________________
૩૬૬
બેધામૃત જ્ઞાનીનાં વચન સાંભળે, ઉલ્લાસ આવે, પ્રીતિ થાય, વિચારણા જાગે તે સમજાય. જ્ઞાનીનાં વચન સાંભળી ઉલ્લાસભાવ રાખવે તે “ભાસે જડચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન.” પછી જડનાં પરિણામ જડ અને ચેતનનાં ચેતન લાગશે. જીવની ગ્યતા અને જ્ઞાનીને બેધ જોઈએ. જીવને પૂછવું કે તારે શું જોઈએ છે? જગત કે મોક્ષ? મોક્ષ જોઈએ છે” એમ ઉત્તર મળે તે રાગદ્વેષ ઓછા કરવા માંડવા. જ્ઞાની પુરુષનાં વચનમાં જોડાવું એ રાગદ્વેષ ઓછા કરવાને ઉપાય છે. જીવ માં પડયો છે. આત્મા તે સૌથી જુદે છે. દેહ પિતાને નથી; પિતાને હેય તે સાથે આવે, છૂટે નહીં. જ્ઞાન છે તે પિતાનું છે તે સાથે આવે છે. જીવ ભૂલેલ છે તથા “આ મારું, આ એનું” કર્યા કરે છે. આત્મા ત્રણે કાળ રહે એ પદાર્થ છે. સાચી વસ્તુ ભુલાઈ ગઈ છે. જીવની ગ્યતા હોય, સત્પરુષને સંગ હોય અને બધા સાંભળવા મળે છે તેથી ઉલાસ આવે અને કર્મને ધકકો લાગે. તેથી પ્રતીતિ આવે છે. પછી અનુભવ થાય ત્યારે આત્માને રસ ચખાય છે.
આત્માને સ્વભાવ જાણવાનું છે, પણ જીવ પિતાને જાણતા નથી. જડને જાણ રહ્યો છે. આત્માની પ્રતીતિ થશે ત્યારે વૃત્તિ સ્થિર થશે. જેને લઈને બધું દેખાય છે તેને જીવ ગણતો નથી. “જાણનારતે માન નહીં, કહિયે કેવું જ્ઞાન?” જાણનારને ભૂલે છે. પ્રતીતિ આવે તે અનુભવ થાય અને અનુભવ આવે તે સ્થિરતા થાય.
જ્ઞાનીનાં વચને સાંભળે, ઉલ્લાસભાવ આવે, ત્યારે કમ માર્ગ આપે છે, દશમેહ ખસે ત્યારે સમ્યગ્દર્શન થાય અને ત્યારે જ સાચી ભક્તિ કહેવાય.
સમ્યગ્દર્શન થયા પછી “આત્માથી સો હીન ” એમ લાગે. દર્શનમોહ જાય ત્યારે આત્માની પ્રતીતિ થાય અને તેમાં વૃત્તિ રહેવાથી વીર્ય કુરે છે, તેથી ચારિત્રમેહ જાય અને સ્વરૂપસ્થ થાય છે.
જ્ઞાનીના માર્ગમાં જેટલી સ્થિરતા થાય તેટલે ચારિત્રમોહ દૂર થાય છે.
જ્યારે અસંગપણું આવે ત્યારે પરમાવગાઢ અનુભવ પ્રગટે છે.
વાસના ક્ષય થવાને ઉપાય સત્સંગ છે, તે ન હોય તે સન્શાસ્ત્ર છે. કર્મને વશ થવું નથી; શૂરવીરપણું રાખવું. આપણને હિત થાય તેવાં દ્રવ્યક્ષેત્રકાળભાવ રાખવાં. મન વારંવાર સશાસ્ત્રમાં રાખવું.
જેમાં અસંગભાવ છે તે નમસ્કાર કરવા ગ્ય છે.
[વ. ૯૪૯]
૨૯૪ શ્રીરાઆ. અગાસ, ભાવ વદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–મેઈના મરણને પ્રસંગ સાંભરતાં જીવને વૈરાગ્ય થવાનું કારણ છે.
નાવમાં એક યંત્ર આવે છે. તેને કાંટે ઉત્તરમાં જ ઊભો રહે છે. તેને ધવકાંટે કહે છે. અનેક પ્રકારની મોહજાળમાં જે છે તેને લોકસંજ્ઞા હોય છે. જેનું ફળ સંસારીપણું આવે તેથી સુખ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org