________________
બધામૃત કષાયે પણ ઓછા થાય. સદ્દવર્તન હોય તો જ્ઞાનીને માર્ગ પરિણામ પામે. જે રસ્તે જ્ઞાની દેરે તે રસ્તે ચાલે. ન્યાયપૂર્વક તે તેને લેભ એ છે હોય. કષાય મંદ પડયા હોય તે મેક્ષ માગ મળે એમ છે. લેભ મંદ હોય અને જ્ઞાની છોડવાનું કહે તે છૂટી જાય. જ્ઞાનીનું કહેલું સમજાવું મુશ્કેલ છે. જ્ઞાની પાસે જાય, પણ જીવ લેભ આદિ કષાય સાથે લઈને ત્યાં જાય છે.
એક પુરોહિત હતે. તે શાસ્ત્રો ભણેલે, પણ કષાય મંદ નહીં. તે જ રાજાની સાથે ફરે. રાજાએ તેને પિતાની વીંટી રાખવા આપી. તે પુરોહિત વીંટી પાછી આપવી ભૂલી ગયે. સંધ્યાકાળે સરોવરના કિનારે અંજલિ આપતાં વીંટી સરી પડી, તે નીચે કમળમાં પડી, પણ બ્રાહ્મણને ખબર નહીં. ઘેર ગયા પછી વીંટી ન જોઈ તેથી બહુ વિચારવા લાગે. શોધી પણ કંઈ પત્તો ન લાગે. તેને રાજાને બહુ ભય લાગવા લાગે. ઘણો વિચાર કર્યો પણ વીંટીને પત્તો લાગે એ ઉપાય મળે નહીં. પછી એક જૈન જ્ઞાની સાધુ અહીં આવ્યા છે એવું તેને સાંભળવામાં આવ્યું. તેથી તે ત્યાં ગયે અને કહ્યું કે બાપજી, એક કામ છે. મુનિએ જાણ્યું કે આ ભવ્ય જીવ છે. તેથી કહ્યું કે ભલે કહો. પછી તેણે વીંટીની વાત કરી. મુનિએ કહ્યું કે સરોવરમાં અંજલિ આપી હતી ત્યાં કમળમાં પડી છે. સવારે કમળ ખૂલે ત્યારે જઈને જજે. પછી વીંટી મળી, તે લઈને રાજાને આપી આવ્યું. એ એક ચિતા મટી, પણ આ વિદ્યા મારી પાસે નથી, માટે એ વિદ્યા મારે શીખવી, છેતરીને પણ શીખવી એમ થયું. તે ઘેર ગયો અને કહ્યું કે હું વિદ્યા લેવા માટે જાઉં છું. તેઓ મને કહેશે કે સાધુ થા તે સાધુ પણ થઈશ, પણ વિદ્યા શીખી પાછો આવીશ. એમ કરી તે મુનિ પાસે ગયો. મુનિએ તેને દીક્ષા આપી, પછી તે શાસ્ત્રાભ્યાસ કરતે. થોડાંક વર્ષો ગયાં પછી મુનિએ કહ્યું કે ઘેર જવું છે? તેણે કહ્યું, હવે કોણ જાય? બન્યું એ ઘર.
સપુરુષને વેગ હોય તે સારી વસ્તુઓ ગ્રહણ કરે અને બેટી છેડી દે. મુનિને માટે પણ આહારના નિયમ છે. કારણ કે નિર્દોષ આહાર હોય તો કષાય મંદ થાય. વર્ત. માનમાં મુનિઓને કષાય છે તેનું કારણ ભગવાનની આજ્ઞા બરાબર પળાતી નથી, તે છે. જેવું અન્ન તેવું મન થાય છે. બાહ્ય પરિગ્રહ ધનધાન્ય વગેરે છે. ચાર કષાય, નવ નેકષાય અને મિથ્યાત્વ એ ચૌદ અત્યંતર પરિગ્રહ છે. કયારે થઈશું બહાંતર નિગ્રંથ ને?” મિથ્યાત્વ અને કષાયને લઈને સંસાર છે. એ જાય તે સંસાર ન રહે.
[વ. ૮૭૫]
૨૮૧ શ્રી. રા. આ. અગાસ, જેઠ વદ ૧૧, ૨૦૦૮ પૂજ્યશ્રી–જ્ઞાનીનાં વચને વારંવાર અપ્રમત્તપણે વિચારવાં. મારે કરવાયોગ્ય શું છે? એમ વિચારવું.
હે શ્રી પુરુષકે વચનામૃત જગહિતકર.” જેને એ ઉપકાર સમજાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org