________________
વચનામૃત-વિવેચન
૩૫૯. આવે પણ એ ન ભૂલવું. પરભાવ બધાય રેકવા છે. જ્ઞાની જાણે છે તે મારું સ્વરૂપ છે. જીવ ભાવ તપાસત નથી. જે પરમાવ આવે તે કાઢવા છે. ખરાબ ભાવ આવે તે તરત ફરસી લઈને ઊભા રહેવું, ડેકું કાપી નાખવું. સમાધિ પામવાનું કારણ “સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” આત્મામાં રહેવું, બીજેથી પાછું હઠવું. વિભાવથી છૂટવું એમ જ્ઞાનીએ કહ્યું છે. સર્વ દુઃખ છૂટવાનું કારણ દ્રવ્યાનુગ છે. જે ખરું સ્વરૂપ છે, તેને ન ભૂલવું. મૂળ સ્વરૂપમાં લક્ષ રાખવાનું છે. બાકી સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.
[વ. ૮૬૭]
૨૭ શ્રી રા. આઅગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૮ પૂજ્યશ્રી-કપાળદેવ લખે છે કે “હે આર્ય! જેમ રણ ઉતરી પારને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ તરી પારને સંપ્રાપ્ત થાઓ.” મોહ છે તે સ્વયંભૂરમણ સમુદ્ર જે દુસ્તર છે. કચ્છનું રણ પાર કરી આવ્યા તેમ મોહને પાર કરી મોક્ષે જતા રહો એમ કૃપાળુદેવ દેવકરણછ મુનિને લખે છે. ભાવ આજ્ઞા આરાધે તે મેક્ષ થાય.
મનિએને બીજી ઉપાધિ ન હોય. જેને આપકાર કર હોય તેણે નિવૃત્તિ લેવી. આજ તે કોઈને નિવૃત્તિની પડી નથી. આત્મહિત શાથી થાય તે પહેલું કરવાનું છે. દર્શનમહ ઓછો થાય ત્યારે મુમુક્ષુ થવાય છે. આત્માની ગરજવાળા બહુ થડા છે. મોહ મંદ પડે તે ધર્મના કામમાં મીઠાશ આવે. બીજી વાત કરે છે પણ આત્માની વાતે ન કરે. આત્મહિત અતિ દુર્લભ છે. વિદ્વત્તા તો સુલભ છે. ધ્યાન અને શ્રતની અનુકૂળતા જે ક્ષેત્રમાં હોય ત્યાં ભગવંતની આજ્ઞા પળાય. મુનિને ધ્યાન અને સ્વાધ્યાય એ બે કરવાનાં છે. ઉલ્લાસપૂર્વક ભગવાનની આજ્ઞા આરાધવાની છે. ઢીલું પડી જાય તે સાધનો કંઈ ન કરે.
વિ. ૮૭૨].
૨૮૦ - પૂજ્યશ્રી–માર્ગાનુસારીનું પહેલામાં પહેલું લક્ષણ ન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરવું એ છે. ધર્મ જોઈતો હોય તે નીતિને પાયે દઢ કરે જોઈએ. પ્રાણ જાય પણ નીતિ ન જાય. મુમુક્ષુને કદાપિ આજીવિકા જેટલું ન મળે તો પણ આર્તધ્યાન ન કરે. મરણ કરતાં, ભૂખે મરતાં આખો દિવસ કાઢે, પણ અનીતિ ન કરે. મારે ધર્મધ્યાન કરવું છે, મનને વશ કરવું છે એમ હોય તેણે નીતિનું પ્રથમ સ્થાપન કરવું. ન્યાયપૂર્વક વર્તે તે તેને ઘણું ગુણે પ્રગટે, ધર્મધ્યાનમાં મદદ મળે, શમસંગ વગેરે ગુણ પ્રગટે, કષાય કરવાની ટેવ એને રહે નહીં. મુમુક્ષુએ કષાય જીતવાના છે. પ્રાણ જાય તો ભલે, પણ મારે અનીતિ તે ન જ સેવવી. એમ હોય તેને લેભ કષાય ઓછો થાય તેથી બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org