SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૬૫ તેને માહામ્ય લાગે છે. વચનામૃતથી કેવળજ્ઞાન થાય છે. એટલું બધું માહાસ્ય છે. દર્શન મેહ હણવાને જ્ઞાનીનાં વચને છે. સંસારમાં વૃત્તિ ન જાય તો વૈરાગ્ય આવે, પાપથી પાછા હઠે. એમ પડતી વૃત્તિને સ્થિર રાખે. જ્ઞાનીનાં વચનેથી જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. એથી આગળ પછી અપ્રમત્ત થાય છે. અપૂર્વ સ્વભાવને પ્રેરક જ્ઞાની પુરુષની મુદ્રા, સત્સમાગમ અને વચને છે. વધતાં વધતાં અપ્રમત્ત ગુણસ્થાન પ્રાપ્ત થઈ કેવળજ્ઞાન પામે. સપુરુષનાં વચને, મુખમુદ્રા અને સત્સમાગમ એ અગી સ્વભાવના અને મોક્ષનાં કારણે છે. [વ. ૮૭૬] ૨૮૨ પૂજ્યશ્રી–જેને કાળને કંઈ ભય નથી, આત્મા અજરઅમર શાશ્વત છે, એમ થયું તે કાળ ક્યાં રહ્યો? આત્મા ત્રણે કાળ રહેવાનું છે. જે ઉત્પન્ન થયે નથી તે મરે નહીં એમ જેને સમજાયું તેને કાળ કિકર જેવું છે. તેને મરણય નથી. તેને ત્રણે લેકનું રાજ્ય આપે તેય મૃગજળ જેવું લાગે. એનાથી તૃષા છીપે નહીં તેથી મૃગજળ જેવું છે. જગતની બધી ઈચ્છા રોકાઈ ગઈ છે. આશા એને વશ થઈ ગઈ છે, દાસી થઈ ગઈ છે. અને એ નુકસાન કરે નહીં. બીજા જીવને ભૂતડી જેવી વળગે છે. કામક્રોધ વગેરેને કેદમાં મૂકી દીધા છે. મનને જીત્યું છે, તેથી કામ વગેરે વિકાર આવતા નથી. એને ક્રોધ આવી જાય, પણ એ ક્રોધ નથી. કમ આવીને જાય છે. કેવી હોય તે બગાડી શકે નહીં. બધાથી અસંગ થયા છે. ખાવું પીવું પડે તે ભગવાનને ભૂલ્યા વગર કરે છે. પૂર્વ કમને લઈને ખાવું પીવું બધું કરવું પડે, પણ અસંગ રહીને કરે છે. જેને છેલ્લો એક ભવ બાકી હોય તેને આવી દશા હોય છે. એવા જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે. એને ઓળખે તેને પણ એક અવતાર થાય. સપુરુષને તેમના રૂપે ઓળખવા બહુ મુશ્કેલ છે. જેને ફરી જન્મવાનું નથી એવી એમની દશા છે. મોક્ષને અર્થે મનુષ્યદેહ છે. જન્મમરણ છોડે તે જ મનુષ્ય છે, નહીં તે માતાના પેટમાં પથરા જેવો છે. એનું જ્ઞાન સર્વવ્યાપક છે. એને કેઈ અંતરાય ન થાય. થાય તે ધારે નહીં, કારણ કે મોહ નથી. કેવળજ્ઞાન થતાં પહેલાં બધી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે. આત્મા શું છે? એ જેને સમજાય તેને રિદ્ધિસિદ્ધિ ઝેર જેવી લાગે. આત્મામાં જ લહેર કરે છે. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તે લાત મારીને કાઢી મૂકી, એ તરફ લક્ષ ન આપે. અંતરમાં સુખ છે, તેથી ત્યાં જ શોધે છે, બીજે ન શોધે. [વ. ૮૭૮] ૨૮૩ - પૂજ્યશ્રી–કાર્તિકેયાનુપ્રેક્ષામાં બાર ભાવનાઓનું સારું વર્ણન છે, તે વિચારવું. આત્મા ફરે તે કામ થાય. ઉપશમ એટલે વીતરાગભાવ થાય તે અર્થે આ “કાર્તિકેયાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy