SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન [વ. ૯૦૧] ૨૯૩ શ્રી રાવ આહર, ફાગણ સુદ ૧૨, ૨૦૦૮ ગુરુ ગણધર ગુણધર અધિક પ્રચુર પરંપર ઓર; ત્રતતપધર તનુ નગનધર, વંદૌ વૃષસિરમોર. ” પૂજ્યશ્રી–જે ઘણા મુનિઓના ઉપરી છે, જે ગુરુ છે, બધા ગુણેને ધારણ કરનારા છે, વ્રત અને તપના ધારણ કરનારા છે, જે નગ્ન શરીરવાળા છે અને જે ધર્મના શિરેમણિ છે, એવા જે ગુરુ છે અને પૂર્વે એવા જે ગુરુઓ થઈ ગયા છે તેઓને વંદન હે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં આખું જગત પડયું છે. ઘણુંયે ખાધું, ઘણું પીધું, પણ જીવને થાક લાગ્યો નથી. પાંચ ઇન્દ્રિયના વિષયેથી વિક્ષેપ થાય છે, તેથી જીવ પિતાના સ્વરૂપને ભૂલે છે. શાંતિ ક્યાંથી આવે ? જગતમાં શાંતિ નથી એનું કારણ છે પાંચ ઇન્દ્રિયના વિષયની કડાકૂટમાં પડયા છે. ત્યાં શાંતિ નથી. જગત દુઃખરૂપ જ છે. એને પંઠ દે તે શાંતિ થાય. અનંત અવ્યાબાધ સુખસ્વરૂપ આત્મા છે. એને ઓળખી સ્વરૂપમાં સ્થિર થવું એ મોક્ષને ઉપાય છે. જગતમાં દેહાદેડ કરે છે, તે કરતાં અટકી દેહદેવળમાં બેઠેલે જે દેવ, તેની ઓળખાણ કરવાની છે. “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” (૯૦૨). જેટલી ઉદાસીનતા આવે તેટલે મોક્ષ થાય. પાંચ ઈન્દ્રિયના વિષયમાં દેડાદોડ કરવાથી જીવ પિતાને ભૂલ્યો છે. પાંચ કુવા જેવા આ પંચેન્દ્રિયના વિષય છે. આત્માની શાંતિ કરવી હોય તે આત્માને ઓળખીને આત્મામાં સ્થિર થવું. આત્મામાં સ્થિર થયા વિના શાંતિ ન થાય. બધાને આ હિતકારી વસ્તુ છે. હું કોણ છું ? ક્યાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરુ.? કેના સંબંધે વળગણું છે ? રાખું કે એ પરિહરું ? ” બીજેથી લક્ષ છૂટે તે પિતાનો રસ આવે. પિતાને નિર્ણય થયા વિના સુખ ન આવે. આખું જગત દુઃખી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ દ્વાદશાંગી લખી છે. તેને સાર પિતાનું ભાન કરવું એ છે. જગતની ઈચ્છા છેડી એક એ જ કરવાનું છે. બધાંયે શારો કરતાં દ્વાદશાંગી આત્માને આત્મા ભણી વાળે છે. તેથી એને સશાસ્ત્ર કહ્યાં છે. આત્માને શાંતિ પમાડે એવાં ભગવાનનાં વચને છે. સ્વરૂપસ્થ થવું એ સુખ, શાંતિને ઉપાય છે. બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા.(૭૨). સપુરુષ મળે ત્યારે તેઓને બેધ સાંભળવાને મળે છે. એથી ઉલાસભાવ આવે છે. જેને છૂટવું હોય તેણે જ્ઞાનીનાં વચને સાંભળવાં. જેથી ઉલાસ આવશે. જ્યારે ઉલ્લાસભાવ આવશે ત્યારે દેહથી ભિન્ન આત્મા સમજાશે. જ્યારે દેહથી ભિન્ન આત્મા સમજાશે ત્યારે જડથી ઉદાસ થશે. નાશવંત વસ્તુઓ મારાથી ભિન્ન છે, હું તે એક તેને જાણનારે છું એવી ભાવના કરવી. બે વસ્તુ જુદી છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy