થાય છે. જ્ઞાનીપુરુષાને ઉપદેશ છે કે માયાથી છેતરાવું નહીં. માયાથી છેતરાવા જેવુ નથી. અહંકાર પણ સાથે ઝટ ઝટ ઊભા થાય એવા છે. માયાને જીતવા ભક્તિ જોઈ એ. ભક્તિ હાય તા માચા ન થાય. ભક્તિમાં ચિત્ત રહે તા માયામાં જાય નહીં. ભક્તિમાં તા દીનતા છે. ભગવાન સર્વોપરી છે, હું દીન છું, એમ ડાય છે. સાચી ભક્તિ હેય ત્યાં માયા ન હાય. શ્રવણુ કરવું એ ભક્તિ છે. દાસત્વભાવ એ પણ ભક્તિ છે. આજ્ઞામાં અહંકાર નથી. રાગદ્વેષ ટાળવા, ઈચ્છાઓ રાકવા તપ કરવાનું છે. જનકવિદેહી રાજપાટ કરવા છતાં ગુરુમાં ભક્તિવાળા હતા અને અલિપ્ત હતા. આત્મજ્ઞાન હૈાય તે બધું પાંસરું થાય. જ્યાં સુધી જ્ઞાનીને મનવચનકાયા અર્પણુ ન થાય ત્યાંસુધી મારાપશુ ન જાય. કાયા પણુ મારી નથી, એટલા સુખી થાય ત્યારે એને અહંકાર મટે. દેહથી ભિન્ન છું એમ સમજણુ થઈ હાય તા અહંકાર મટે, જ્ઞાનની સાથે વૈરાગ્ય રહે તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy