SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪: બેધામૃત સાચું જ્ઞાન છે. એવું સાચું જ્ઞાન સંસારમાં પણ રહી શકે છે. રામને એટલે બધે વૈરાગ્ય હતો કે સંસારથી સાવ ઉદાસીનતા થઈ હતી. તેથી કહ્યું કે મને શાંતિ થાય એવું બતાવો. ત્યાં સુધી ખાઉં નહીં, પીઉં નહી, શ્વાસ પણ ન લઉં. ત્યારે વસિષ્ઠ ઋષિએ ઉપદેશ આપી શાંત કર્યા. પછી રામે રાજપાટ સર્વસ્વ આપવા માંડયું પણ ગુરુએ કહ્યું કે અજ્ઞાન છેડે. બધાને સાર–“સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે” (૫૬૯). અજ્ઞાનનું દુઃખ છે. આંટી મોટી છે. જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં જ્ઞાની હોય ત્યાં સુધી માર્ગ ચલાવે તેમ ઉપદેશ આપે નહીં. જ્ઞાની પુરુષનું અંતર તે બહુ વિશાળ છે. તેને વિચાર કયે સમ્યક્ત્વ થાય એવું છે. જ્ઞાની અંતરમાં નિગ્રંથ છે, વિરતિ છે. તેથી ગૃહસ્થ અવસ્થામાં છતાં નિગ્રંથ છે. તીર્થકર હોય તે પણ ગૃહસ્થાવસ્થામાં માગ ચલાવે નહીં. જ્ઞાની પુરુષ એટલે જેને આત્મજ્ઞાન થયું હોય છે, તે પુરુષ ઉપાધિ કરતા હોય તે પણ સમાધિ છે. અંતરમાં એમને વિરતિ છે છતાં ઘેરીમાર્ગનું ઉલંઘન કરે નહીં. ત્યાગ કરીને ત્યાગ કરાવે એ સારું છે. એ ધોરીમાર્ગ છે. એથી કોઈને શંકા ન થાય. જ્ઞાનીને શિષ્ય કરવા નથી. એની નિસ્પૃહતાની છાપ પડે છે. જ્ઞાની ગૃહસ્થાવસ્થામાં ધર્મની વાત ન કરે એમ નથી, કરેય ખરા. ચોગ્ય જીવ હોય તેને જ્ઞાની 5 બેધ કરે છે. વાસિત બોધ એટલે મેહવાળો બોધ હોય તે સંસારીને સારા લાગે છે. મહી ને સાધુ થયા પછી પણ હું વાણિયે છું, અમુક છું, એ જવું મુશ્કેલ છે. ગોચરી જાય ત્યારે અમુકને ઘેર જાઉં તે સારું એમ રહે. આત્મા વાણિયો નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, આત્મા એ આત્મા છે, એમ પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા. હું દેહ નથી, એમ જ્યારે થશે ત્યારે દેહના બધા સંસ્કાર છૂટશે. એને આધારે બધું છે. દેહ છું, એમ હોય ત્યાં સુધી હું જુવાન છું, હું ઘરડે છું, એમ રહે છે. કર્મ કોઈને છેડતાં નથી, બધાંને ભેગવવાં પડશે. મિથ્યાત્વ છે, ત્યાં સુધી જીવ પાંચ ઈન્દ્રિયેના વિષયમાં પડયો છે. સારું ખાવું છે, પીવું છે, સુંઘવું છે, સાંભળવું છે, ચાખવું છે, એમ રાગદ્વેષ કરી પાપ બાંધે છે. તેને તથા હિંસા આદિ પાંચ મોટાં પાપ છે તેને તો સંભારતે નથી અને છોડતો નથી, પણ સંવત્સરી પાંચમની કરવી, ચોથની ન કરવી, ચોથની કરીએ તો પાપ લાગે એમ કહે છે. જેની વૃત્તિ વિરામ પામી નથી, પાંચ ઇન્દ્રિ અને મન વશ થયાં નથી, છકાયની રક્ષા કરતે નથી, હિંસા આદિ કરે છે તેનું બધું અવિરતિનું વતન છે. વ્રત તે સમ્યક્ત્વ થયા પછી આવે છે, પણ તે પહેલાં પિતાની યોગ્યતા વધારવા વ્રતનિયમ કરે તે ખેટું નથી, સારું છે. જીવને દેહાધ્યાસ છે. “વચન તે હું, દેહ તે હું” એમ થયું છે. દેહ અપવિત્ર છે, તેને પવિત્ર માને છે, અનિત્યને નિત્ય માને છે, એવી અવળી સમજણ છૂટે ત્યારે મિથ્યાત્વ છૂટે. ક્ષણે ક્ષણે આત્માનું કામ કરવા મનુષ્યભવ મળ્યો છે. એક સમય પણ પ્રમાદ કરવાની ભગવાને ગૌતમને ના કહી છે. આપણે તે આખો દિવસ પ્રમાદમાં જ ગાળીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy