________________
૩૫૮
બેધામૃત વસ્તુ હિતકારી લાગે છે. એ થવાનું કારણ સત્સંગ અને સપુરુષને વેગ છે. કૃપાળુદેવે કહ્યું છે કે પુરુષની કૃપાદ્રષ્ટિ એ સમ્યક્ત્વ છે. જેટલી ગ્યતા હોય તેટલું પરિણમે. દશનાહ ઘટાડવા માટે શમસવેગાદિક ગુણ લાવે, પાંચ ઇન્દ્રિયેના વિષને જીતે, તે શાસ્ત્ર પરિણામ પામે, મહાપુરુષના મુખે સાંભળવા મળે તે થાય.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ;
એમ જાણે સશુ—ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” શ્રતમાં ખાસ કરીને દ્રવ્યાનુયે મુખ્ય છે. બધે ઉપદેશ તે અર્થે છે.
જેમ જેમ સંયમ વધે તેમ તેમ દ્રવ્યાનુગ પરિણમે છે. જ્ઞાનીનું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, એમ અભેદતા થાય એ જ ખરો સંયમ છે. જેમ જેમ સમ્યગ્દર્શન નિર્મળ થાય તેમ તેમ રુચિ વધે છે અને વીર્ય કુરે છે, તેથી દ્રવ્યાનુગ પરિણમે છે.
દ્રવ્યાનુયોગની જિજ્ઞાસાવાળા બહુ ઓછા છે. વાતોથી પરિણામ ન પામે. ઉપર કહાં તે કારણે મળે તે પરિણામ પામે. એને કિંમત નથી. જ્યાં સુધી ઈન્દ્રિયજય ન થાય ત્યાંસુધી વૃત્તિઓ બહાર રહે છે. દ્રવ્યાનુગ પરિણામ પામવા માટે ઇન્દ્રિયજય થવો જોઈ એ. આત્મામાં જ આનંદ આવે, આત્મા સુખસ્વરૂપ છે એમ લાગે, વીતરાગ થવામાં દૃષ્ટિ હેય, અસંગપણું એટલે મારું કશુંયે નથી એમ હોય, એવી પરમ અસંગતા આવે ત્યારે આત્મા ઓળખાય એવે છે. જે અસંગ પુરુષ છે, તે આ દ્રવ્યાનુયેગના પાત્ર છે. જ્ઞાનીની પ્રવૃત્તિ એક જીવને માટે હોય એમ નથી, બધાને માટે હોય છે. આ દ્રવ્યાનુગ સાંભળી, વિચારી એ કરવાનું છે.
બધા ભાવમાંથી વિરામ પામવું. બધેથી વૃત્તિ છેડી જ્ઞાનીની ચેષ્ટામાં લીનતા થાય એ સંયમ છે. જ્ઞાની પ્રત્યે પ્રેમ આવે ત્યારે એ થાય. આજ્ઞામાં એકતાન થયા વિના એ ન થાય. મનનું વર્તન તે વૃત્તિ છે. વૃત્તિ ઉપર લક્ષ રાખો કે મારી વૃત્તિ ક્યાં જાય છે? કર્મ બાંધવામાં જાય છે? પાંચ ઇન્દ્રિયના વિષયમાં જાય તે કર્મ બંધાય. સારી વૃત્તિ થાય તે ભાવના કહેવાય છે. હિસાબ તે રાખવું પડે. લક્ષ રાખે તે બધેથી વૃત્તિ વિરામ પામે અને આત્મામાં રહે. એ કરવાનું છે. બધાથી વિરામ પામી આત્મા ભણી વળવું. એ સંયમ પ્રાપ્ત કરી આત્માને નિર્ણય કરવાનું છે. બીજા ભાવ ટાળવાના છે. સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” એ ભૂલીશ નહીં. ચેતવા જેવું છે.
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં,
દેહે પણ કિંચિત મૂછ નવ જય જે. અપૂર્વ પછી સમ્યક્ત્વ થાય. સમ્યક્ત્વનું ખરું સ્વરૂપ સંયમ અને વીતરાગતા છે. આત્મા છે તે બધું છે. પિતાનું અસ્તિત્વ ભૂલી ન જવું. પાંચ ઈન્દ્રિયોના વિષયો ઓછા કરવા. સત્સંગ વિશેષ કરે તે દેહાધ્યાસ માટે એ છે. લક્ષ આત્માને ન ચૂકવે. ગમે તે પ્રસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org